________________
૧૮૪
૩. મિશ્ર (સમ્યક્-મિથ્યા દ્રષ્ટિ) ગુણસ્થાન :
તૃતીય ગુણસ્થાન આત્માની સમ્યગ્ દૃષ્ટિ (સમ્યક્ત્વ) અને મિથ્યાદષ્ટિ (મિથ્યાત્વ) બંનેના મિશ્રણરૂપ અવસ્થા છે. મિશ્રિત અવસ્થાને લીધે, આત્મામાં તત્ત્વ-અતત્વના યથાર્થ વિવેક કરવાની ક્ષમતા હોતી નથી. તે તત્ત્વને તત્ત્વ સમજવાની સાથે જ અતત્ત્વને પણ તત્ત્વ સમજવા લાગે છે. આમ આ ગુણસ્થાનમાં વ્યક્તિની વિવેકશક્તિના પૂર્ણ વિકાસ થયા હોતા નથી. આ ગુણસ્થાનની આ ડાલાયમાન અવસ્થા દીર્ઘ કાળપર્યંત ચાલુ રહેતી નથી, પર ંતુ ઘેાડા વખત માટે જ હૉય છે. આમાં સ્થિત આત્મા જલ્દીથી પોતાની તત્કાલીન પરિસ્થિતિ મુજબ કાં ા મિથ્યાત્વ-અવસ્થા અથવા તા સમ્યક્ત્વ-અવસ્થા પ્રાપ્ત કરી લે છે. આ ગુણસ્થાનનુ નામ મિશ્ર અર્થાત્ સમ્યક-મિથ્યા દષ્ટિ છે.
જૈનદશન
૪, અવિરત (સમ્યગ્ દષ્ટિ ગુણસ્થાન) :
આ ગુણસ્થાન આત્મવિકાસની મૂળ આધારભૂમિ છે. આત્માની આ અવસ્થામાં માહની શિથિલતાને લીધે સમ્યક્ શ્રદ્ધા અર્થાત્ સત્-અસતા વિવેક તા હોય છે પર ંતુ સમ્યગ્ ચારિત્રના અભાવ હોય છે. આમાં વિચાર-શુદ્ધિ વિદ્યમાન છે. પરંતુ આચારશુદ્ધિ વિદ્યમાન છે. અહીં આત્મ-શિસ્તનું આચરણ નથી.
મિથ્યા દૃષ્ટિ અને સમ્યગ્ દૃષ્ટિ વચ્ચેના ભેદ અહીં જાઈ લઈએ. મિથ્યા દષ્ટિમાં ધાર્મિક ભાવના હોતી નથી, તેમાં પ્રાણીઓ સાથે એકતા કે સમાનતા અનુભવવાની સતિ હોતી નથી. અન્ય સાથેના તેનો સંબ ંધ સ્વાર્થના કે બદ્લા લેવાના હોય છે. મિથ્યા દષ્ટિ ધાર્મિક દૃષ્ટિએ પાપ ગણાતુ હોય તેને પાપ સમજતા નથી; ભૌતિક સુખ પાછળ તેની દાટ હોવાથી પાપ-પુણ્ય ભેદ તેને સ્વીકાર્યાં નથી. તે કાઈનું ભલુ કરે તેા પણ સ્વાર્થ, પક્ષપાત કે કૃતજ્ઞતાને લીધે કરતા હોય છે.
સમ્યગ્ દૃષ્ટિ ધ ભાવનાયુક્ત અને આત્મદૃષ્ટિયુક્ત હોય છે. તે આત્મકલ્યાણુ દિશામાં યથાશક્તિ પ્રવર્તતા હોય છે. તે અન્યના આત્માને પોતાના આત્મા સમાન હોવાની શ્રદ્ધા ધરાવે છે. ચિત્ સંજોગવશાત્ ખાટુ થતાં તેના અંતરાત્મા તેને માટે ડખે છે અને તે માટે તેને પશ્ચાતાપ થાય છે. તેનામાં સ્વાભાવના, અનુકંપા અને બંધુત્વભાવ પણ હોય છે.
૫. ફ્રેશવિરતિ સમ્યગ્ દૃષ્ટિ ગુણસ્થાનઃ
આ ગુણસ્થાનમાં વ્યક્તિની આત્મશક્તિના સવિશેષ વિકાસ થાય છે. તે પૂર્ણ સ્વરૂપે સમ્યગ્ ચારિત્રની આરાધના કરી શકતી નથી. પરંતુ દૃશત: અર્થાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org