SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ૧. સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ · અહિંસા વ્રત ૨. સ્થૂલ મૃષાવાદવિરમણુ કે સત્ય વ્રત ૩. સ્થૂલ અદત્તાદાવિરમણુ કે અસ્તેય વ્રત ૪. સ્થૂલ મૈથુનવિરમણ (સ્વદાર–સ તાષ) કે બ્રહ્મચર્ય વ્રત ૫. સ્થૂલ પરિગ્રહ (કે ઇચ્છા) વિરમ અપરિગ્રહ વ્રત ૧. સ્કૂલ પ્રાણાતિપાત વરમણ કે અહિંસા વત: મહાવ્રતી મુનિ પ્રાણાતિપાત અર્થાત્ હિંસાના પૂર્ણ ત્યાગી હોય છે (પ્રમાદજન્મ કે કષાયજન્ય હિ ંસાના સર્વથા ત્યાગ કરે છે), જ્યારે અણુવ્રતી શ્રાવક કેવળ સ્થૂલ હિંસાનો ત્યાગ કરે છે, કારણ કે ગૃહસ્થ હોવાને લીધે તેને અનેક પ્રકારની સૂક્ષ્મ હિંસા તે કરવી પડે છે. સ્થાવર જીવા (પૃથ્વીકાય, જળકાય, તેજકાય, વાયુકાય અને વનસ્પતિ કાય એ એન્દ્રિય જીવા) સ્વાભાવિક ભેગ ઉપભાગરૂપ છે અને જીવનચર્યામાં તેમના સતત ઉપયોગ અપેક્ષિત છે અને તેથી ગૃહસ્થના અહિંસાત્રતમાં તેમની હિંસાને ત્યાગ શક નથી. શ્રાવક કેવળ ત્રસ (હ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય) પ્રાણીએની હિંસાના ત્યાગ કરેછે. તે નિરપરાધી સ્થળ (ત્રસ) જીવાને મન-વચન-કાયાથી ઇરાદાપૂર્વક (જાણીબૂઝીને) ન તા સ્વયં મારે છે કે ન તા અન્ય દ્વારા મરાવે છે. શ્રાવક સ્થૂળ હિંસાની સંભાવના ન હોય તેવી હર કાઈ પ્રવૃત્તિ સ્વય કરી શકે છે અથવા તે તે આવી પ્રવૃત્તિ અન્ય દ્વારા પણ કરાવી શકે છે. આ રીતે જોતાં, શ્રાવકની અહિંસા-સાધના આંશિક છે. તેનુ અહિંસાવ્રતપાલન આંશિક સ્વરૂપમાં છે. તે હિંસાના અંશતઃ ત્યાગ કરે છે. સંકલ્પી, આરંભી, ઉદ્યોગી, વિરાધી એવા સ્થૂળ હિંસાના ચાર પ્રકાશ પાડવામાં આવે છે: જૈનદર્શન (૧) કાઈ નિરપરાધ પ્રાણીની ઇરાદાપૂર્વક-જાણીબૂઝીને હિંસા કરવી એ “સપી હિસા’ છે. સંકલ્પી હિંસામાં જીવવધનું પ્રાધાન્ય છે. (૨) ઘર, દુકાન, ખેતર વગેરેના આરંભ–સમારંભમાં, રસેાઈ બનાવવી વગેરે પ્રવૃતિઆમાં યોગ્ય સાવધાની રાખવા છતાં ત્રસ વાની હિં...સા થાય છે. તે “આરલી હિંસા' છે. આરંભી હિંસામાં કાર્યોં (ગૃહનિર્માણુ કરવુ, રસાઈ બનાવવી ખેતીવાડી કરવી વ.)નું પ્રાધાન્ય રહે છે. અને આ કાર્યો કરવામાં જીવહિંસા થાય છે ખરી, પરંતુ અહીં જીવહિંસા ઇરાદાપૂર્વક કરવામાં આવતી નથી પણ કાર્યના અનુસ ંધાનમાં જીવહિંસા થવા પામે છે અને તે ક્ષતવ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy