SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ (2) મનાં પાપ દૂર થાય છે, એક પદ-શબ્દ ગુણવાથી પચાસ સાગરોપમનાં પાપ નાશ પામે છે, અને સમગ્ર–આ મંત્ર ગુણવાથી પાંચ સાગરોપમનું પાપ નષ્ટ થાય છે, અર્થાત એટલા સાગરેપમ સુધી નરકતિર્યંચાદિ ગતિમાં પાપ ભગવતાં જેટલાં પાપ નષ્ટ થાય તેટલા એક અક્ષર વિગેરેથી ક્ષય પામે છે. 2 जो गुणइ लक्खमेगं, पूएइ विहीए जिणनमुक्कार। तित्थयरनामगो, सो पावइ सासयं ठाणं. // 3 // અર્થ-જે પ્રાણુ આ જિનેશ્વરના (પંચપરમેષ્ઠિના) નવકાર મંત્રને એક લાખ વાર ગુણે-એ મંત્રને લક્ષ જાપ કરે, તથા વિધિથી તેની પૂજા કરે, તે પ્રાણું તીર્થકર નામગાત્રકર્મ ઉપાર્જન કરી પ્રાંતિ શાશ્વત સ્થાન (મેક્ષ)ને પામે છે. આ તેનું ઉત્કૃષ્ટ ફળ છે. 3 अद्वैव य अट्ठ सया, अट्ठ सहस्सं च अट्ट कोडीओ। जो गुणइ नमुक्कारं, सो तइयभवे लहइ मुक्खं // 4 // અર્થ-જે મનુષ્ય આઠ કરોડ આઠ હજાર આઠસો ને આઠવાર આ નવકાર મંત્રને ગણે (જાપ કરે તે) ત્રીજે ભવે મોક્ષને પામે છે. (ઉપરની ગાથા સાથે આ ગાથાનો વિરોધ નથી. કારણકે તેમાં જુદી રીતે ફળ બતાવ્યું છે. આમાં જુદી રીતે બતાવ્યું છે.) 4 जं छम्मासिय-वरिसिय,-तवेण विवेण जिज्झए पावं। नवकार अणाणुपुबी, गुणणेण तह खणद्धेण // 5 // અર્થ– છ માસના અને બાર માસના તીવ્ર તપવડે જે પાપ ક્ષીણ થાય છે, તે પાપ આ નવકારમંત્રને અનાનુપૂવએ ગુણવાથી અર્ધ ક્ષણવડે ક્ષીણ થાય છે. (અનાનુપૂવ છાપેલી તેમજે કપડા પર લખેલી હોય છે તે ગણવામાં ચિત્તની એકાગ્રતા થાય છે તેથી તેનું ફળ વિશેષ થાય છે. )
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy