SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 53 સામે તરવરે છે. સાહેબજીની જ્ઞાનપ્રતિભાનું રહસ્ય મને ત્યારે સમજાયું કે ગુરૂના હૃદયમાં પણ એમના માટે કેટલું સન્માનભર્યું સ્થાન તેઓએ જમાવ્યું હતું જેના આશીર્વાદથી એમનું જ્ઞાન સહજ રીતે વૃદ્ધિ પામતું હતું. ' પૂ.પૂ. પુણ્યવિજયજી મ.સા. એ તેમને સંશોધનની સામગ્રી પૂરી પાડી. માર્ગદર્શન આપ્યું. આગમ સંશોધનમાં જોડ્યા. એના ઉપકારને યાદ કરી આખા ગ્રંથનું સંશોધન પોતે કર્યું હોવા છતાં આજે પણ તેઓ આઘ સંશોધક તરીકે પોતાના પુસ્તકમાં પુણ્યવિજયજી મ.નું નામ અને તેમનો ફોટો છાપતા, એમને ભણાવનાર પંડિતને મહિનાની 15 રૂા. ફી એક કે બે મહિનાની આપનાર વઢવાણના રતિલાલ જીવણભાઈને હંમેશા કૃતજ્ઞતાથી યાદ કરતા અને અમને જણાવતા કે એણે મારી ભણવાની ફી આપી હતી. સંયમ જીવન પ્રત્યેની એમની જાગૃતિ પણ ગજબની હતી વિહારમાં રસોડાની વ્યવસ્થા સાથે હોય ત્યારે કોઈ દિવસ એક ટંકે બે શાક પણ કરવા દેતા નહિ. એટલું જ નહિ રસોઈમાં કોથમરી કે લીલા મરચા કે ટામેટા પણ નાખવા દેતા નહીં. એમને આવું છેદન ભેદન કરાવવું બિલકુલ પસંદ નહીં. અમને કહેતાં કે આ તો અનિવાર્ય પણે રસ્તામાં આપણે વ્યવસ્થા કરાવવી પડે છે. આપણે કંઈ જલસા કરવા નથી નીકળ્યા. સંયમ પાલન કરવા નીકળ્યા છીએ. . 87 વર્ષની ઉંમરે પણ એમનામાં નવું ભણવાની જિજ્ઞસા એક બાળક જેવી હતી. હજી ગયા વર્ષે જ (સંવત 2065) પાટણના ભંડારનું કામ કરવા 3 મહિના પાટણ રોકાવાનું થયું ત્યારે આદિત્ય દવે નામના અનેક ભાષાના વિદ્વાન યુવાન પાસે દર રવિવારે તેમને અમદાવાદથી બોલાવી જર્મન ભાષા ભણવા માટે બેસી જતા. તેથી જ તેઓ અનેક ભાષાના જાણકાર થયા હતા. વિહાર કરીને કોઈ ગામમાં જઈએ ત્યાંનું કોઈ પ્રસિદ્ધ સ્થાન હોય કે જ્યાં સેંકડો હજારો માણસો આવતા હોય તેવા સ્થાનો થાકીને ગયા હોય તો પણ જોવાનું કુતૂહલ તેમને રહેતું. મોટી ઉંમરે પણ આ રીતે તેઓ બિલકુલ બાળક જેવા હતા. એમની નિઃસ્પૃહતા પણ ગજબની હતી. અનેક સંઘોના અને આચાર્ય ભગવંતોના પદવી ગ્રહણ માટેના દબાણો હોવા છતાં તેમણે ક્યારેય પદવીનો મોહ રાખ્યો નથી. તેઓ એક જ વાત કરતા કે - “હું ભગવાનના મુનિપણાને સાર્થ કરું તો પણ ઘણું છે.' પાટણનો સંઘવી પાડાનો ભંડાર ઘણો પ્રાચીન અને અત્યંત કિંમતી એવા અનેક તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ હતો. એ ભંડારને લેવા માટે અનેકોએ અનેક રીતે પ્રયત્નો કર્યા હતા, લાલભાઈએ પણ માગણી કરેલી પણ તેના માલિક નરેન્દ્રભાઈ પટવાએ કોઈને ન આપ્યો. અને પૂજ્યશ્રીને સામેથી વગર માગ્યે યોગ્ય જાણી કોઈપણ લાલચ વિના અર્પણ કર્યો. આવો કિંમતી અજોડ તાડપત્રીય જ્ઞાનભંડાર મળવા છતા પૂજયશ્રીએ પટવાને કહ્યું કે આ પાટણની મૂડી પાટણમાં જ રહેવી જોઈએ. તેથી પાટણમાં હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારમાં સાહેબજીએ સામેથી વાજતે ગાજતે જઈ અને મુકાવ્યો. કેવી નિઃસ્પૃહતા ! છાપામાં માત્ર રાજકારણનું પાનું જ વાંચે. રાજકારણમાં એમને ઉંડી સમજ અને અભ્યાસ તેથી અનેક રાજકીય નેતાઓ તેમને મળવા આવતા ત્યારે તેમને યોગ્ય સલાહ આપતા. એમની સાથેના સંબંધો પણ ઘણા ઘનિષ્ઠ હતા છતા ક્યારેય પોતાની મહત્તા વધારવા માટે એમણે એમનો ઉપયોગ કર્યો નથી. એટલું જ નહિ એમની સાથે ક્યારેય ફોટા પણ પડાવીને સંગ્રહ કરતા નહિ. નિષ્પક્ષતા તો એવી કે, શંખેશ્વરમાં અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થના કેસમાં પૂરાણા પુરાવાઓ મેળવવા માટે કોર્ટ એમની પાસે આવી. ત્યારે તેમણે શ્વેતાંબરોની તરફેણમાં અનેક પુરાવાઓ એટલી તટસ્થતાથી રજૂ કર્યા કે દિગંબર પક્ષના મુખ્ય સૂત્રધાર ધન્યકુમારે ચાલુ કોર્ટ જજ, વકીલો અને સંઘની હાજરીમાં ઉભા થઈને જાહેર તરમા) SIST)
SR No.004431
Book TitleUvavai Suttam
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherMahavir Jain Vidyalay
Publication Year2012
Total Pages362
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy