SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સ્કૃતિના અંગારા પર શા માટે રાખ ઢાંકી સખો છો ? એ તમને અંદર ને અંદર બાળ્યા કરશે. એને બહાર લાવો, જ્ઞાન અને પશ્ચાત્તાપનાં વારિથી એને બુઝાવી નાખો.' આચાર્યનાં સ્નેહભીનાં વચનો પલ્લીપતિના હૈયામાં ઊડે ઊંડે ઊતરી ગયાં. ગિરિરાજ જેવો અડગ દેખાતો પલ્લીપતિ સહજમાં બાળક જેવો નાનો અને નિર્દોષ થઈ ગયો. આંસુને લુછતાં એણે કહ્યું : “પ્રભો ! મારી આ વેદનાની ભઠ્ઠી તમારાં ભાવભર્યા જ્ઞાનવચનોથી નહિ કરે. એ મને ઠારીને જ કરશે. છતાં હું મારી વ્યથા આજ આપની પાસે ઠાલવું છું.' “મારો જન્મ ટીપુરીના રાજા વિમળશાને ત્યાં થયો હતો. મારી માતાનું નામ સુમંગલા હતું. મારું નામ પુષ્પચૂલ. મારે એક બહેન હતી. એનું નામ પુષ્પચૂલા. હું મારા પિતાને એકનો એક પુત્ર હતો, એટલે તેઓ મને ઘણા જ લાડથી ઉછેરતા. અંતરની ઓશિયાળ તો જાણો જ છો. મને દરેક પ્રકારની સ્વતંત્રતા હતી. દાસ-દાસીઓ મારી આજ્ઞા ઉઠાવવા સદા તત્પર રહેતાં. સૌ મૂકી ઝૂકીને પ્રણામ કરતાં, પણ જેમ શ્રીમંત ઘી-દૂધ પચાવી શકતો નથી, તેમ અધૂરા ઘડા જેવો હું આ સ્વતંત્રતા ન પચાવી શક્યો. માતા-પિતાનાં વાત્સલ્યનો મેં દુરુપયોગ કર્યો. ધીમે ધીમે મારામાં સ્વચ્છંદતા આવતી ગઈ. મારી ઉન્મત્તતાથી, મારાં તોફાનથી મને લોકો પુષ્પચૂલને બદલે વંકચૂલ કહેવા લાગ્યા ! પ્રજા મારાથી ત્રાસી ગઈ. મારા આશ્રયને લીધે જુગારીઓ મત્ત થઈ ફરતા. મદિરાપાનથી ડોલતી આંખો લઈ હું ઘોડાને નગરીના રાજમાર્ગ પર પૂરપાટ દોડાવતો. મૂક અને નિર્દોષ પ્રજાજન હડફેટમાં આવતો, ત્યારે એને ક્યાં વાગ્યું છે એ પૂછવાને બદલે, એ હડફેટમાં કેમ આવ્યો, એમ કહી ધમકાવી હું એને ફટકા મારતો. મારા આ જુલમથી ત્રાસેલી પ્રજાએ મારા પિતા પાસે ફરિયાદ કરી. પિતાએ મને મમતાથી સમજાવ્યો પણ હું ન સમજ્યો, માતાએ વાત્સલ્યભીની શિખામણ આપી પણ એ શિખામણને મેં ઠોકર મારી. પ્રેમાળ માતાએ વહાલના જળથી મને સીંચ્યો પણ હું ન પલળ્યો, કારણ કે સ્વચ્છંદતાથી હું પથ્થર બન્યો હતો !' છેલ્લું વાક્ય ઉચ્ચારતાં પલ્લીપતિનો કંઠ ભરાઈ આવ્યો. થોડી વાર થંભી એણે આગળ ચલાવ્યું : “માતાપિતાની આ મમતાને મેં નબળાઈ માની અને હું વધારે તોફાની બન્યો. દશેરાના દિવસે તો મારાં તોફાની ટોચે પહોંચ્યાં. મારાથી કંટાળેલા પિતાએ આખરે મને જાકારો આપતાં કહ્યું : જા, પાપી ! અહીંથી ભવનું ભાતું ! ૧૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy