________________ समस्यास्य शास्त्रस्य सन्नैषधस्य, कृता नूतना पाठकः पाठकाथैः। सुपात्रैणभृच्छात्ररत्नाभिधेन, समुत्तारिता सत्प्रतिः सुन्दरीयम् / / કન્દર શાહ અને સુવાય એ પુસ્તક પરથી આ ટીકા કરવામાં આવી છે. ટીકા કરતાં કોઈ કોઈ સ્થળે પાઠફેર કરેલ છે. ટીકા વગર આવા કાવ્યનું વાચન વિરલજ બને છે. જે ટીકા હોય તે વાચનમાં વધારે થાય એ સહજ છે. એટલે ટીકાયુક્ત આ પ્રકાશન અધિક ઉપયોગી બનશે એ નિર્વિવાદ છે. આવા કઠિન કાવ્યની ટીકા કરવાનું કાર્ય કેટલું વિષમ છે. તે તે તે વિષયના જાણકાર જાણી શકે એવું ' છે. અતિ પરિશ્રમે આ વૃત્તિ તૈયાર થયેલી છે. ટિપ્પણી આ કાર્યમાં અંશે અંશે પૂરક બની છે. , (6) ટીકાકારનો ટૂંક પરિચય આ કાવ્યના ટીકાકાર પૂજ્યપાદ શાસ્ત્રવિશારદ-કવિરત્ન–પીયૂષ પાણિ આચાર્યશ્રી વિજયામૃતસરીશ્વરજી મહારાજ છે. તેઓશ્રીજી વીસમી સદીના સમર્થ વિદ્વાન અને પૂર્ણ પ્રતાપી શાસનસમ્રાટુ રિચાયાવર્તિસર્વતન્ત્રસ્વતન્ત આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પદધર છે. તેઓશ્રીએ વિદ્વત્તાપૂર્ણ વ્યાપક અનેક ગ્રન્થની રચના કરી છે. તે ગ્રન્થોની સંક્ષિપ્ત યાદિ આ પ્રમાણે છે– 1. સ્તવન ચતુર્વિશતિકા, 2. સ્તુત ચતુર્વિશતિકા, 3. ચૈત્યવન્દન ચતુર્વિશતિક, 4. વૈરાગ્યશતકમ, 5. દષ્ટાન્તાવલિ, 6. આત્મનિન્દા ધાáિશિકા-અનુવાદ, 7. સપ્તસલ્વાન મહાકાવ્ય, સરણિ ટીકા, 8. કલ્પલતાવતારિકા, 9. સર્વ સિદ્ધિ-સર્વહિતા ટી. - આ પ્રસ્તુત કાવ્યની ટીકાનું નામ વિદ્ધદિનેદિની” છે. આ કાવ્યની ટીમમાં અર્થ ઉદઘાટન પ્રત્યે અધિક લય આપવામાં આવ્યું છે. એથી કાવ્ય રસાસ્વાદ વિશેષે જળવાઈ રહે છે. કેટલીક ટીકામાં વ્યાકરણ વગેરેની અતિશય ચર્ચા કરવામાં આવે છે પણ તેથી કાવ્યની મજા મારી જાય છે. અહિં પ્રાસંગિક આવશ્યક જણાય તેટલું વ્યાકરણાદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉપાધ્યાયજી શ્રીમેધવિજયજી મહારાજના ગ્રન્થ પર ટીકા કરવાનું સૌભાગ્ય આચાર્ય શ્રીજીને મળેલ છે, આ પૂર્વે સપ્ત સંધાન મહાકાવ્ય પરની ટીકા પણ તેઓશ્રીએ જ રચી છે. એથી પ્રકારના ભાવ વ્યક્ત કરવાનો અધિકાર તેઓશ્રીને વિશેષ પ્ત થયા છે એ સ્પષ્ટ છે.