SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનપાથેય – ભવનું ભાતું આપ. હું તને ભવના ભાતા જેવા ચાર નિયમો આપું છું, જે આકરા નથી છતાં તારા માર્ગમાં સહાયક બની રહેશે : “પહેલો નિયમ – હું ઇચ્છું છું કે તું કોઈની હિંસા ન કર, પણ એ તારા માટે અશક્ય છે. તો આટલું કર; કોઈ પણ ઠેકાણે ઘા કરતાં પહેલાં સાત ડગલાં પાછા હઠવું અને સાત વાર પ્રભુસ્મરણ કરવું.” “કબૂલ છે, ધર્મના અવતાર !” લૂંટારો બોલ્યો. હવે બીજો નિયમ – હું ઇચ્છું છું કે તું સાદો ને સાત્વિક ખોરાક લે, પણ એ તું ન કરી શકે, તો એમ કરઃ જે ખાદ્યનું નામ તું જાણે નહિ એવું અજાણયું ખાદ્ય તારે ન જ ખાવું.” નહિ ખાઉં.” લૂંટારાએ સ્વીકાર કર્યો. હવે ત્રીજો નિયમ – હું તો ઇચ્છું છું કે તું શીલવંત જીવન ગુજારે, પણ તું કદાચ એ ન કરી શકે, તો રાજાની રાણીનો ત્યાગ તો તારે કરવો જ, કારણ કે એ પ્રજાની માતા છે.” “કેવી ઘેલી વાતો કરો છો, મહારાજ ! રાજાની રાણી અને હું ? હા, હા, હા.” લૂંટારો ખડખડ હસ્યો ને બોલ્યો : “કબૂલ, એક વાર નહિ, સાત વાર. રાજી થાઓ તમે.” “હવે ચોથો ને છેલ્લો નિયમ – છેલ્લે, હું ઇચ્છું છું કે તું માંસાહાર ન કર, પણ એ તારાથી શક્ય ન હોય તો કાગનું માંસ તો તારે ન જ વાપરવું. “બોલ, આ ચાર નિયમ, આ ચાર મહિનાની પુણ્યસ્મૃતિ તરીકે તું ન લઈ શકે ?” સંત ! આજ સુધી તો કોઈનેય આ માથું નમ્યું નથી, ત્યાં આ હાથોને પ્રતિજ્ઞા તો કોણ આપે ? પણ તમારી મધુર વાણી અને સહૃદયતાભર્યું જીવન જોઉં છું અને મારું મસ્તક તમારા ચરણોમાં ઢળી પડે છે. મને સમજાતું નથી કે કોઈ વખત નહિ ખેંચાનારું આ હૃદય આજે આમ કેમ ખેંચાય છે ? તમારી પવિત્ર સ્મૃતિ નિમિત્તે આ ચાર નિયમ જરૂર પાળીશ. પર્વત ડગે તો આ પુષ્પચૂલ ડગે. આ નિયમ તો આપણા મિલનની પુણ્યસ્મૃતિ છે, અને મારા આ ભટકેલા ભવનું એક પવિત્ર સાધુએ આપેલું ભાતું છે.” વિદાય લેતાં આચાર્ય સુસ્થિતે કહ્યું : “પુષ્પલ ! માનવીમાં રહેલા સંસ્કાર, ભવનું ભાતું * ૧૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy