SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ શિખર નામના પર્વત ઉપર ચઢી અણસણ આદરીને રહ્યા શોકાતુર ચિત્તથી નજીકના રાજાઓ ત્યાં આવ્યા, - 67. જે જગતમાં ત્રીશ અતિશય વાળા છે તેવા, કેવલી, તીર્થંકરનાં આયુષ્ય પણ સ્થિર હોતાં નથી તે આપણું આયુષ્ય કયાંથી સ્થિર થાય! ઈદ્રના સિહાસને કંપવા લાગ્યા અવધિજ્ઞાનથી જાણી, દેવે સહિત ઇંદ્ર જલદી સમેત શિખર પર્વત ઉપર આવ્યો. 68. જે પ્રભુની કરડે દેએ અનિમેષપણે સેવા કરી અને મનુષ્યએ પ્રભુની સેવા અનિમેષભાવે કરી, સ્વભાવિકભેદભાવરહિત સેવાતા પ્રભુ અનિમેષપણાને પ્રાપ્ત થયા (નિર્વાણ પામ્યા.) 69. એક માસનું અણુસણ પુરૂં થતાં, જેઠ માસની વદ તેરસના દિવસે, ભરણ નક્ષત્રમાં ચંદ્રને યોગ પ્રાપ્ત થયે છતે નિત્યાનંદમય શ્રી શાંતિજિનેવર મોક્ષ સુખને પામ્યા. 70. શાંતિનાથ પ્રભુએ બાદર કાય ગવડે બાદરવા)ોગ, તથા બાંદરમને યોગ રોક્યો ને સૂક્ષ્મ કાયાગવડે. બાદર કાયા વેગને રોકી જલદી સૂફમવચનગ અને સૂમ મનેગને રોકો. પછી ત્રીજા સૂક્ષ્મક્રિયા નામના ધ્યાનથી સૂક્ષ્મ કાયાગને રોધ, તરતજ ચોથા નષ્ટક્રિયા ધ્યાનથી અપ્રતિપાતિ શુકલ ધ્યાનમાં વર્તવા લાગ્યા. 71. પાંચ હુસ્વાક્ષર (34) બોલવા માત્રમાં અઘાતી, શેષચાર કર્મોની પ્રકૃતિને ક્ષયકરી, ચૌદમે ગુણઠાણે અગી બન્યા. સાથે પકૃતિથી સરલ સ્વભાવી, ક્ષીણમેહવાળા મુનિઓ પણ અનંત ચતુષ્કને વર્યા અને પ્રભુ સિદ્ધશિલામાં ગયા. લેપરહિત તુંબડીની જેમ લોકેના અગ્રભાગે એક સમયમાં જઈને રહ્યા. અર્થાત સર્વકમ રહિત મોક્ષે ગયા, 72. આ સંસારમાં મનુષ્યભવમાં જીવને તુચ્છ, ક્ષણ ભંગુર, વિનાશકારી, ઉદારમનથી જે કાંઈ સુખ આપ્યું તે માટે અનંતસુખ, શાશ્વતને અવિનાશી રૂપ પ્રભુ શાંતિનાથ અનંત સુખને પામ્યા, તેજ સમયે નરકમાં રહેલા નારકો પણ સુખી થયા, 73. મહાનંદ (મોક્ષ) નામના નગરમાં શાંતિ જીનેશ્વર ગયે છતે, ઈદ્ર શેકાકુલ બન્ય, અને બોલ્યો કે હે તીર્થેશ્વર! દુઃખરૂપી મગરમચોથી ભરેલા આ સંસાર સમુદ્રમાં પડતા જેનું તમારા વિના બીજ કેણ રક્ષણ કરશે? . 74. આ જગતમાં કેઈક પુત્રવિનાના, કેઈ રાજસન્માન વિનાના, કેઈ અસાધ્યવ્યાધિવાળા, તેમ દારિદ્રયરૂપી દાવાનલેની નાની મોટી સેંકડો જવાલાઓથી બળતા, વળી જ્યાં સંતોષ રૂપીજલની કુવા રહિત, વળી કામની તૃષ્ણરૂપી લાલચોથી સળગતા આ સંસાર અરણ્યને મેઘની સરખા, આપના વિના, કેણ બુઝવી શકશે? 76. ચંદ્ર વિના રાત, દીવા વિના ઘર, કમલવિના તળાવ સૂર્યવિના દિવસ, નીતિવિનાનેરાજા, વિવેક વિનાનું દાન જેમ શોભતું નથી. તેમ આપના વિના હે પ્રભુ! આ લેક શેભત નથી, 77. આ પ્રમાણે પ્રભુની સ્તુતિરૂપ વિલાપ કરતા અને પિતાના આત્મામાં સમતા ધારણ કરતા ઈંદ્ર શોકાકુલ દેવને ઉપદેશી શાંત બનાવ્યા, આભિગિક દે વડે નંદન વનમાંથી દિવ્યકાષ્ટ મંગાવી પૂર્વ દિશામાં ગોળાકાર ચિતા રચાવી.
SR No.004314
Book TitleShantinath Mahakavyam Part 03
Original Sutra AuthorN/A
AuthorVijaydarshansuri
PublisherNemidarshan Gyanshala
Publication Year1968
Total Pages452
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy