________________
૧૪૮
જે દર્શન
અદ્વિતીય સ્થિતિની પ્રાપ્તિ સંપૂર્ણ સ્વાર્થ–નિવારણ વિના સિદ્ધ કરી શકાય નહીં. જૈન દષ્ટિબિંદુ મુજબ માત્ર ત્યાગી જન જ આચારનિયમનું ચુસ્તપણે પાલન. કરી શકે, કારણ કે તેણે સર્વે સંસારબંધનનો ત્યાગ કર્યો છે. લગભગ સર્વ ભારતીય દર્શને વાસ્તવમાં પરમ સ્થિતિની પ્રાપ્તિ અર્થેના સાધન તરીકે ત્યાગને સિદ્ધાંત સ્વીકારે છે. સર્વે સાંસારિક પદાર્થોમાંની વિરકિત સામાન્ય રીતે આત્મા -સાક્ષાત્કાર અર્થે આવશ્યક માનવામાં આવે છે. ત્યાગ માટેની આવી ઝંખના, આવી ઉત્કંઠા અને ત બનવાની તીવ્ર ઈચ્છા દ્વારા પ્રેરાય છે. આ વિરકત ત્યાગમય (ascetic) વલણ આત્માને વિશાળ બનાવે છે, સ્વાથી સંકુચિત ઈચ્છાઓમાંથી વ્યકિતને મુક્ત બનાવે છે અને તેને માનવતા માટે પ્રેમ અને અનુકંપાયુક્ત જીવન જીવવા પ્રેરે છે. - વિરકિત-ત્યાગ એટલે સેવા અને આત્મ-સમર્પણ. નિર્બળ વ્યક્તિ સેવા, અને સ્વાર્પણ સ્વીકારી શકે નહીં, માત્ર શૂરવીર અને હિંમતવાન આત્મા જ આવા પંથને અનુસરી શકે. સંસારીજનેને પરિત્યાગનું જીવન અપૂણ લાગે, પરંતુ આ કહેવાતું અપૂર્ણ જીવન વાસ્તવમાં પૂર્ણતાનું જીવન છે. સત્ય અને સાલસતાનું જીવન શ્રેષ્ઠ જીવન છે. ચીની ફિલસૂફ લાઓ-ત્યે આવા જીવનને અંગીકાર કરે છે. તેના મતે, સરળ જીવન નિરાડંબરી-નિખાલસ જીવન છે જેમાં લોભને તિલાંજલિ અપાય છે, હોશિયારી-ચાલાકી ત્યજાય છે, સ્વાર્થ ઘટાડીને અલ્પતમ કરાય છે અને ઈચ્છાઓને પરાજિત કરાય છે. ત્યાગીજનના જીવનનું લક્ષ્ય માનવતા–ઉત્કર્ષ અને તેણે સ્વીકારેલ આદર્શ પૂર્ણ જીવનની પ્રાપ્તિને આદેશ છે.. આવું લક્ષ્ય વિધાયક અસ્તિત્વ છે, વિનાશ નહીં. અલબત્ત, ત્યાગીજન જીવનની કહેવાતી સુખસગવડને ધિક્કારે છે, તે પણ તેને હેતુ સુખ છે. તે તેની આસપાસની સર્વે વસ્તુઓ પ્રત્યે ધૃણુ કે ઉદાસીનતા અનુભવે છે, તે પણ તે અંતિમ તત્ત્વના સાક્ષાત્કાર માટે અત્યંત ચિંતીત છે. જૈન નીતિશાસ્ત્ર સંન્યાસનું, ત્યાગનું નીતિશાસ્ત્ર છે અને જેન નીતિશાસ્ત્ર મોક્ષને જ જીવનના એકમાત્ર પુરુષાર્થ લક્ષ્ય તરીકે માને છે.
મેક્ષ : જૈન મંતવ્ય મુજબ, મોક્ષ માનવોને તેમની ઇચ્છાઓના ત્યાગને આદેશ આપતા અમૂર્ત આદર્શ નથી તેમજ પાશ્ચાત્ય સુખવાદની જેમ અહીં ઈચ્છીઓના નિરંકુશ સતેની પણ હિમાયત નથી. મેક્ષ અનંત જ્ઞાન-દર્શન –ચારિત્ર્ય-વીર્ય લાવે છે અને પરિણામે તે સર્વ ઈચ્છાઓને આપમેળે સંતોષ અને પૂર્ણતા પ્રેરે છે. આ શાશ્વત અને સાર્વત્રિક આત્મ-સાક્ષાત્કાર કાટવાદી નીતિશાસ્ત્રના બૌદ્ધિક સ્વરૂપ અને સુખવાદે કપેલ સુખની ભોતિક સામગ્રી બંનેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org