SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1042
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૪ કાય-કિલેસા સંલીજીયા, ચ ખજો તવા હાઈ ૧ અનશન -પ્રતિક્રમણ સૂત્ર (અઈયાર–વિયારણુ–ગાહા) ૨ ઊનાદરતા ૩ વૃત્તિ સક્ષેપ ૪ રસત્યાગ ૫ કાયકલેશ ૬ સલીનતા એ માહ્ય તપ છે, પાયચ્છિત વિષ્ણુ, વેયાવચ્ચ' તહેવ સએ I ઝાણુ' ઉસગ્ગાવિ અ, અમ્ભિતર તવા હાઈ -પ્રતિક્રમણ સૂત્ર (અઇયાર-વિચારણ-ગાા) ૧ પ્રાયશ્ચિત, ૨ વિનય, ૩ વૈયાવૃત્ય, ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન અને ૬ ઉત્સગ એ આભ્યતર તપ છે. ૧ અનશન એટલે આહાર ત્યાગ. ૨ ઊનાદરતા એટલે પ્રમાણથી ઓછુ ખાવાને નિયમ. ૩ વૃત્તિ સંક્ષેપ એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવથી જુદા જુદા અભિગ્રહ. ૪ રસત્યાગ એટલે રસ સેવનના, વિકૃતિના ત્યાગ. ૫ કાયકયેશ એટલે સમજણપૂર્વક તિતિક્ષા. ૬ સ'લીનતા એટલે પ્રવૃત્તિઓને સ`કાચ. આ છ પ્રકારના માહ્ય તપ તપની સૂક્ષ્મતામાં જનારને યમનિયમનું મહત્વ સમજાશે. ૧ પ્રાયશ્ચિત એટલે પાપના છેદ અથવા ચિત્તનું શેાધન, ૨ વિનય એટલે વિનીયતેઽનેનાષ્ટપ્રકાર' કર્મતિ વિનય ઇતિ’ જેનાથી આઠે પ્રકારના કર્માં દૂર કરી શકાય તે વિનય. વિનયની મહત્તા વાચક શ્રી ઉમા Jain Education International સજ્જન સન્મિત્ર સ્વાતિએ પ્રશમરતિ પ્રકરણમાં જણાવી છે કે, વિનયનુ ફૂલ ગુરૂશુશ્રુષા છે. ગુરૂ શુશ્રૂષાનુ' ફૂલ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનુ ફૂલ આસ્રવનિરાય છે. આસ્રવ નિરાધ એટલે સંવર, તેનુ' કુલ તપાખલ છે અને તપેઅલનુ ફૂલ નિર્જરા કહેલી છે. તેનાથી ક્રિયાનિવૃત્તિ થાય છે અને ક્રિયાનિવૃત્તિથી અયેાગિપણું પ્રાપ્ત થાય છે અચેાગિપણું એટલે ચાગનરાધ તેથી ભવસ ંતતિ, ભવપરપરાના ક્ષય થતા મેાક્ષ મળે છે. એ રીતે સવ' કલ્યાણીનુ` ભાજન ‘વિનય’ છે.’ ૩ વૈવાનૃત્ય એટલે સેવા ૪ સ્વાધ્યાય પાંચ પ્રકારના છે. વાચના એટલે સૂત્રપાઠ અને તેને અથ' ગ્રહણ કરવા. પ્રચ્છના એટલે પેાતાને ઉગતા પ્રશ્નો પૂછવા. પરિવત'ના એટલે તેનું પુનરાવત'ન કરવું. અનુપ્રેક્ષા એટલે તેનું તત્ત્વ ચિ’તવવું. ધર્મકથા એટલે તેના અન્યને ચેગ્ય વિનિમય કરવા. માક્ષમાગનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રા સ્વાધ્યાયના વિષય મનાયા છે. ૫ ધ્યાનના ચાર ભેદો છે. ૧ આત ધ્યાન ૨ રૌદ્રધ્યાન ૩ ધર્મધ્યાન ૪ શુકલધ્યાન તેમાં પહેલા એ અપ્રશસ્ત છે. ધમ તથા શુકલ પ્રશસ્ત છે. ૬ ઉત્સગ એટલે ત્યાગભાવ. તેમાં દ્રવ્ય વ્યુત્સગના ચાર પ્રકાર છે. ૧ ગણુ-યુત્સગ (લેાકસમુહના ત્યાગ કરી એકાકી વિચરવું) શરીર-જ્યુત્સગ (કાયાત્સગ’) ૨ ૩ ઉપધિ-જ્યુત્સગ ૪ ભક્તપાન-યુત્સગ ભાવ વ્યુત્સગના ત્રણ પ્રકાર છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy