________________ (191) આગ્રહ તે આભિગ્રહિક મિથ્યાત્વ-અહીં શિષ્ય શંકા કરે છે કે આ વ્યાખ્યા પ્રમાણે જૈનમતને આગ્રહ તે આભિગ્રહિક ખરૂં કે નહીં? " ગુરૂ કહે છે કે- જૈન મતમાં આગ્રહને સ્થાન જ નથી, જૈન શાસ્ત્રો તે કહે છે કે નિર્દોષ એવા દેવ ગુરૂ ધર્મ જે શાસ્ત્રમાં બતાવ્યા હોય તે શાસ્ત્ર અને તે ધર્મ અમારે પ્રમાણ છે. જૈન શબ્દનો આગ્રહ નથી. પરંતુ એવું એ ત્રણ તત્ત્વનું સર્વથા નિર્દોષ સ્વરૂપ જેનશાસ્ત્રમાં જ જોવામાં આવે છે તેથી અમે તેને ગ્રહણ કરેલ છે. 2 અનાભિગ્રહિક-તે સર્વ મત સારા છે, કેઈની નિંદા કરીએ નહીં અને કેઈની સ્તુતિ પણ કરીએ નહીં આ મિથ્યાત્વ એટલા માટે છે કે તેણે તો ગાળ ખળને સરખા માન્યા, જે ધર્મ હિંસામાં, કન્યાદાનમાં, સંસારમાં લાગ્યા રહેવામાં ધર્મ કહે તે વાસ્તવિક ધર્મ હઈ શકે નહીં. માટે સર્વને સરખા ન માનતાં તેમાં સત્યાસત્યની પરીક્ષા કરવી જોઈએ, 3 આભિનિવેશિક ધર્મનું સાચું સ્વરૂપ જાણ્યા છતાં દુરાગ્રહથી પોતાનું માનેલું છોડી શકે નહીં તે, આ મિથ્યાત્વ બહુજ ચીકણું છે. ઘણું ભવભ્રમણ કરાવનાર છે. 4 સશયિક-જે તે બાબતમાં શંકા કર્યા કરે-શંકા વત્યા કરે. શંકા બે પ્રકારની હોય છે. એક તો સત્ય જાણવાની જીજ્ઞાસારૂપ શંકા તે સ્વીકાર્ય છે; બીજી અમુક બાબત પિતાને ન સમજાણું-અંધ ન બેઠી એટલે બીજું બધું તો સાચું કહ્યું છે પણ આ એક વાત તો બરાબર કહી નથી-એવી શંકાને પ્રાયે નિહુવાદિકને હોય છે. એ અનાગિકતે આવ્યક્તપણે એકિયાદિક છાને હોય છે. આ તો અનિવાર્ય છે. તેનું નિવારણ તો જીવ સંજ્ઞીપણું પામ્યા પછી જ અમુક કાળે થઈ શકે છે. ઇતિ, - ર૯ પાંચ પ્રકારનું સમકિત. एसि सद्दहणेणं, सम्मत्तं तं च होइ पंचविहं / .... क्यग 1 खवग 2 उपसम 3, રોયનકાહ લિપ સત્તા 1 કટછા