________________ વપરાતે હેય તે જનપદ સત્ય, લોકરૂઢિથી સર્વજની જે માન્યતા હેય, જેમકે કાદવમાં ઉત્પન્ન થાય તે પંકજ-કમળ કહેવાય, પણ દેડકા વિગેરે પંકજ ન કહેવાય, તે સંમત સત્ય 2, સ્થાપના સત્ય એટલે પ્રતિમા વિગેરે 3, કુળની વૃદ્ધિ કરનાર ન હોય છતાં કેઈનું નામ કુળવર્ધન પાડ્યું હોય તે તે નામ સત્ય 4, સાધુ વિગેરેને વેષ ધારણ કર્યો હોય અને તેવા પ્રકારના તેનામાં આચાર હોય કે ન હોય છતાં તેને સાધુ કહે તે રૂપસત્ય 5. નાનું મોટું, પિતા પુત્ર વિગેરે પરસ્પરને આશ્રીને કહેવાય છે, જેમકે અનામિકા આંગળી ટચલી આંગળીની અપેક્ષાએ મેંટી છે અને વચલી આંગળીને આશ્રીને નાની છે. એક જ પુરૂષ પિતાના પુત્રની અપેક્ષાએ પિતા છે અને પિતાના પિતાની અપેક્ષાએ પુત્ર પણ છે, તે પ્રતીત્યસત્ય ૬વ્યવહારમાં અનુદરા કન્યા કહેવાય છે, અનુદાને અર્થ પેટ વિનાની એવો થાય પણ વ્યવહારમાં ગર્ભવિનાની હોય તેને જ અનુદરા કહેવાય છે, તે વ્યવહાર સત્ય 7, બગલામાં વેત વર્ણ વધારે છે અને બીજા વર્ણ ઘણા જ અલ્પ છે તેથી તેને હેત કહેવો એ ભાવ સત્ય 8, પાસે દંડ (લાકડી) રાખવાથી તે માણસ દંડી કહેવાય અથવા છત્ર ધારણ કરવાથી તે માણસ છત્રી કહેવાય વિગેરે કઈ વસ્તુના વેગને લીધે તે વસ્તુવાળે પોતે પણ તે કહેવાય તે યોગ સત્ય 9 તથા તળાવને સમુદ્ર સમાન કહેવું તે ઉપમા સત્ય ૧આ રીતે સત્યના દશ પ્રકાર છે, 15, 103 અસત્ય બેલવાનાં દશ કારણે. कोहे १माणे २माया 3, लोभे 4 पिजे 5 तहेव दोसे 6 य हास 7 भय८ अक्खाइय 9, _ उवघाए 10 निस्सिया दसमा // 160 // ક્રોધ 1, માન, માયા 3, લેભ છે, પ્રેમ-રાગ 5, ષ 6, હાસ્ય-મશ્કરી 7, ભય 8, અવર્ણવાદ-ખાટું આળ 9 અને ઉપઘાત-આઘાત ૧૦-આ દશ કારણને લીધે અસત્ય બોલાય છે. (આ દશે પ્રકાર ત્યાગ કરવા લાયક છે.) 160