________________
જૈનદાન.
પ્રાણીજીવની રક્ષા અભિપ્રેત હોવાથી જ જૈન શ્રાવક-શ્રાવિકાઓ પશુપ`ખીઓને ખારાક-ચણુ-પાણી આપે છે અને ધાયલ પશુપક્ષીઓની શુશ્રુષા કરે છે. આ રીતે અહિંસા અને અનુકંપા–ધ્યા–ને સમાનાથી માનવામાં આવે છે.
૧૬૪
અહિંસા સર્વોપરી ક્રૂરજ-તવ્ય છે અને અહિંસા નિષેધક પ્રત્યય હાવાનું જણાય છે, પરંતુ જ્યારે આ મહાન આદર્શનું આચરણ જીવનમાં વ્યાવહારિક રીતે કરવામાં આવે છે ત્યારે તે નિષેધક ધારણથી વિશેષ કંઈક હોવાનુ સિદ્ધ થાય છે. સંપૂર્ણ અહિંસાનું આચરણુ મુશ્કેલ જ નહીં, પરંતુ અશકય પણ છે. આમ, અહિંસાના માર્ગ સરળ નહીં પરંતુ અત્યંત કષ્ટપ્રદ–કઠિન અને જટિલ છે. અહિંસાના અર્થ અન્ય જીવાને હાનિ નહીં. એટલેા જ નથી પરંતુ તે અન્યની સક્રિય સેવા પણ સૂચવે છે. જૈન દનમાં સર્વ વ્યક્તિગત બાબતમાં અહિંસાના સિદ્ધાંતના આચરણ પર ભાર મૂકે છે તા પણ એ સ્પષ્ટ છે કે તેનુ લક્ષ્ય માનવતાનુ કલ્યાણ અને સામાજિક પ્રગતિ છે.
૭. કના સિદ્ધાંત
(Jaina Doctrine of Karma)
૧. પ્રાસ્તાવિક
વિશ્વ સુસ ંબદ્ધ તંત્ર છે-જીવંત વ્યવસ્થા છે, અતંત્ર-અવ્યવસ્થા નથી. તે પરસ્પર સંકલિત તત્ત્વા-વસ્તુઓ-ની વ્યવસ્થા (રચના) છે, અસ કલિત વસ્તુઓને ઢગ નથી. તેથી જ પ્લેટા યથાર્થ રીતે કહે છે, પ્રત્યેક વસ્તુને અન્ય વસ્તુએથી અલગ પાડવામાં આવે, તા સર્વ વાચાની સદ ંતર નાશ થાય.' વસ્તુમાત્ર વિશ્વના શેષ ભાગ સાથે એવી રીતે સંકળાયેલ છે કે જો આપણે તેનુ સ્વરૂપ જાણી શકીએ તા આપણે સારાયે વિશ્વને પણ જાણીએ. જૈન દર્શન અનુસાર, વિશ્વાઈ બાહ્ય આધ્યાત્મિક સત્તા દ્વારા એકત્રિત કરેલ સમૂહ નથી પર ંતુ તે તેના બંધારણમાં અંતર્ગત અમુક નિશ્ચિત નિયમેાને આધીન એવી વ્યવસ્થા સ્વયં છે.
Jain Education International
B
વિશ્વના વ્યવસ્થિત સ્વરૂપની અભિવ્યક્તિની એક રીત સાત્રિક કાર્ય કારણને નિયમ છે. આ નિયમ મુજબ, પ્રત્યેક ઘટનાને કારણ હોય છે. વસ્તુમાત્ર જેને પ્રારંભ છે તેને કારણ હોવુ જોઈએ ઘટનાએ આત્મસાત્ નહીં પરં તુ કારણવશાત્ બને છે. શૂન્યતામાંથી ૐ ઈ ઉદ્ભવતું નથી. કારણવિહાણી ઘટનાએ અશકય છે. આકસ્મિક ઘટનાએ વાસ્તવમાં આપણા મર્યાદિત
For Private & Personal Use Only
www.jainelibrary.org