SearchBrowseAboutContactDonate
Page Preview
Page 948
Loading...
Download File
Download File
Page Text
________________ સજજન સન્મક - ભાવાર્થ –હે વીર પરમાત્મન કેવળ શ્રદ્ધા માત્ર કરીનેજ, અર્થાત્ આપ અમારા દેવ છે, એવા સ્વપક્ષપાતે કરીનેજ આપને વિષે અમારો રાગ થયે નથી; તેમજ અન્ય હરિહરાદિ દેને વિષે, તથા કપિલાદિ મતધારી પ્રત્યે કેવળ માત્ર કરીને જ અમારી અરૂચી નથી, પરંતુ, તથાવિધ આત પણની પરિક્ષા કરવે કરીને જ, અર્થાત્, યથાથ સર્વાપણું, નિર્દોષપણું, યુક્તિવત્ વચન, વચન અનુસારે ચારિત્ર, અને વચન અને ચારિત્રને અનુસારેજ મદ્રા, ઈત્યાદિ સવ યથાગ્ય સ્વરૂપની સમ્યક્ પ્રકારે પરિક્ષા કરીનેજ, હે પ્રભે, અમે આપને સત્ય દેવ પણે સ્વીકારીને આપને આશ્રય કર્યો છે. ૨૯. હવે રસ્તુતિકાર પરમાત્માની વાણીની સ્તવના કરે છે – તમ:-પૃશામપ્રતિભા ભાજ, ભવન્ત માશુ વિવિન્દતે યા; મહેમચન્દ્રાંશુદશાવતા-સ્તર્ક પુણ્યા જગદીશવાચ: ૩૦. ભાવાથ-હે ભગવન, અજ્ઞાનરૂપ અંધકારે કરીને આચ્છાદિત થએલા અજ્ઞાની પ્રાણીઓને પણ જે વાણીએ આપના સ્વરૂપને વથાર્થ પ્રતિભાસ કરાવ્યો છે, તેઓના અજ્ઞાનનો નાશ કરીને સુજ્ઞાનવંત બનાવ્યા છે, એવી ચંદ્ર કિરણ સમાન શીતળ ઉજજવળ જ્ઞાનેવત તથા વિવિધ પ્રકારના તકે કરીને મહા પવિત્ર એવી જે આપની અત્યુત્તમ વાણી, તેને હું હેમચંદ્રસૂરી અત્યંત ભક્તિ, આદર સહિત, બહુ માનપૂર્વક ત્રિકરણ શુદ્ધિએ પૂછું છું. ૩૦. હવે સ્તુતિકાર નામે કરીને નહિ, પણ ગુણેકરીને વિશિષ્ટ પરમાત્માની સ્તવના કરે છે - યત્ર તત્ર સમયે યથા તથા, યડસ સેકસ્યભિધયા થયા તયા; વીતષશ્લેષ: સ ચેલ્સવાનેક એવ ભગવન્નમોડસ્તુતે ૩૧. ભાવાર્થ-હે સ્વામિન, જે જે મતને વિષે, જે જે શાસ્ત્રને વિષે, જે જે પ્રકારે કરીને, જે જે નામે કરીને, જ્યાં જ્યાં આપનું વર્ણન, સ્તુતિ, પ્રાર્થનાદિ કરવામાં આવે છે, ત્યાં ત્યાં, સર્વત્ર હે ભગવાન, પરમાથે એક જ છે; જે જે સિદ્ધાંતોને વિષે રાગ, દ્વેષ, મહાદિ દૂષણોએ કરીને રહિત, નિષ્કલંક, નિષિત, સર્વજ્ઞ, સર્વ શક્તિમાન, સર્વ દશિ. સર્વ વ્યાપક, શાશ્વત, અવિનાશી, સચ્ચિદાનંદ સ્વરૂપ, પૂર્ણાનંદી, બ્રહ્મ સ્વરૂપ, ઈત્યાદિ વિશેષએ યુક્ત કથન છે, ત્યાં ત્યાં સર્વત્ર હે પ્રભે, તુંજ છો; એવા હે અનંતજ્ઞાનિ, પરમ પવિત્ર, પરોપકારી જગવત્સલ વીર પ્રભુ, આપને અમારે ત્રિકરણ શુદ્ધિએ સદા નમસક ર હે. ૩૧. હવે રસ્તુતિકાર ગ્રંથને ઉપસંહાર કરતાં આ સ્તુતિને પ્રભાવ વર્ણવે છે. ઈદ શ્રદ્ધા માત્ર તદર્થ પનિન્દા મૃદુધિયે, વિગાહના હસ્તે પ્રકૃતિપરવાદવ્યસનની બરકતદ્વિષ્ટાના જિનવર ! પરીક્ષા ક્ષધિયા-મયંતવાલોક: સ્તુતિપાધિ વિધૃતવાન. ૩૨. ભાવાર્થ-જે મુગ્ધ, ભદ્રિક પરિણામી, મંદબુદ્ધિવાળા છે, અને જેઓને જિન મત ઉપર એથે રાગ છે, એવા ભદ્રિક ભવ્ય પ્રાણીઓ ભલે શ્રદ્ધાએ કરીને જ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy