SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ (150) अपुठवनाणग्गहणं 18, सुअभत्ती 19 पवयणे पभावणया 20 / एएहिं कारणेहिं, तित्थयरत्तं लहइ जीवो // 373 // અરિહંત 1, સિદ્ધ 2, પ્રવચન (જૈનશાસન) 3 ગુરૂ (આચાર્ય) 4, સ્થવિર 5, બહુશ્રુત (ઉપાધ્યાય) 6 અને તપસ્વી (સર્વ સાધુ) ૭-આ સાતની વત્સલતા-સેવાભક્તિ કરવી, નિરંતર જ્ઞાનનો ઉપગ રાખ 8, દર્શન-સમકિતનું આરાધન કરવું , દશ પ્રકારે વિનય કર 10, છ આવશ્યક કરવાં 11, શીલત્રત અખંડ પાળવું 12, સાધુ વ્યાપાર એટલે ક્રિયા કરવી 13, ક્ષણલવ એટલે અનેક પ્રકારને તપ કરે 14, ગૌતમપદની પૂજા કરવી 15, વૈયાવચ્ચ કરવી 16, સમાધિ-ચિત્તની એકાગ્રતા રાખવી 17, અપૂર્વ–નવું નવું જ્ઞાન દરજ ગ્રહણ કરવું 18, શ્રતની ભક્તિ કરવી 19 તથા પ્રવચનની-સંઘની પ્રભાવના કરવી ર–આ વીશ કારણે (સ્થાને) વડે જીવ તીર્થંકરપણાને પામે છે. * 331-37-373, . 239 કયા તીર્થકરે કેટલાં સ્થાને આરાધ્યાં હતાં? पढमेण पच्छिमेण य, एए सव्वे हि(वि)फासिया ठाणा। मज्झिमगेहि जिणेहिं, एगो दो तिन्नि सव्वे वि // 374 // પહેલા ઋષભદેવ તીર્થકરે અને છેલ્લા વર્ધમાન સ્વામીએ આ સર્વે (વીશ) સ્થાને સ્પર્ધા (આરાધ્યા) હતા; મધ્યમના બાવીશ જિનેશ્વરોએ કેઈએ એક, કેઇએ બે, કેઇએ ત્રણ અને કેઇએ સર્વ સ્થાને આરાધ્યા હતા. 374, ( 11 માનું બીજું નામ ચારિત્રપદ્ર છે. 13 માનું બીજું નામ શુભ ધ્યાનપદ છે. 15 મા પદનું બીજું નામ સુપાત્રદાન પદ . 16 મા પદનું બીજું નામ વીશ વિહરમાન જિનપદ છે. 17 મા પદનું બીજું નામ સંયમપદ છે ને સંઘભક્તિપદ પણ છે. ૨૦મા પદનું બીજું નામ તીર્થપદ પણ છે.
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy