SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ જૈનદર્શન ઓળખાય છે. તેનું ખીજું નામ નિવૃત્તિ ગુસ્થાન પણ છે, કારણ કે તેમાં ભાવાની અર્થાત્ અધ્યવસાયોની વિષય-અભિમુખતા-કરીને વિષયે પ્રતિ જવાની ક્રિયા– વિદ્યમાન હોય છે. અહીં આત્મા એવી આત્મિક શક્તિ પ્રાપ્ત કરે છે કે જે દ્વારા તે કર્મની તીવ્રતા અને ગાળેા ઘટાડી શકે છે. ૯, અનિવૃત્તિકરણ અથવા સ્થૂળકષાય ગુણસ્થાન : દૃશ્ય, શ્રુત ભાગ્ય વિષયની આકાંક્ષાના અભાવમાં આ "ગુણુસ્થાનમાં અધ્યવસાયા(આત્મપરિણામા–ક્રિયાએ)ની વિષયાભિમુખતા હોતી નથી, અર્થાત્ ભાવ પુન: વિષયો પ્રતિ જતા નથી. આ રીતે ભાવા-અધ્યવસાયા–ની અનિવૃત્તિને લીધે આ ગુણસ્થાનનું નામ અનિવૃત્તિકરણ રાખવામાં આવ્યું છે. આ ગુણસ્થાનમાં આત્મા સ્થૂળ (બાદર) કષાયેના ઉપશમન કે ક્ષપણુમાં તત્પર રહે છે તેથી તેને અનિવૃત્તિ બાદર (સ્થૂળ) સ ંપરાય (કષાય) ગુણસ્થાન પણ કહેવામાં આવે છે. ૧૦. સૂક્ષ્મ કષાય ગુણસ્થાન: આ ગુણસ્થાનમાં માત્ર એક લાભ (રાગ)ના સૂમ અંશ બાકી રહે છે, જ્યારે અન્ય કાયાના ઉપશમ કે ક્ષય થઈ ગયા હોય છે. ૧૧, ઉપશાંત કષાય (માહ) ગુણસ્થાન : આ ગુણસ્થાનમાં સાધકના સર્વ કષાયો ઉપશાંત થઈ (માઈ) જાય છે. તેથી આ ગુણસ્થાનને ઉપશાંત કષાય કે મેાહનું નામ આપવામાં આવે છે. આ શ્રેણી સુધી પહેાંચેલાને માહના ટકા લાગવાથી એકદમ નીચે પડવાનું થાય છે અને તેથી જ જીવાને ચડતા-ચડતા જરાપણુ પ્રમાદ ન કરવા ચેતવણી આપવામાં આવેલ છે. ૧૨. ક્ષીણ કષાય (માહ) ગુણસ્થાન : આ ગુણસ્થાનમાં દશમાં ગુણસ્થાનના અંતમાં આકી રહેલ લાભના અ ંતિમ અવશેષના નાશ થાય છે અને સાધક માહથી સર્વથા મુક્તિ પ્રાપ્ત કરી લે છે. આ અવસ્થાનું નામ ક્ષીણુકષાય (માહ) ગુણસ્થાન છે. આ ગુણસ્થાનને પ્રાપ્ત કરનાર વ્યક્તિનું કદી પતન થતું નથી એ આ ગુણસ્થાનની વિશેષતા છે. ૧૩. સદૈહ મુક્તિ અથવા સયાગી કૈવલી ગુણસ્થાન: મેહક્ષય થતા જ્ઞાનાવરણુ, દર્શનાવરણ અને મેાહનીય કર્મીના પણુ નાશ થાય છે. પરિણામે આત્મામાં વિશુદ્ધ જ્ઞાનજ્યોતિ પ્રકટે છે. આ તબક્કામાં કેવળજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy