________________
પૂર્વભૂમિકા
૧૭
૧૦. પુપિકાઃ આમાં ચંદ્ર, સૂર્ય, શુક્ર વગેરે દે સાથે સંબંધિત વર્ણન છે. આ
દેવોએ સ્વર્ગથી આવી ભગવાન મહાવીરની પૂજા કરી. તેમના પૂર્વભવની
કથા પણ આમાં છે. ૧૧. પુષચૂલિકાઃ તેમાં હૂ, વૃતિ વગેરે દેવીઓનાં વર્ણન છે. ૧૨. રેણુકશા: આ વૃષ્ણિવંશના નિરવ રાજકુમાર સાથે સંબંધિત કથા
છે. આ રાજકુમાર વાસુદેવ, કૃષ્ણ અને ભગવાન અરિષ્ટનેમિના સમયમાં થઈ ગયા. આમાં તીર્થકર અરિષ્ટનેમિએ (નેમિનાથે) યદુવંશના રાજાઓને
ઉપદેશ આપી જૈન બનાવ્યા તેની કથા છે. (બ) ૪ મૂળસૂત્રો : ૧. ઉત્તરાધ્યયનસૂત્રઃ તેમાં સાધુઓને સંયમ-માર્ગમાં રહેવાના ઉપદેશે તેમજ - સિદ્ધાંતો પર કથાઓ, દષ્ટાંતો, ઉપમાઓ તેમજ સંવાદો વગેરે છે. ૨. આવશ્યક સૂત્ર : આમાં શ્રવણના દિનચર્યાની આવશ્યક વિધિઓ તેમજ ભિન્ન ભિન્ન વિષયે સંબંધી હકીકત આપેલી છે. તેમાં છ વિભાગો છે: (૧) સામાયિક-જેમાં આજીવન સર્વે પ્રકારનાં પાપકારી કૃત્યોને ત્યાગ કરવામાં આવે છે, (૨) ચતુર્વિશતિસ્તવ-જેમાં ૨૪ તીર્થકરોની સ્તુતિ કરવામાં આવે છે, (૩) વંદન-જેમાં ગુરુનું નમસ્કારપૂર્વક સ્તવન કરવામાં આવે છે, (૪) પ્રતિક્રમણ-જેમાં વ્રતમાં લાગેલા અતિચારો(પાપદોષો)ની આલોચના કરવામાં આવે છે અને ભવિષ્યમાં આ દેષની પુનરાવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે, (૫) કાયોત્સર્ગ–જેમાં શરીર પરથી મમત્વ હટાવીને તેને ધ્યાન માટે સ્થિર કરવામાં આવે છે, અને (૬) પ્રત્યાખ્યાન–જેમાં એક નિશ્ચિત સમય માટે જ પ્રકારના આહાર-અશન, પાન, ખાદ્ય અને
સ્વાઘને ત્યાગ કરવામાં આવે છે. ૩. દશૌકાલિક સૂત્રઃ આ જૈન શ્રમણના આચારના નિયમો સાથે સંબંધિત
છે. તેના કત આચાર્ય શય્યભવ છે અને આ સૂત્ર વિકાસ અર્થાત સંધ્યા
સમયે વાંચવામાં આવે છે. ૪. પિંડાનિયુક્ત : આમાં પિંડ અથાત્ ભજનના સંબંધમાં પર્યાપ્ત
વિવેચન છે. આ પુરોગામી સૂત્રની પરિપૂર્તિરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org