SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ કે-ગ્રંથકારશ્રીએ આ ગ્રંથમાં પ્રાચીન અનેક શાસ્ત્રોના સારને સંગ્રહ કરેલા છે. જો કે તે દરેક શાસ્ત્રાનાં પૂરાં નામેા અમે મેળવી શકયા નથી, તે! પણ લગભગ એક સે। પચીસ જેટલાં નામે ગ્રંથની શરૂઆતમાં આપેલાં છે, તે જોતાં જણાશે કે-આ ગ્રંથ, પચીસ સદીઓ પૂર્વે થયેલા શ્રી ગણધરભગવંતેાથી માંડીને ગ્રંથકારશ્રીના સમય સુધીમાં થયેલા અનેક શાસ્ત્રકારાનાં વચનાના એક અતિ સુન્દર ખજાના છે. અલખત્ત ! તેમાં નવીન કશું નથી અને હાઈ શકે પણ નહિ, કારણ કે-જૂદ શ્રી તીર્થંકરદેવા પણ જગતનું જે વૈકાલિક સ્વરૂપ છે તેને જ જગતની સામે યથાસ્વરૂપે રજુ કરે છે, એ જ અને શ્રી ગણધરદેવા ગ્રંથ રૂપે ગુથે છે અને તેમાંથી જ ઉદ્ધરીને તે પછીના ગ્રંથકારા તેને વિશદ સ્વરૂપમાં સકલિત કરે છે. આથી આ ગ્રંથ પ્રાચીન શાસ્ત્રવચનાના ખજાનારુપે લગભગ ત્રણ સદીઓ પૂર્વે રચાયેલા ડાવા છતાં, તેની વાસ્તવિક પ્રાચીનતા છે એ સ્પષ્ટ સમજાય છે. ઉપર જણાવ્યા પ્રમાણેની પ્રાચીનતા જ માત્ર ગ્રંથની વિશિષ્ટતા નથી, કિન્તુ ‘યોગાસ્તત્ર દુલ્હેમ’ એ ઉક્તિને અનુસાર ગ્રંથકારશ્રીએ ભિન્ન ભિન્ન શાસ્ત્રાધારો મૂળરુપમાં જ ટાંકીને, ‘ઉત્સગ -અપવાદ કે નિશ્ચય-વ્યવહાર' વગેરે ભિન્ન ભિન્ન દષ્ટિને પારસ્પરિક સંબધ અખંડ રહે તેવા પ્રકારની દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરૂષ’ વગેરે અનેક અપેક્ષાઓને અનુસરતી જે વ્યાખ્યા-સકલના કરી છે, તે આ ગ્ર ંથની ખાસ વિશિષ્ટતા છે. ગ્રંથના અભ્યાસ કરતાં સ્પષ્ટ સમજાય તેવું છે કે-થકારશ્રી સ્વયં શાસ્ત્રરહસ્યાના પારગામી છે, તેઓશ્રીમાં જ્ઞાનની સુંદર પ્રતિભા છે, તથાપિ પાતાની રચનામાં જરાય દોષ ન રહી જાય તે માટે પોતાના સમકાલીન પૂ. ન્યાયવિશારદ-ન્યાયાચાય -ઉપાધ્યાયજી શ્રીમદ્ યશાવિજયજી મહારાજ દ્વારા આ ગ્રન્થની શુદ્ધિ કરાવી છે. પૂ. ઉપા મહારાજે પણ આખાય ગ્રંથને શુદ્ધ કરવા ઉપરાન્ત કેટલાક જરૂરી વધારા દ્વારા શણગારીને ગ્રંથને પાતાની મહારછાપ મારી છે, તે તેની બીજી વિશિષ્ટતા છે. જે સંસ્કૃત પ્રતિના આધારે આ ભાષાનુવાદ લખવામાં આવ્યે છે, તેના સમ્પાદક આગમોદ્ધારક પૂ. આચાર્ય શ્રી સાગરાન દસૂરિજી મહારાજે પણ પોતાની પ્રસ્તાવનામાં આ ગ્રંથને ગ્રંથરાજ' તરીકે વધાવ્યા છે. તેથીય આગળ વધીએ તે ગ્રંથરચનાની અર્જુચીનતા એ પણ એક વિશિષ્ટતા જ છે, અર્વાચીન હાવાથી જ પ્રાચીન ગ્રંથકારાના સેંકડો ગ્રંથાના હાઈના તેમાં સંગ્રહુ કરી શકાય છે. આમ વિશિષ્ટતા અનેક પ્રકારની હાવા છતાં, તેના સાચા ખ્યાલ તે ગ્રંથના યથાસ્વરૂપ અભ્યાસ કરનારને જ આવી શકે. આખાય ગ્રંથમાં આત્મગુણ્ણાના વિકાસ કયા ક્રમથી અને કયા સાધનોથી કરી શકાય, તેનુ સહજ સમજી શકાય તેવું સરળ છતાં સ્પષ્ટ નિરૂપણ છે; આઢિયામિ કતાથી માંડીને મહાશ્રાવકપણાને પ્રાપ્ત કરવાનું સરલ માદેન છે. જેને લૈાકિક ગુણેા કહેવાય છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy