________________ स्वाध्याय “શ્રતરત્નરત્નાકર” નામે આ ગ્રન્થમાં નાના મોટા દશ ગ્રન્થને સંગ્રહ છે. વિશાળ મૃત સાગરમાંથી વૈરાગ્યને પુષ્ટિ આપે–આત્માને સ્પર્શી જાય એવા આ ગ્રન્થ વીણું વીણીને અત્રે આપવામાં આવ્યા છે. આજે પણ અનેક ભવ્ય આત્માઓ આ ગ્રન્થને નિયમિત સ્વાધ્યાય કરતા હોય છે. મૂળમાત્ર પણ મંત્રાલરમય આ ગ્રન્થનું વાચન-પઠનજીવને ચડેલું મેહવિષ દૂર કરવાનું અદ્ભુત સામર્થ્ય ધરાવે છે ને તે અનુભૂતિ અનેકને થયેલી છે. આર્યાવર્તમાં એક વ્યાપક ઉક્તિ પ્રચલિત છે "स्वाध्याय प्रवचनाभ्यां न प्रमदयितव्यम्" સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ ન કરે. અર્થાત્ સતત સ્વાધ્યાય અને પ્રવચનમાં રત રહેવું. આત્માનું જેમને થોડું પણ લાગેવળગે છે તેઓ ઉપરનું કથન બરાબર સમજીને આચરતા હોય છે. જેઓને આત્મા સાથે લાગતુંવળગતું નથી તેઓ પણ ઉપરના કથનમાં ડું પરાવર્તન અર્થથી અને શબ્દથી કરીને અનુસરતા હોય છે. સ્વાધ્યાયને અર્થ–સ્વ એટલે પિત–પિતાનું, જ્ઞાતિ અને ધન એમ ચાર છે તેમાં ધન આદિ પિતાને બાહ્ય સ્વાર્થ સાધવામાં અધિક કાય થાય તેમ કરવું એ કરે છે ને તેમાં પ્રમાદ ન કર