SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભૂમિકા ૧૭ ૧૦. પુપિકાઃ આમાં ચંદ્ર, સૂર્ય, શુક્ર વગેરે દે સાથે સંબંધિત વર્ણન છે. આ દેવોએ સ્વર્ગથી આવી ભગવાન મહાવીરની પૂજા કરી. તેમના પૂર્વભવની કથા પણ આમાં છે. ૧૧. પુષચૂલિકાઃ તેમાં હૂ, વૃતિ વગેરે દેવીઓનાં વર્ણન છે. ૧૨. રેણુકશા: આ વૃષ્ણિવંશના નિરવ રાજકુમાર સાથે સંબંધિત કથા છે. આ રાજકુમાર વાસુદેવ, કૃષ્ણ અને ભગવાન અરિષ્ટનેમિના સમયમાં થઈ ગયા. આમાં તીર્થકર અરિષ્ટનેમિએ (નેમિનાથે) યદુવંશના રાજાઓને ઉપદેશ આપી જૈન બનાવ્યા તેની કથા છે. (બ) ૪ મૂળસૂત્રો : ૧. ઉત્તરાધ્યયનસૂત્રઃ તેમાં સાધુઓને સંયમ-માર્ગમાં રહેવાના ઉપદેશે તેમજ - સિદ્ધાંતો પર કથાઓ, દષ્ટાંતો, ઉપમાઓ તેમજ સંવાદો વગેરે છે. ૨. આવશ્યક સૂત્ર : આમાં શ્રવણના દિનચર્યાની આવશ્યક વિધિઓ તેમજ ભિન્ન ભિન્ન વિષયે સંબંધી હકીકત આપેલી છે. તેમાં છ વિભાગો છે: (૧) સામાયિક-જેમાં આજીવન સર્વે પ્રકારનાં પાપકારી કૃત્યોને ત્યાગ કરવામાં આવે છે, (૨) ચતુર્વિશતિસ્તવ-જેમાં ૨૪ તીર્થકરોની સ્તુતિ કરવામાં આવે છે, (૩) વંદન-જેમાં ગુરુનું નમસ્કારપૂર્વક સ્તવન કરવામાં આવે છે, (૪) પ્રતિક્રમણ-જેમાં વ્રતમાં લાગેલા અતિચારો(પાપદોષો)ની આલોચના કરવામાં આવે છે અને ભવિષ્યમાં આ દેષની પુનરાવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે, (૫) કાયોત્સર્ગ–જેમાં શરીર પરથી મમત્વ હટાવીને તેને ધ્યાન માટે સ્થિર કરવામાં આવે છે, અને (૬) પ્રત્યાખ્યાન–જેમાં એક નિશ્ચિત સમય માટે જ પ્રકારના આહાર-અશન, પાન, ખાદ્ય અને સ્વાઘને ત્યાગ કરવામાં આવે છે. ૩. દશૌકાલિક સૂત્રઃ આ જૈન શ્રમણના આચારના નિયમો સાથે સંબંધિત છે. તેના કત આચાર્ય શય્યભવ છે અને આ સૂત્ર વિકાસ અર્થાત સંધ્યા સમયે વાંચવામાં આવે છે. ૪. પિંડાનિયુક્ત : આમાં પિંડ અથાત્ ભજનના સંબંધમાં પર્યાપ્ત વિવેચન છે. આ પુરોગામી સૂત્રની પરિપૂર્તિરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy