________________
૨. સંચહાભાસ
પદાર્થના સાર્વત્રિક પાસાં પર અતિશય ભાર કે તેના વિશિષ્ટ પાસાં પ્રતિ કેવળ ઉદાસીનતાને બદલે તેમને ઇન્કાર એ સંગ્રહાભાસ છે.
૩. વ્યવહારાભાસ
દ્રવ્ય-પર્યાય વિભાગને અસત્ય કહીએ અને કેવળ ભેદગામી બની અભેદને વખોડી કાઢીએ ત્યારે વ્યવહારાભાસ છે. ચાર્વાકની વાસ્તવિક તરીકે માત્ર ચાર -મુખ્ય તત્ત્વોની બેટી પસંદગીમાં આ દેષ દષ્ટિગોચર થાય છે. સાર્વત્રિકના ભોગે - વ્યાવહારિકનું કથન કરતાં ચાર્વાક આ દેષ કરે છે.
૪. જુસૂવાભાસ
પદાર્થોના ધ્રુવ(નિત્યતા)ના સર્વથા ઇન્કાર કરતાં આ નયાભાસ ઉદ્દભવે છે. અહીં પ્રત્યેક પદાર્થને કોઈપણ પ્રકારના સામાન્ય કે શાશ્વત લક્ષણવિહેણે હેવાથી ક્ષણભંગુર માનવામાં આવે છે.
૫. શબ્દાભાસ
આ દોષ બે શબ્દો વચ્ચેના સંપૂર્ણ તાદાત્મયના કથન દ્વારા ઉદ્ભવે છે. - કાળ, લિંગ, વગેરેના ભેદે શબ્દના અર્થભેદનું સમર્થન શબ્દાભાસ છે. ભૂતકાળપ્રયુક્ત અને વર્તમાનકાળપ્રયુક્ત રાજગૃહ' શબ્દ જુદા રાજગૃહે દર્શાવે છે એવી માન્યતા આનું ઉદાહરણ છે.
૬. સમભિરૂદાભાસ
પર્યાયવાચી શબ્દોને જુદા જુદા અર્થ માનવાને આગ્રહ સમરિટાભાસ છે. - પર્યાવવાચી શબ્દના અર્થની સંપૂર્ણ ભિન્નતાના કથનમાં આ દોષ છે.
૭. એવભૂતાભા ૩
વર્ગની બહાર શિક્ષક બિન-શિક્ષક છે એમ કહેવામાં આ દોષ થાય છે. આમ, વસ્તુના અસ્તિત્વને શબ્દ દ્વારા વ્યક્ત થતાં તેને વિશિષ્ટ કાર્યની કામગીરી પર સંપૂર્ણ રીતે નિર્ભર કરવામાં આ દોષ ઉભવે છે. ઉપસંહાર
જૈન દર્શન મુજબ, વાસ્તવિકતા અનંત લક્ષણયુક્ત છે. માનવ-જ્ઞાન તેને કોઇ સ્વરૂપમાં આંશિક જ્ઞાન છે. અનેકાંતવાદ કે સ્યાદ્વાદ આ હકીકતની સ્પષ્ટ સ્વીકૃતિ છે. સપ્તભંગીમાં “સ્યાત” શબ્દનો ઉપયોગ આ હકીકતના સમર્થન સમાન છે. નયવાદ પદાર્થને વિભિન્ન દૃષ્ટિબિંદુએથી નિહાળવામાં અને પદાર્થના વિભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org