SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા સુધારા વધારાથી તે એટલી બધી ચિત્રવિચિત્ર બની ગઈ છે કે પ્રતની નકલ કરનારનું ભેજું જ ગાયબ થઈ જાય, અને સંશોધકનું તે પૂછો જ મા! ખાસું માનું હિમાલયના માહ મહિનાના જેવું દહીં જ કરી નાંખે ! અમ આપવાદિક સ્થળે બાદ કરીએ તે પ્રતિઓમાં ચેક, છેકછાક કે અક્ષરોની ગરબડી ક્યાંય માલમ નથી પડતી. કવચિત અક્ષર કે શબ્દનું ન્યૂનાધિક પણું બની ગયું છે તે વાત સાચી, પણ તે ઉતાવળથી લખવાના કારણે જ થયું છે. તેઓશ્રીની કલમ ઠીકઠીક વેગીલી હતી. બરૂકામને ફસ પણ ઠીક ઠીક કાઢી લેતા હતા. લખતા લખતા બુર કૂ થવા આવ્યું છે, છતાં અ૫ સમયમાં વધુ લખવાના લેભમાં, લખવાનું જેટલું ખેંચાય તેટલું ખેંચ્યું છે. અને બરૂની ધારને જેટલો કસ કઢાય એટલે એકી સાથે મઢી લેવા પ્રયત્ન સેવ્યું છે. જેથી અક્ષર કયાંક ખરડાએલા, તેમજ આછી પાતળી સ્યાહીવાળા થવા પામ્યા છે. ' અરે! એમની સર્જનની ધૂન અને સમયને બચાવ કરવાની તાલાવેલી કેવી હતી તેનું પ્રતિબિંબ પ્રસ્તુત પ્રતિઓમાં જ જોવા મળે છે. સામાન્ય રીતે દરેક લેખક પ્રતિનાં લખ ની બંને બાજુએ એ એક લીટી મારે. અને બબે લીટીએ મારી શકાય તે બેડી ભારે, અને દરવાનાં સાધનથી સીથી દેરીને પાનાંની શોભા અને ઉઠાવ લાવે, પરંતુ આ પુરુષને તે શેભા શણગાર માટે સમય જ કયાં હતા તેની તેમને પડી પણ શું હોય? એટલે લીટી એકવડી જ મારી છે. અને તેય પટ્ટીની મદદ વિના હાથથી જ મારી દીધી છે. અને ઉતાવળ તે કેવી ? કે લીંટીઓ બધે જ સીધી ન મળે, કે ન તે પૂરી દોરેલી મળે ! ન તે સરખા માપની હાય ! અરે ઘણા સ્થળે તે લીટી મારવાને શ્રમ કે સમય જ લીધા નથી આવી તે હતી તેઓશ્રીની સુજનની મસ્તધન અને પ્રચણ્ડ તાલાવેલી !! ઉપાધ્યાયજીના "' વગેરે અમુક અમુક વર્ણાક્ષર લેખનમાં ખાસ વિશિષ્ટતા ધરાવે છે. એ વિશિષ્ટતા કયા વર્ગોની કેવી રીતે છે? તે તે તેના ખાસ બ્લેક પ્રીન્ટદ્વારા જ બતાવી શકાય. મારી ઉમેદ હતી કે ઉપાધ્યાયજીના ખુદના હસ્તાક્ષરોની જ નથી લઈને દ સુધીના સ્વર વ્યંજની. કેટલાક સંયુક્તઅક્ષરેની લિપિ તૈયાર કરી, મુદ્રિત કરાવી આ સંપુટના આરંભમાં જ આપવી. પણ સમયસર તૈયાર થઈ શકી નથી, એટલે હવે તે વાત તે ભાવિ ઉપર રહી. 'આ સંપુટમાં આપેલા દ્રવ્રુત્તિ અને ઘાતંગયોજન આ બંને પ્રતિકૃતિઓના અન્તમાં ઉપાધ્યાયજીએ પતે એક લેક લખ્યો છે. જેમાં પ્રતિ લખવામાં મદદગાર બનનાર પિતાના ખંભાતવાસી રત્નમેઘજીના પુત્ર જયેતસી ભક્તને અમર બનાવી દીધો છે. સર્જનયજ્ઞ ઉપરાંત લેખનયાને માંડનાર ઉપાધ્યાયજી શ્રુતજ્ઞાનભક્તિનું કેવું ઘેલું લાગ્યું હતું કે, પોતાના પ્રત્યે તે લખ્યા, પરંતુ તેમાં સહાયક અન્ય જૈન કે અજૈન ગ્રન્થને પણ બીજા લેખકની અપેક્ષા રાખ્યા સિવાય સ્વહસ્તે જ લખ્યા. વળી અન્ય લેખકે લખેલા ગ્રન્થને પરિમાર્જન પણ કર્યો. ધન્ય હે ! એ અપ્રમત્ત પુરુષાથી, સ્વાશ્રયી, ઉદારતા સાધુપુંગવને ! એમના હસ્તાક્ષરની બીજી અનેક પ્રતિઓના ફેટા દાખલ નથી કરી શકાય. ભવિષ્યમાં તૈયાર થશે સંસ્થા ખબર આપે ત્યારે મંગાવવા માટે ધ્યાન રાખવું. આ સંપુટમાં પૂ. ઉપાધ્યાયજીના સ્વનામધન્ય ગુરુદેવ શ્રી નવિજયજી મહારાજના હસ્તાક્ષરોની પણ પ્રતિકૃતિઓ છે. જૈન શ્રમણ વર્ગમાં ગુરુ શિષ્ય વચ્ચેની સ્નેહશુંખલાના આંકડા પરસ્પર કેવા જોડાએલા હેવા જોઈએ તેનું ઉદાત્ત અને જવલંત ઉદાહરણ પૂ. ઉપાધ્યાયજી અને તેઓશ્રીના ગુરુદેવ પૂરું પાડે છે અને |
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy