SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 14 ગ્રંથપ્રયોજન વગેરે જણાવતાં લખે છે કે અનેક વૈરાગ્ય અને સંવગી રૂપી તરંગોના કારણે ગહન બનેલી ઉપમિતિ ભવપ્રપંચ નામની- વેલ-નદીનું અવગાહન કરવું સામાન્ય માણસા માટે મુશ્કેલ છે. મારા જેવા આવા સામાન્યશક્તિવાળા લોકો ઉપર અનુગ્રહ કરવા માત્ર વાર્તારૂપે ઉપમિતિકથાનો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. આમ સંસ્કૃતમાં સામાન્ય જ્ઞાનવાળા પણ ભાવિકો ઉપમિતિભવપ્રપંચકથા'માં શ્રી સિદ્ધર્ષિગણિએ. ગુંથેલા પદાર્થો અને કથાથી વંચિત રહી ન જાય એવી ઉત્તમ ભાવનાથી આ ગ્રંથની રચના થઈ છે. સહુ કોઈ આ ગ્રંથનું વાંચન-મનન આદિ કરી સંવેગ અને વૈરાગ્યને વધુને વધુ પ્રબળ બનાવે એ જ મંગળ કામના હણ સ્વીકાર પરમકૃપાળુ પરમાત્માની અસીમકૃપા અને પૂજ્યપાદ યુગમહર્ષિ આચાર્ય ભગવંત શ્રીમવિજય ભદ્રસૂરીશ્વરજી મ.સા. અને પૂજ્યપાદ સંઘહિતચિંતક આ. દેવ શ્રીવિજય 3ૐકારસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ આચાર્ય ભગવંતશ્રી વિજય ભદ્રકરસૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશીષ અને પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રીમદ્ વિજય અરવિંદસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા. આદિના શુભાશીષના બળે આ સંપાદન કાર્ય થઇ શક્યું છે. દેવ-ગુરુના ચરણે અનંત અનંત વંદના ધન્યવાદ ! આ ગ્રંથના પાઠભેદો લેવામાં અને મુફ-વાંચનમાં પ્રવર્તિની સાધ્વીશ્રી મનકશ્રીજી મ.ના પરિવારના ઘણાં સાધ્વીજીઓએ યોગદાન આપ્યું છે. તે બધાની શ્રુતભક્તિની અનુમોદના. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડ. વિ.સં. 2058 મા.વ.૧૨ પૂ. આ ભ.શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ના શ્રી શંખેશ્વર મહાતીર્થ પૂ. મુનિરાજશ્રી જિનચન્દ્રવિજયજી મ.સા.ના વિનેય. આ. વિજય મુનિચન્દ્રસૂરિ
SR No.004309
Book TitleUpmiti Kathoddhar
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1981
Total Pages146
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy