________________
જૈનદત
-અભેદ, અકચ-વૈવિધ્યના સમાવેશ થાય છે. અહીં અભેદ મુખ્ય છે અને ભેદ ગૌણ છે. રામાનુજના તત્ત્વય સિદ્ધાંતમાનાં અચિત્ત, ચિત્ત અને ઈશ્વર એ ત્રણ તત્ત્વા સમાન રીતે સત્ અને વાસ્તવિક છે, પરંતુ પ્રથમ ખે તત્ત્વા ઈશ્વરાશ્રિત છે. તે
સ્વયં દ્રવ્ય હોવા છતાં ઈશ્વર સાથેના સંબંધની દૃષ્ટિએ તે તેના ગુણુ બની જાય છે. ચિત્ત-અચિત્ત ઈશ્વરનુ શરીર કહેવાય છે અને ઈશ્વર તેમના આત્મા છે. આ રીતે ઈશ્વર ચિચિવિશિષ્ટ છે. ચિત્ત અને ચિત્ત ઈશ્વરના શરીરનું નિર્માણ કરે છે અને તેથી તેના આશ્રિત છે. આ રીતે, વિશિષ્ટાદ્વૈત મુજબ, ભેદની સત્તા અવશ્ય છે, પરંતુ તે અભેદાશ્રિત થઈને છે, અભેદ મુખ્ય છે અને ભેદ તેના આશ્રિત થઈને ગૌણુરૂપે છે. ભેદનું સ્થાન સ્વતંત્ર નથી પરંતુ અભેદ પર આશ્રિત છે. ભેદ પરત ત્ર છે, અભેદ સ્વતંત્ર. આમ, આ દર્શીનમાં અભેદ મુખ્ય છે અને ભેદ ગૌણ અને પરાશ્રિત છે. અહીં અભેદનુ વિશેષ મહત્ત્વ છે. ભેદને સ્થાન તા છે, પરંતુ તે અભેદના આધારે ટકી રહેનાર તરીકે છે. બ્રહ્મન્ અહીં જટિલ છે અને તેમાં ઈશ્વર અને તેના આશ્રિતો (સૃષ્ટિ અને જીવાત્માએ) સમાવિષ્ટ છે. ઈશ્વર અને તેમના આશ્રિતો (ચિત્ત-અચિત્ત) વચ્ચેના સબંધ દ્રવ્ય અને તેના ગુણ્ણા વચ્ચેના સબંધ જેવા છે. ગુણા સ્વયંને દ્રવ્યથી સ્વતંત્ર કાંઈ મહત્ત્વ નથી, પરંતુ જેમ શરીર આત્માથી ભિન્ન છે તેમ તેએ ઈશ્વરથી ભિન્ન છે.
**
જૈન દર્શનમાં ભેદ-અભેદના સમન્વય : ભેદવિશિષ્ટ અભેદ અને અભેવિશિષ્ટ ભેદ
જૈન મત ઉપરીક્ત મતોથી ભિન્ન છે. ભેદ-અભેદના સાથે સમન્વય જૈન દર્શનની વિશિષ્ટ દેણગી છે. જ્યારે આપણે ભેદાભેદવાદની વ્યાખ્યા કરીએ છીએ ત્યારે તેના અર્થ છે : ભેદશિષ્ટ અભેદ અને અભેવિશિષ્ટ ભેદ. અને અભેદ બને સમાન રીતે સત્ છે. જેવી રીતે અભેદ વાસ્તવિક છે તેવી જ રીતે ભેદ પણ વાસ્તવિક છે. તત્ત્વની દૃષ્ટિએ જે સ્થાન અભેદનુ છે તેવું જ સ્થાન ભેદનુ છે. ભેદ અને અભેદ બને એવી રીતે સલગ્ન છે કે એક વિના અન્યની પ્રાપ્તિ શકય નથી. પદાર્થમાં બન્નેને અવિચ્છેદ્ય સમન્વય છે. જ્યાં ભેદ છે ત્યાં અભેદ છે; અને જ્યાં અભેદ છે, ત્યાં ભેદ છે. અહીં ભેદ અને અભેદ ટાઈ વિશિષ્ટ સબંધ દ્વારા જોડાયેલ નથી પર ંતુ તે સ્વભાવથી જ પરસ્પર સાજિત છે. પ્રત્યેક પદાર્થ સ્વભાવથી જ સ!માન્ય-વિશેષાત્મક છે-ભેદાભેદાત્મક છે–નિત્યાનિત્યાત્મક છે. જે સત્ છે તે ભેદાભેદાત્મક છે. વાસ્તવિકતા સામાન્ય અને વિશેષ બન્નેને સાચે સમન્વય છે. આ સમન્વય પેાતાનામાં બન્નેના સમાવેશ કરે છે, છતાં પૃથક રીતે અને સંયુક્ત રીતે બનથી ભિન્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org