________________
જૈનદર્શન જેવો છે. જ્ઞાન આત્માની સ્વાભાવિક અને વિશિષ્ટ લાક્ષણિક્તા છે. સર્વજ્ઞતા આત્માનું સહેજ સુષુપ્ત લક્ષણ છે. કર્મ-પુગલના સંપૂર્ણ ક્ષય દ્વારા આવરણ દૂર થતાં આત્માનું આ સુષુપ્ત લક્ષણ મૂર્તિમંત થાય છે. આ રીતે જ્ઞાનવિહીન કેઈ આત્મા નથી તેમ આત્માવિહીન કઈ જ્ઞાન નથી. વાસ્તવમાં જ્ઞાન અને આત્મા એકરૂપ છે.
કેવળજ્ઞાનને સર્વજ્ઞતા પણ કહેવાય છે. સર્વજ્ઞતા એટલે સર્વનું જ્ઞાન ત્રણે કાળનાં સર્વે દ્રવ્યોનું તેમના સર્વે પર્યાયે સહિત જ્ઞાન. સર્વજ્ઞતામાં કંઈ અજ્ઞાત રહેતું નથી. સર્વજ્ઞ (કેવળી) એટલે જે સર્વ જાણે છે તે. તેનાથી કશું જ અજ્ઞાત નથી.
મીમાંસાદર્શન કેવળજ્ઞાનને એટલા માટે અસ્વીકાર્ય માને છે કે તે છમાંથી કોઈપણું પ્રમાણ દ્વારા પુરવાર થતું નથી, પરંતુ કેવળજ્ઞાનના ખ્યાલ પાછળ મૂળભૂત સિદ્ધાંત એ છે કે સર્વ પ્રગતિ પરિપૂર્ણતામાં વિરમે છે અને જ્ઞાનપ્રાપ્તિ પ્રક્રિયા આમાં અપવાદરૂપ કેવી રીતે હોઈ શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org