________________ 211) તે સર્વે નટામાં મુખ્ય થયો. એકદા નિષેધ કર્યા છતાં તે બન્ને પુત્રીઓ પતિની હાજરી નહીં હોવાથી મદિરાપાન કરી મદન્મત્ત બની માળ ઉપર બેભાનપણે સુતી હતી. તેવામાં અકસ્માત અષાઢભૂતિ ત્યાં આવ્યો. તેમને તેવી બીભત્સ અવસ્થાવાળી જોઈ તેને ઉત્કટ વૈરાગ્ય થયે. તેથી તે ત્યાંથી નીકળી ગયો. પરંતુ તે વૃત્તાંત જાણવામાં આવવાથી વિશ્વકર્માએ તે બંને પુત્રીઓને શીખવી તેની પાછળ મોકલી. તે બંનેએ ઘણું આજીજી કરી. છેવટ અષાઢભૂતિએ તેમનું વચન માન્યું નહીં. ત્યારે તેઓએ પિતાની આજીવિકાનું સાધન માગ્યું. તેથી દયાને લીધે અષાઢભૂતિ પાછા વળ્યા અને ભરત ચક્રવતીના ચરિત્રને પ્રકાશ કરનારૂં રાષ્ટ્ર પાળ નામનું નાટક રચી સિંહરથ રાજા પાસેથી ભૂષણાદિકવડે સુશોભિત પાંચસે ક્ષત્રિય લઈ તેમને નાટકના પાઠ શીખવ્યા, પછી તે અદ્દભુત નાટક સિંહરથ રાજા પાસે ભજવી બતાવ્યું. તેમાં તેને પુષ્કળ ધન ઈનામ તરીકે મળ્યું. તે સર્વે તેણે તે બંને સ્ત્રીઓને આપ્યું. નાટકને અંતે તે પાંચસે રાજપુત્રો સહિત અષાઢભૂતિએ ગુરૂ પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી, ઈત્યાદિ. આ માયાપિંડ ઉપર દૃષ્ટાંત જાણવું 4 ચંપાનગરીમાં સુવ્રત નામના સાધુ હતા. એકદા તે નગરીમાં મોદકનું પર્વ આવ્યું. તે દિવસે તે સાધુએ વિચાર કર્યો કે “આજે મારે સિંહકેસરીઆ મેદક જ વહેરવા, બીજું કાંઈ લેવું નહીં, 9 એમ વિચારી તે ભિક્ષાને માટે અટન કરવા લાગ્યા. પરંતુ અઢી પર સુધી અટન કર્યા છતાં પણ તેને સિંહકેસરીઆ માદક મળ્યા નહીં. તેથી તેનું ચિત્ત વિકળ થયું, તેથી જેના ગૃહદ્વારમાં પ્રવેશ કરે ત્યાં ધર્મલાભને બદલે સિંહકેસરીઆ એવો શબ્દ બાલવા લાગ્યા. એ રીતે આખો દિવસ અને રાત્રિના પણ બે પહોર સુધી તેણે અટન કર્યું, પણ મોદક મળ્યા નહીં. તેવામાં તે એક શ્રાવકના ઘરમાં પેઠા અને ધર્મલાભને ઠેકાણે સિંહકેસરીઆ એ શબ્દ બોલ્યા, તે સાંભળી ગૃહપણ શ્રાવક શાસ્ત્રમાં પ્રવીણ અને ડાહ્યો હોવાથી તેણે વિચાર્યું કે “આ સાધુને ઇચ્છિત સિંહકેસરીઆ મોદક મળ્યા નથી, તેથી તેનું ચિત્ત વિકળ થયું જણાય છે. એમ