________________ સંસ્કૃત બીજી ચોપડી પરસ્મપદ 3. એકવચનના પ્રત્યય વિકારક છે. અપવાદ-વિધ્યથના એકવચનના પ્રત્યયો અને આજ્ઞાર્થના બીન પુરુષને એકવચનને પ્રત્યય વિકારક નથી. 4. દિવચન અને બહુવચનના પ્રત્યયો અવિકારક છે. અપવાદ-આજ્ઞાર્થમાં પહેલા પુરુષના દ્વિવચન અને બહુવચનના પ્રત્યયો અવિકારક નથી. આ પ્રમાણે વર્તમાનકાળ અને હ્યસ્તનભૂતકાળના બધા પુરુષોના એકવચનના પ્રત્યયે, આજ્ઞાર્થ પહેલા પુરુષના બધાં વચનના પ્રત્યયો અને ત્રીજો પુરુષને એકવચનને પ્રત્યય એટલા વિકારક છે, અને બાકીના અવિકારક છે. આભને પદ 5. બધા પ્રત્યયો અવિકારક છે.' અપવાદ -આજ્ઞાર્થ ના પહેલા પુરુષના પ્રત્યયો અવિકારક નથી 6 વિકારક પ્રત્યયો પૂવે રૂપના અન્ય સ્વર અને ઉપાન્ય હસ્વ સ્વરને ગુણ છે વર્તમાનકાળ 7. ગણના બીજા વિભાગના વર્તમાનકાળના પરપદ પ્રત્યયો પહેલા વિભાગના વતમાનના જેવા જ છે, પણ આમને પદ પ્રત્યમાંના કેટલાકમાં નીચેના ફેરફાર થાય છે. (1) માર્ગો પદેશિકામાં આપેલા આત્મને પદ પ્રત્યયોમાંના કેટલાકમાં છે તેને ઠેકાણે આ મુકાય છે. (2) પહેલા પુરુષના એકવચનને પ્રત્યય aa છે. (3) ત્રીજા પુરુષના બહુવચનમાં - ને લોપ થાય છે. એટલે પ્રત્યે નીચે પ્રમાણે છે.