SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ (13) * વિવેચન સહિત પ્રશ્નોત્તર, * અહીં નીચેની વ્યાખ્યા પ્રમાણે પ્રદેશી રાજાએ પ્રશ્ન પૂછયા, તેના ઉત્તરકેશીકરણુકત સહિત આવ્યા તે આ પ્રમાણે પ્રશ્ન ૧–તમારા મત પ્રમાણે મારા દાદા અધર્મી હતા તે નકે જવા જોઈએ, જે તે નરકે ગયા હોય તો મારા પર તેની ઘણું પ્રીતિ હતી તેથી મને આવીને પાપ કરવાનો નિષેધ કેમ ન કરે? ઉત્તર ૧–તમારી પોતાની રાણુને કદાચ કેઈજાર પુરૂષ સાથે દુરાચાર કરતી તમે જોઈ હોય, તો તમે તે જાર પુરૂષને તરત જ કેદ કરી દેહાંતદંડની શિક્ષા કરો. તે વખત તે કદાચ પોતાના પ્રિય કુટુંબને આવું નિંદ્ય કર્મ ન કરવા બાબત ઉપદેશ આપવા જવાને છે તે તમે તેને જવાની રજા આપે ખરા? ન જ આવે, તે જ પ્રમાણે નારકીના જીવો પરાધીન હેવાથી ઈચ્છતા હોય તોપણ અહીં આવી શકતા નથી. પ્રશ્ન –મારી દાદી જૈનધર્મી હતી. તે તમારા મત પ્રમાણે સ્વર્ગ જવી જોઈએ. તેને હું અત્યંત વલ્લભ હતો તેથી તે અહીં આવીને મને ધર્મમાર્ગો કેમ ન પ્રવર્તાવે? ઉત્તર –હે રાજા! તમે પોતે સ્નાન કરી સર્વ શૃંગાર સજી દેવપૂજા કરવા જતા હે અથવા અધાદિકપર આરૂઢ થઈ ફરવા જતા હે, તે વખતે તમને કઈ પોતાના અશુચિ સ્થાનમાં આવવા કહે અથવા અશુચિ (વિષા) ની કેટડીમાં શેકીવાર બેસવાનું કે સુવાનું કહે, તો તમે તેમ કરે ખરા? ના, અશુચિમાં ન જ જાઓ. તેમ સ્વર્ગમાં દિવ્ય શરીરને ધારણ કરનારા દેવો અશુચિના સ્થાન સમાન આ મનુષ્યલોકમાં આવે નહીં, પ્રશ્ન ૩–એક ચોરને મેં લોઢાની કુંભીમાં નાંખ્યો હતો. તે કુંભી મજબૂત રીતે બંધ કરી હતી. વાયુનો પ્રચાર પણ તેમાં થો નહીં. કેટલેક કાળે તે કભી જોઈ તે તેમાં રહેલે ચોર જીવ રહિત હતા તેથી જો જીવ ગયું હોય તો કુંભીને છિદ્ર પડ્યા સિવાય તેમાં રહેલે જીવ બહાર શી રીતે નીકળ્યું?
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy