SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૧ વ્રતાદિના પાલન માટે કારણે પાસસ્થાદિને સંસર્ગ કરવામાં વિવેક] “મુરધુરા સંપાવી (જે) વનવામfી ) : लिंगावसेसमित्ते, जं कीरइ तारिसं बोच्छं ॥४५४४॥ वायाइ(ए) नमु(मो)क्कारो, हत्थुस्सेहो य सीसनमणं च । સંપુછI(M)Sછit કોમચંદ્ર ચંદ્ર વાવિ ૪પ૪પ. एआई अकुव्वतो, जहारिहं अरिहदेसिए मग्गे । ण हवइ पवयणभत्ती, अभत्तिमंताइआ दोसा ॥ ४५४९॥ (बृहत्कल्पभाष्य) ભાવાર્થ–પહેલા ભાગમાં (દિનચર્યામાં પચ્ચક્ખાણ પછીના કર્તવ્યમાં ભાષાન્તરના પૃ. પ૩૮-૫૩૯-૫૪૦ માં) આ પ્રમાણે કહી આવ્યા છીએ--સંયમનાં કષ્ટો સહવાં જેણે છેડી દીધાં છે, ધર્મની અપભ્રાજનાથી નહિ ડરતાં પ્રગટપણે મૂળ-ઉત્તરગુણમાં જે દૂષણે સેવે છે, તેથી તે ગુણે જેનામાં રહ્યા પણ નથી, એવા માત્ર વેશધારીને વન્દન કરવા ન કરવાના વિષયમાં શું કરવું તે માટે કહ્યું છે કે-(સ્થડિલ ભૂમિ આદિ જતાં ગામાદિની બહાર મળે તે) “સુખશાતા પૂછવી, મથએણ વંદામિ કહેવું વિગેરે વચનવ્યવહાર કર, જે તે માની હોય તે હાથ પણ જોડવા, પ્રભાવશાળી હોય તે માથું પણ નમાવવું અને પ્રભાવક હોય તે બહારથી સદભાવ પણ દેખાડે. શરીરાદિનું કુશળ પૂછવું, બહુમાન માટે ડીવાર ત્યાં ઉભા રહેવું, અને વિશેષ કારણે તે તેઓના ઉપાશ્રયે પણ જવું. ઉપરાંત જરૂર જણાય તે ભવન્દન કે અધિક લાભ માટે સંપૂર્ણ વન્દન પણ કરવું. વિશેષ કારણે પાસસ્થાદિને અરિહંત ભગવંતે કહેલા વિધિથી જે યથાયોગ્ય વન્દનાદિ કરતું નથી, તેને પ્રવચન (શાસન)ની આરાધના થતી નથી, ઉલટી શાસનની અભક્તિ વિગેરે દેશે થાય છે. હવે કયા કારણે વન્દન કરવું ? તે માટે કહ્યું છે કે " परिआय(वार) परिस पुरिसं, खेत्तं कालं च आगमं नच्चा (नाउं)। कारणजाए जाए, जहारिहं जस्स जं जोग्गं (कायव्वं)।"बृहत्कल्प भा० ४५५०॥ આને ભાવાર્થ પણે ત્યાં કહી આવ્યા છીએ કે-(ચારિત્રપર્યાય અથવા) શિષ્યાદિ પરિવાર મોટો હેય, વિનીત સાધુઓની મોટી પાર્ષદા જેની આજ્ઞામાં હય, જેનું સંઘમાં વ્યક્તિત્વ હોય, સંધકુલ–ગુણ વિગેરેની રક્ષાનાં કાર્યો જેઓને આધીન હેય, વિહારનાં ક્ષેત્રે પણ જેમને સ્વાધીન હોય (જેની અનુમતિ વિના અન્ય ક્ષેત્રમાં રહેવું શક્ય હોય), દુર્મિક્ષ વિગેરે કાળ વિષમ હોય, આગમ અન્યત્ર મળવું દુશકય હેય (બીજા ભણાવનાર ન હોય), અભ્યસ્થાન, વિનય, વન્દન, વિગેરે જે જે કરવાથી તેમની તે તે વિષયમાં સહાય મળે તે તે તેટલા પ્રમાણમાં કરવું. ઉલટમાં કારણે તેઓને વન્દન નહિ કરવાથી પ્રાયશ્ચિત્ત પણ કહ્યું છે કે – ૩ાનામિ, ફિજન્મ વો ન જન સુવિ fપા. पासत्थाईआणं, उग्घाया तस्स चत्तारि ॥" बृहत्कल्प भा० ४५४० ॥ ભાવાર્થ-ઉપર્યુક્ત કેઈ કારણ આવી પડે ત્યારે પણ જે પાસસ્થાદિને “વન્દન--અભ્યસ્થાનરૂપ બે પ્રકારે વિનય નથી કરતે તેને “ચતુર્લઘુ’ પ્રાયશ્ચિત્ત લાગે, વિગેરે સમજી લેવું. એ પ્રમાણે આહાર-વસ્ત્ર વિગેરે આપવા-લેવામાં પણ કારણોને વિચારીને વર્તવું. કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy