SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન નીતિશાસ શત: પરતંત્ર છે. અહીં અમુક અંશે માનવપ્રયાસની મહત્તા અને મૂલ્યના સ્વીકાર છે. શ્રી જે. એલ. જેની સમુચિત રીતે દર્શાવે છે તેમ અન્ય કાઈ કરતા જૈન દર્શન માનવીને નિરપેક્ષ ધાર્મિક સ્વાત ંત્ર્ય અને મુક્તિ વિશેષ બક્ષે છે. આપણે કરેલાં કર્મો અને ફળ વચ્ચે કંઈપણ આવી શકે નહીં. કર્માં એકવાર કરતાં તે આપણા માલિકા બને છે. અને ફળ-પ્રદાન કરે છે જ. જેમ મારું સ્વાતંત્ર્ય મહાન છે તેમ મારી જવાબદારી તેની સાથે સમવ્યાપ્ત છે. હું ઇચ્છું તેમ જીવી શકું; પરંતુ મારી પસંદગી અફર છે અને હું તેના પરિણામેામાંથી છટકી શકે નહીં.''૧ આમ, જૈન કનસદ્ધાંતમાં સપ-સ્વાતંત્ર્ય માટે પૂરતા અવકાશ છે. કના ખ્યાલ અને સંક૯પ-સ્વાતંત્ર્યના ખ્યાલ પરસ્પર વિરાધી નથી. કમ જીવાત્માનું વાતાવરણ નિશ્ચિત કરે છે. પરંતુ જીવાત્મા વિશિષ્ટ પરિસ્થિતિ, સ ંજોગ કે વાતાવરણમાં પાત પસંદ કરેલ રીતથી પ્રતિક્રિયા કરવા સંપૂર્ણ રીતે મુક્તસ્વતંત્ર છે. આ જૈન કર્મ-સિદ્ધાંતનું હાર્દ છે. આમ, જૈન ફવાદ સંકલ્પ– સ્વાતંત્ર્યવાદ સાથે તદ્દન સુસ ંગત છે. (૧૧) કવાદ અને સર્વજ્ઞતા કર્મ –સિદ્ધાંત અને સર્વજ્ઞતા–સિદ્ધાંત વચ્ચે ગાઢ સબુધ છે. કર્મો કે કર્મીફળમાં માનનારા સર્વેસર્વજ્ઞતાન! સિદ્ધાંતમાં માને છે. વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ, ‘સર્વન’ અને ‘સર્વનના' જ્ઞ (ગ'નfત ।। =જાણવું એ પરથી, ઉદ્ભવેલ છે. મ સર્વના'ના અર્થ જે સ જાણે છે તે' થાય છે. અને સનતાને અર્થ ‘સર્વનું જ્ઞાન' એવા થાય છે. ૧૭૭ જૈન દર્શનમાં આત્મા કેન્દ્રિય તત્ત્વ છે અને તે જ્ઞાન, નીતિમત્તા અને આધ્યાત્મિક પ્રયાસે!ની ભૂમિકા છે. તે તત્ત્વતઃ નાતા-શ્રેષ્ડ જ્ઞાતા છે. અગ્નિ અને ગરમીની જેમ, આત્મા અને જ્ઞાનને એકબીન્તથી અલગ પાડી શકાય નહીં. તે એકબીજાની સાથે સમવ્યાપ્ત છે. પરંતુ આત્માનું આ જ્ઞાન લક્ષણ ક-પુદ્ગલ સાથે તેના સાયુજ્ય-કાળ દરમ્યાન અસ્પષ્ટ રહે છે, નાશ પામતું નથી. જ્ઞાનાવરણુ કર્મના સ ંપૂર્ણ ક્ષય થતાં તેને તેની મૂળ ભવ્યતા પ્રાપ્ત થાય છે. અહીં” તદ્દન સીધુ સાદુ તર્કશાસ્ત્ર છે. જાણવુ જ્ઞાન મેળવવુ એ આત્માના સ્વાભાવ છે. જ્ઞાતા(આત્મા) ૧ Jaini, J. L., Outlines of Jainism, p. 3-4, ૨ કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ૧, ૨૩-૨૫. જે. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy