________________ 5. પૂ આ. શ્રી. કેલાસસાગરસૂરિશ્વરજી ગ્રંથમાળા નં. 1 5. 5. તારક ગુરુદેવ શ્રી કલાસસાગરસૂરિશ્વરજી મ.સા.ને અસીમ ઉપકાર અને અસીમ આશીષથી. . એ ઉપકારીના ઉપકારની સ્મૃતિમાં એક ગ્રંથમાળા ચલાવવાનું ઘણા સમયથી મારા મનમાં રમ્યા કરતું હતું કે પૂજ્યશ્રીની કાયમ માટેની સ્મૃતિ રહ્યા કરે અને સુંદર અને દરેકને ઉપયોગી થઈ પડે તેવાં પુસ્તકોનું પ્રકાશન કરાવવું. એ શુભ ભાવના અને સંક્તિથી આ ગ્રંથમાળા ચાલુ કરવા પ્રેરાયો છું. , આ ગ્રંથમાળાનું નામ પ. પૂ. આ. શ્રી. કૈલાસસાગરસૂરિશ્વરજી ગ્રંથમાળા રાખવામાં આવ્યું છે. આ ગ્રંથમાળાનું પ. પૂ. આ. શ્રી હેમચંદ્રાચાર્ય પ્રણિત પ્રાકૃતવ્યાકરણના મૂળ સૂત્રોનું તથા મૂલ લેક સાથે પરમહંત મહાકવિ ધનપાલ વિરચિતા પાઈઅણુછી નામમાલા પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી શબ્દકોશ સાથે પુસ્તક પ્રકાશિત કરવામાં આવે છે જે જ્ઞાનપીપાસુ મુમુક્ષેને ઉગી નીવડશે. જેથી સમ્યજ્ઞાનની અભિવૃદ્ધિ થયા કરે એ જ શુભ ભાવના. આ ગ્રંથમાળા વતી ન્યાયવતાર ઉ. યશોવિજયજી મ.સા. તથા બીજા પણ અનેકપૂર્વ મહાપુરુષ રચિત ગ્રંથ ભાવમાં પ્રકાશન કરવાની ભાવના છે. ગ્રંથમાળાનું આ પ્રથમ પુસ્તક સ્વ-પર-કલ્યાણકારી થાઓ એ જ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના. - સંયમસાગર વૈશાખ સુદ 13 ને બુધવાર, ૨૦જર દહેગામ.