________________ (15) (મુનિ વે) સિદ્ધ થયા 7 અને ચંદના આર્યા વિગેરે સ્ત્રીલિંગે સિદ્ધ થયા 8 કહેવાય છે. ગૌતમ વિગેરે પુરૂષલિંગે સિદ્ધ થયા 9, ગાંગેય વિગેરે (કૃત) નપુંસકલિંને સિદ્ધ થયા 10, કરકં વિગેરે પ્રત્યેકબુદ્ધ સિદ્ધ થયા 11, કપિલાદિક સ્વયંબુદ્ધ સિદ્ધ થયા 12, એમ કહેલ છે. ગુરૂએ પ્રતિબોધ પમાડેલા અનેક પ્રકારના સિદ્ધ થયા તે બુદ્ધબોધિત સિદ્ધ કહેવાય છે 13, એક સમયે એક જીવ સિદ્ધિ પદને પામે તે એક સિદ્ધ કહેવાય છે 14, તથા એક સમયે અનેક જીવો સિદ્ધ થાય તે અનેક સિદ્ધ કહેવાય છે. 15, 253-254-255-256 ર૩૧ પંચપરમેષ્ટીના ગુણોની સંખ્યા. बारसगुण अरिहंता, सिद्धा अठेव सूरि छत्तीसं / उवझाया पणवीसं, साहूणो सत्तवीसा य // 357 // અરિહંતના બાર ગુણ, સિદ્ધના આઠ ગુણ, આચાર્યના છત્રીશ ગુણ, ઉપાધ્યાયના પચીશ ગુણ અને સાધુના સતાવીશ ગુણ કહ્યા છે. કુલ પંચપરમેષ્ટીના એકસો ને આઠ ગુણ થાય છે. ક૫૭. (આ ગુણનું વિવરણ અન્યત્ર ઘણે સ્થાનકે આવતું હોવાથી અહીં વિવરીને બતાવેલ નથી. ) - : ર૩ર દીક્ષાને અગ્ય પુરૂષાદિકના પ્રકારની સંખ્યા अट्ठारस पुरिसेसु, वीस इत्थीसु दस नपुंसेसु / जिणपडिकुछत्ति तओ, पव्वाविउं न कप्पंति // 358 // પુરૂષને વિષે અઢાર પ્રકારના પુરૂષ, સીઓને વિષે વીશ પ્રકારની સ્ત્રીઓ અને નપુંસકને વિષે દશ પ્રકારના નપુંસકે જિને ધરેએ નિષિદ્ધ કરેલ છે, તેથી તેઓ દીક્ષા આપવાને યોગ્ય નથી, 358. (આનું વર્ણન પ્રવચનસારોદ્ધારાદિકથી જાણવું.) * 1 આ ગાંગેય તે ભીષ્મપિતા નહીં, કેમકે તે તો દેવલેકે ગયા છે તેથી તે બીજા પાર્શ્વનાથના શિષ્યમાંથી જણાય છે. * * * *