SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૪-જન્મકૃત્યો શ્રી જિનમંદિર કરાવવાને વિધિ ] ' ભાવથ–“લાકડું, પત્થર, ઈટો, ચુન વગેરે દલની તથા (“શબ્દથી) મંદિરની ભૂમિની પણ શુદ્ધિ-અશુદ્ધિને જાણવાને આ ઉપાય જાણવે. જેમ કે-તે વસ્તુને ખરીદ કરવા વગેરેની વિચારણા (મંત્રણ) કરતી વેળાએ, ખરીદ કરતાં, કે સ્વસ્થાને લાવતાં, ઈત્યાદિ તે તે પ્રસંગે “શુભ-અશુભ છીંક વગેરે' સારા-ખોટા શકુન (શબ્દ વગેરે) થાય, તેને અનુસાર શુદ્ધિ-અશુદ્ધિ સમજવી. તાત્પર્ય કે–તે તે પ્રસંગે શકુનાદિ સારાં થાય તે શુદ્ધિ અને ખરાબ થાય તે અશુદ્ધિ જાણવી.” શુભાશુભ શકુનનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે " गंदादि सुहो सद्दी, भरिओ कलसो य सुंदरा पुरिसा। શુકનના જ સ૩ળો, રિસદાદિ ઝરે ૩ ” (સમાપવા, ૨૧) ભાવાર્થ–“ભંભા-મૃદંગ-મઈલ-કલંબ-ઝલરી-ડુક્ક-કાંસીયા-વીણા-વાંસળી-પડહ-શંખ અને પ્રણવ” એ બાર પ્રકારનાં (માંગલિક) વાજીત્રને નંદી વાદ્ય કહેવાય છે, તેવા કેઈ વાજીંત્રને. તથા (“સાર શબ્દથી ) ઘંટા વગેરેને કઈ માંગલિક શબ્દ સંભળાય, પાણીથી ભરેલો ઘડો વગેરે જળપાત્ર કે આકૃતિ અને વસ્ત્રાદિકથી સુશોભિત ઉત્તમ પુરૂષ, ઈત્યાદિ સામું મળે કે દેખવામાં આવે, અને “યોગ એટલે તે સમયે મન-વચન-કાયાની ચેષ્ટાઓ શુભ હય, અથવા બીજી રીતિએ “ગ” એટલે વાર-તિથિ-ચંદ્રબળ-નક્ષત્ર-ચોગ-કરણ વગેરે જાતિવની પંચાંગશુદ્ધિ હોય, અથવા શુભ સંબંધ વગેરે થાય, ઈત્યાદિ યોગ્ય શુભ હોય, તે તે “શુભ શકુનો”ઈટકાર્યની સિદ્ધિનાં સૂચક જાણવાં અને “આક્રદ વગેરે” જે કેઈના રડવાને કે કલહ વગેરેને દુષ્ટ અવાજ આદિ સાંભળવામાં આવે કે કેઈ નિષેધ (નકારા) કરે, વગેરે થાય, તે તે અપશકુને-ઇષ્ટકાર્યનાં વિઘાતક નિમિત્તે જાણવાં.” પડશકમાં પણ કહ્યું છે કે " दापि च शुद्धमिह, यन्नानीतं देवताग्रुपवनादेः। मगुणं सारवदभिनव-मुच्चैर्ग्रन्ध्यादिरहितं च ॥८॥" " सर्वत्र शकुनपूर्व, ग्रहमादावत्र वर्तितव्यमिति । પૂછાદ્ધિ-ચિત્તોસાફાનુ રાશનઃ II” ( ૬) ભાવાર્થ-“શ્રી જિનમંદિર કરાવવામાં કાષ્ટ વગેરે પણ તે શુદ્ધ જાણવું, કે જ્યાં કોઈ વ્યંતરી વગેરે દેવી અધિષ્ઠાત્રી હોય કે કોઈ વ્યંતર વગેરે દેવ અધિષ્ટાતા હોય તેવા વનની પાસેનું, અગર કોઈ તિર્યંચ કે મનુષ્યની માલિકીવાળાં જંગલમાંથી ન લાવ્યા હોય, મજબૂત હેય, જિર્ણ ન હોય, નવું હોય, ઉત્તમ જાતિનું હોય અને ગાંઠે વગેરે દૂષણે વિનાનું હોય, તે લાકડાં વગેરે લાવવાં ઈત્યાદિ મંદિરનાં સઘળાં કાર્યો શુભ શકુન પૂર્વક કરવાં, અર્થાત તે તે વસ્તુઓ ગ્રહણ કરવી–લાવવી–ખરીદવી વગેરે સઘળું શુભ શકુનમાં કરવું. શકુનેમાં પણ પાણી’થી પૂર્ણ ભરેલે ઘડો વગેરે જળપાત્ર કે દહીં, ધ, અક્ષત, વગેરે મળે, તે બાહ્ય શકુને જાણવાં અને મનને ઉત્સાહ આદિ અત્યંતર શકુન જાણવાં તેમાં બાહ્ય શકુને પણ મનને જે ઉત્સાહ હોય તે પ્રમાણે સફલ થાય છે.” એ ભૂમિશુદ્ધિ અને દલશુદ્ધિનું સ્વરૂપ કહ્યું હવે– મંદિરનું કામ કરનારા નોકરોને ઠગવા નહિ, તેને અંગે કહ્યું છે કે " फारवणेऽविअ तस्सिह, भितगाणविसंधणं ण कायब्बं । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy