SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન ૭. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય (ઈ.સ. ૧૦૮૮-૧૧૭૨) : હેમચંદ્રાચાર્યને જન્મ ઈ.સ. ૧૦૮૮ (વિ.સં. ૧૧૪૫) કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેઢ વણિક ચાચિકને ત્યાં થયે હતો. તેમની માતાનું નામ પાહિણી હતું.. તેમનું મૂળ નામ ચંગદેવ હતું. સાધુ દેવચંદ્રસૂરિનું ધ્યાન આ બુદ્ધિશાળી બાળક પ્રત્યે આકર્ષાયું. જેનાચાર્ય દેવચંદ્રસૂરિએ ખંભાતમાં તે બાળકને ઈ.સ. ૧૨૯૭માં દીક્ષા આપી અને તેમનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું. ટૂંક સમયમાં તેમણે જૈન વિદ્યાની સર્વ શાખાઓને અભ્યાસ પૂરો કર્યો. ૨૧મે વર્ષે આચાર્ય પદે આવતાં તેમનું નામ હેમચંદ્ર રાખવામાં આવ્યું. હેમચંદ્ર ગુજરાતના બે મોટા સજા જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાળના સમકાલીન હતા. સિદ્ધરાજની વિનંતીને માન આપીને તેમણે સુપ્રસિદ્ધ “સિદ્ધ-હેમ વ્યાકરણની રચના કરી. આ ઉપરાંત તેમણે “ગશાસ્ત્ર', ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર', “કુમારપાળ ચરિત્ર” વગેરે ગ્રંથ લખ્યા છે. તેઓ સંસ્કૃત, પ્રાકૃત તેમજ અપભ્રંશના પ્રખર વિદ્વાન હતા. જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનના વિકાસમાં ઉપર નિર્દિષ્ટ સાધુજને અને સાહિત્યકાર ઉપરાંત અનેકાનેક ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોએ પિતાની કૃતિઓ દ્વારા ફાળે આપ્યું છે જેમાં હીરવિજ્યજી, સમયસુંદરગણિ, આનંદધનજી, યશેવિજયજી, વિનયવિજયજી, આત્મારામજી, પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી સંઘવી, હર્મન જેકાબી, શાર્પેન્ટીયર, ઈલ, વોરન, સ્ટિવન્સન, ગ્લેસનેપ વગેરેને ઉલ્લેખ કરી શકાય. ૧૫. વેતાંબર અને દિગબર પરંપરાઓ (સંપ્રદાય કે પંથે): જૈન પરંપરા બે મુખ્ય વિભાગમાં વિભાજિત છે: ૧ શ્વેતાંબર, અને ૨. દિગંબર. મહાવીરના સંધમાં સચેલક અને અચેલક બંને પ્રકારના સાધુઓ હતા. “સચેલક” અને “વેતાંબર” સમાન અર્થ છે તેમજ “અલક” અને “દિગંબર” શબ્દ સમાન ભાવ વ્યક્ત કરે છે. તેઓ તેમની વચ્ચે એક્ય જાળવી શક્યા. તાંબર (ત અંબર શ્વેત વસ્ત્ર) એટલે શ્વેત વસ્ત્ર ધારણ કરનાર સાધુઓ અને દિગંબર (દિપ+અંબર=દિફ-દિશા જ જેનું વસ્ત્ર છે તે) એટલે વસ્ત્રહીન સાધુઓ. પ્રથમ પ્રકારના સાધુઓમાં માનનાર શ્રાવક-શ્રાવિકાઓ વેતાંબર કહેવાય છે, જ્યારે બીજાને માનનાર શ્રાવક-શ્રાવિકાઓ દિગંબર કહેવાય છે. જંબુસ્વામીના સમયપર્યત બંને પરંપરાઓ વચ્ચે એકતાની ભાવના જળવાઈ રહી. ત્યારબાદ બંનેના પિતપોતાના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ બંનેનું અલગ અલગ ફાંટાઓમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy