SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦ જૈનદશન શબ્દબદ્ધ કર્યો અને તેને વિસ્તારીને પાછળથી અંગેની રચના કરી. આ પૂર્વે પ્રાચીનકાળમાં જ લુપ્ત થઈ ગયા છે અને આ ૧૪ પૂને સમાવનારું ૧૨મું અંગ પણ આજે ઉપલબ્ધ નથી. અન્ય જન સાહિત્ય : આગમ ગ્રંથના સંગ્રહ ઉપરાંત જૈન આચાર્યોએ અને સાહિત્યકારોએ રચેલા બીજા વિષયના અનેક ગ્રંથે અત્યારે જૈન ભંડારમાંથી મળી આવે છે. આ ગ્રંથમાં વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કેશ, અલંકાર, છંદ, નાટક, શિ૯૫, જ્યોતિષ, વેદક, મંત્ર-તંત્ર વગેરે જુદી જુદી ભાષાઓમાં રચાયેલા અનેક ગ્રંથને સમાવેશ થાય છે. એક કાળે ગુજરાતની રાજધાની પાટણમાં ૨૧ જ્ઞાનભંડાર હતા. વસ્તુપાલે પણ ૩ મેટા જ્ઞાનભંડારો ત્યાં જ સ્થાપ્યાં હતાં. કુમારપાળ પછીના રાજા અજયપાલ અને પાછળથી આવેલા મુસ્લિમોએ ઘણું ભંડારાના અમૂલ્ય ગ્રંથને નાશ કર્યો હતો અને આથી અગમચેતીરૂપે જેનોએ આ ભંડારાના કેટલાક મુખ્ય મુખ્ય સારા ગ્રંથે જેસલમેર, અમદાવાદ કે ખંભાત મોકલી દીધા હતા જે અત્યારે પણ ત્યાં મોજુદ છે. આ ભંડારમાં કેટલાક સમર્થ આચાર્યોએ જાતે લખેલી પ્રતોની નકલે છે. કેટલાક તાડપત્રના તેમ જ કાગળ પરના હસ્તલિખિત ગ્રંથે ચેરાઈને તેમજ વેચાઈને યુરોપ, અમેરિકા તેમજ ભારતનાં અન્ય પુસ્તકાલયોમાં તથા સંગ્રહાલયમાં પહોંચી ગયા છે. કેટલાક અમૂલ્ય ગ્રંથને નાશ થઈ ગયા છતાં પાટણના જુદા જુદા ભંડારેના તાડપત્ર તેમજ કાગળ ઉપર હાથે લખાયેલા ૨૫,૦૦૦ ગ્રંથ છે. આમાં તાડપત્ર પર લખેલા ગ્રંથોની સંખ્યા આશરે ૭૫૦ની છે. આ ભંડારોમાંની પ્રાચીનતમ પ્રત વિ. સ. ૧૧૫૭ની સાલની છે. આ ગ્રંથમાં ઘણી જૂની ચિત્રકળાને પણ સંગ્રહ છે. આ ગ્રંથો અનેક વિષયના અને જુદી જુદી ભાષામાં લખાયેલા છે. આ અમૂલ્ય શાસ્ત્રની જાળવણી અર્થે પાટણમાં “હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની સ્થાપના કરવામાં આવી છે. ૧૪. જૈન સાહિત્યકારો : ૧. ભકબહુસ્વામી : ભદ્રબાહુ સ્વામી સર્વ શાસ્ત્રના પારગામી, ચતુર્દશ પૂર્વના વેત્તા હતા. “પ્રત્યાખાનપ્રવાદ' નામના નવમાં પૂર્વમાંથી તેમણે રચેલ “કલ્પસૂત્ર” નામક ગ્રંથ સુવિખ્યાત છે. દર વર્ષે પર્યુષણ પર્વ દરમ્યાન સાધુઓ સંઘ સમક્ષ આ કલ્પસૂત્રનું વાચન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy