SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ( 8 ) કંઈ અવશેષ નથી. આત્માની જ્ઞાનાદિક અખંડ સંપત્તિ પ્રાપ્ત કરી ભવ્યાત્માએ બાહ્ય સંપત્તિઓથી નિ:સ્પૃહ બને છે. દેવેંદ્ર અને ચક્રવત્તીઓથી પણ તેઓ અધિક સુખી હોય છે. (નિ:સ્પૃદય તૃણવત્ નમાલતે) નિઃસ્પૃહતાનું મૂળ કારણ આત્મભાવના છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રયુક્ત હું આત્મા અદ્વિતીયએક છું, પુલભાવથી ભિન્ન છું, નિશ્ચયનયંથી અને સંગ્રહનયની અપેક્ષાએ હું શુદ્ધ છું, બુદ્ધ છું અને પરિપૂર્ણ છું. હારૂં શુદ્ધ સ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય છે, નિશ્ચયનયે વિપાક કર્મથી જુદો છું, હું અસંખ્યાત પ્રદેશી આત્મા છું. કાયા માયા આદિ વિનશ્વર ધર્મોથી અલગ છું. હું સ્ત્રી પુરૂષ અને નપુંસક વેદ રહિત-અવેદી છું. વળી હું અરૂપી, અમૂર્ત અવિનાશી અને અખંડ જ્યોતિ સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત છું. તેમ જ શુદ્ધ બ્રહ્મ રૂપ છું છતાં હું અનાદિ કાળથી મિથ્યા પ્રવૃત્તિને લીધે વ્યવહારથી દુઃખ જોગવું છું, મહારા જન્મમરણનું કારણ તો અજ્ઞાનતા છે, અજ્ઞાનતાથી કરેલાં કર્મો અજ્ઞાનતાએ ભેગવ્યાં તેથી સંસાર વધાર્યો. મહેં મહારી ભૂલ જાણી નહીં તેથી દુઃખના પ્રસંગે ભેગવ્યા. જ્ઞાનની બલિહારી છે, કહ્યું છે કે– જ્ઞાન સમાન ધન નહીં, સમતા સમું નહીં સુખ - જીવન સમી આશા નહીં, લેભ સમું નહીં દુઃખ. 1 - જ્ઞાની પુરૂષોશ્વાસે શ્વાસમાં કઠિન કર્મોને નાશ કરે છે,નિશ્ચયથી હું અક્રોધી, અમાની, અમાયી, અલોભી, અષી, અખેદી, અછેદી, અભેદી એ સિદ્ધ સ્વરૂપ છું, જ્ઞાનિ પુરૂએ સત્તાએ આત્માને સિદ્ધ સમાન કહ્યો છે. જ્યારે તેવા ભાવને જાણ કર્મવિપાકથી અલગ થઈશ ત્યારે તેવા ગુણ પ્રગટ થશે. માટે કર્મનું સ્વરૂપ
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy