SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 17 બીજુ શ્લોક નં. ૫૮માં પૂ. ઉપાધ્યાયજી મ.સા.ના પંડિત તરીકેના ઉલ્લેખથી ત્યારે પૂ. ઉપાધ્યાયજી મ.સા. પંન્યાસપદે બિરાજમાન હતા તેવી સ્પષ્ટતા થઈ શકે છે અને શ્લોક નં. ર૭માં સ્વકૃત શાસ્ત્રવાર્તા સમુચ્ચયના વ્યાખ્યાનનો (સ્યાદ્વાદ કલ્પલતાનો) ઉલ્લેખ કર્યો છે તેના ઉપરથી અધ્યાત્મમત પરીક્ષા, સ્વાવાદ રહસ્ય, જ્ઞાનાર્ણવ, ન્યાયાલોક, શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવ, વાદમાલા, નયરહસ્ય, ભાષારહસ્ય વગેરે પ્રાપ્યગ્રંથો અને દ્રવ્યલોક, સપ્તભંગી તરંગિણી, શ્રી પૂજય લેખ, ન્યાયવાદાર્થ વગેરે અપ્રાપ્ય ગ્રંથોની રચના પછી આ ગ્રંથની રચના થઈ છે એવું સિદ્ધ થાય છે. પૂ. સિંહસૂરિ મ.સા. સં. 1708 અષાઢ સુદ-રના કાળધર્મ પામ્યા અને સં. ૧૭૧૧માં પૂ. વિજયપ્રભસૂરિ મ.સા.ની ગણાનુજ્ઞા થઈ તેથી પૂ. દેવસૂરિ મ.સા.ના રાજ્યમાં આ પ્રતનું લેખન થયું છે તેમજ ગ્રંથનો રચનાકાળ પણ આની આસપાસનો હોઈ શકે તે બનવા જોગ છે. | વિશેષ તો આ ગ્રંથ ઉપર ટીકા બનાવવાની ભાવના હતી પરંતુ હાલના તબક્કે લોકો માટે આ ગ્રંથ સાવ અસ્પૃશ્ય ન બને તેટલો જ પ્રયત્ન ભાવોદ્ઘાટનમાં કર્યો છે. ઘણા ગ્રંથી સ્થળોને શિથિલ કરવાનો પ્રયાસ થોડા-ઘણા અંશે કર્યો છે. છતાં તે પ્રયાસમાં જે અનુભૂતિ થઈ છે તે છેલ્લે નાતિ અષા રાનપદ્ધતિ' એ શ્લોક દ્વારા વ્યક્ત કરી છે. આ વિષયને લગતા શતાધિક સંદર્ભો એ જ આ પ્રકાશનનું મુખ્ય વૈશિશ્ય છે ખરેખર તો આ વિપુલ સંદર્ભ સામગ્રી એ ચક્ષુરપ્રાપ્યકારિતાવાદોનું સંગ્રહસ્થાન જ છે. બાકી તેને સ્પર્શતા વિષયો જેવા કે સન્નિકર્ષ, સમવાય સિદ્ધિ, અતિરિક્ત અવયવિ સિદ્ધિ, યોગ્યતા, બાકીની ઇન્દ્રિયોની પ્રાપ્યાપ્રાપ્યકારિતા વગેરેના સંદર્ભોને જો એકત્ર કરવામાં આવે તો સંદર્ભગ્રંથોની સંખ્યા ઘણીબધી મોટી થઈ જાય. આ સંદર્ભગ્રંથોમાં પૂ. ઉપાધ્યાયજી મ.સા. એ રચેલા અન્ય 10 ગ્રંથોમાં આવતા ચક્ષરપ્રાધ્યકારિતાવાદો, અન્ય શ્વેતામ્બર આગમ-આગમેતર ગ્રંથો, દિગમ્બર ગ્રંથો, બૌદ્ધગ્રંથો, ન્યાય, વૈશેષિક, મીમાંસા, સાંખ્ય, વેદાન્તી અને વ્યાકરણના દાર્શનિકગ્રંથો જે અમારા ધ્યાનમાં આવ્યા તેનો સમાવેશ કર્યો છે. હજી પણ આ ગ્રંથોમાં ઉલ્લેખિત અને સંકેતપ્રાપ્ત ઘણા ગ્રંથો મળવાની સંભાવના છે. અને પૂ. ધર્મસૂરિ મ.કૃત પ્રમાણ પરિભાષાની પૂ. ન્યાય વિ.મ. કૃત ન્યાયાલંકાર ટીકા, પૂ. લબ્ધિસૂરિ મ. કૃત ‘તત્ત્વન્યાય વિભાકર' વગેરે આધુનિક ગ્રંથો અને પૂ. ઉપાધ્યાયજી મ. કૃત ગ્રંથોની ટીકાઓ, વિવેચનો તથા અનુવાદો વગેરેનો આમાં સમાવેશ નથી કર્યો. પણ એટલું ચોક્કસ છે કે આ સંદર્ભ સામગ્રીથી ચક્ષની પ્રાપ્યાપ્રાપ્યકારિતાના વિચાર બિન્દુનો ઉદ્ગમ અને વિકાસ તથા કેટકેટલાય વિચારપ્રવાહો તેમાં ભળી ગંગા કે યમુના વગેરે નદીઓના મોટા પ્રવાહ સ્વરૂપ વિચારધારાઓ તો આપણી સમક્ષ ચોક્કસ રજુ થઈ છે. અને તેઓશ્રીના શબ્દોનું તાત્પર્ય શું છે? એ નક્કી કરવા માટે એમનો મૂળ સ્ત્રોત કયો છે ? તેની આછેરી રૂપરેખા મેળવવા માટે આ સંદર્ભસામગ્રી બહુજ ઉપયોગી નીવડશે. આ અનુભવ સિદ્ધ બાબત છે. આવા હેતુઓથી જ
SR No.004442
Book TitleChakshurprapyakaritawad
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2009
Total Pages268
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy