SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાના સંયોગે સંસ્કાર થાય તો એ પણ પરમાત્મા બને છે. અપૂર્ણતામાંથી પૂર્ણતાને પામે છે. ૩૫૯. વેડફાતું જીવન વિશ્વમાં કેટલું બધું સૌન્દર્ય છે ! લોભ અને ઈર્ષાના અંધાપાથી માણસ આ સતત ખીલતી અને નિખરતી સુંદરતાને જોઈ શકતો નથી. અને વળી પૂર્વગ્રહ અને અહમ્ની બહેરાશને લીધે તો જીવંત જીવનસંગીત પણ માણી શકતો નથી. ૩૬૦. ધ્યેયનું શિખર મંદિરનું શિખર શક્ય તેટલું ઊંચું કેમ ૨ખાય છે, ખબર છે ? કારણ એનાથી માનવીની દૃષ્ટિ ઊંચી રહે, એનું લક્ષ ગગન તરફ ઉન્નત રહે. એ સંકેત કરે છે : હે માનવી ! તારા જીવનમંદિરનું શિખર પણ સદાય ઊંચું રાખી જીવજે. ૩૬૧. કાલ અને આજ ભૂતકાળના પુરુષાર્થમાંથી વર્તમાનકાળનું પ્રારબ્ધ સર્જાયું છે, તેમ વર્તમાનકાળના તારા પુરુષાર્થમાંથી ભવિષ્યનું પ્રારબ્ધ સર્જાશે. માટે પ્રારબ્ધની નબળી વાતો છોડી, વિકાસના સાધકે જીવંત વર્તમાનમાં અવિશ્રાંત પુરુષાર્થથી કામે લાગી જવું. ૩૬૨. તપ અને પ્રેમ વિચારું છું કે ઉનાળાના ધોમ તાપમાં પણ આ વૃક્ષ આવું લીલું કેમ રહી શકે છે ? હા, કારણ કે તે ઉ૫૨થી જેમ સખત તાપ સહન કરે છે તેમ Jain Education International પ્રતિબિંબ * ૯૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy