SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય આ હુંડા અવસર્પિણીના વિષયમકાળમાં જૈનશાસને અનેક પ્રકારની આપત્તિઓને જોઈ છે. જેમ સિંહના ફલેવરને અંદર રહેલા કીડાઓ જ ખતમ કરે છે, તેમ જૈનશાસનમાં જ રહેલા માર્ગની શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા લોકો જૈનશાસનના સુવિહિત માર્ગને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. આમ છતાં જ્યારે જ્યારે માર્ગરક્ષાનો અવસર ઉપસ્થિત થયો, ત્યારે ત્યારે સુવિહિત મહાપુરુષોએ પોતાના પ્રાણને ભોગે પણ માર્ગની રક્ષા કરી છે અને તેથી જ આજે આપણને સુવિહિત પરંપરાની પ્રાપ્તિ થઈ છે. પ્રભુ મહાવીરના નિર્વાણ પછી લગભગ આઠસો પચાસ વર્ષે ચૈત્યવાસ' સ્થપાયો અને એકહજાર વર્ષે તો એનું જોર ખૂબ વધી ગયું હતું. પૂ.આ.ભ.શ્રી. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ “મહાનિશીથગ્રંથનો ઉદ્ધાર કરતી વેળાએ તેમાં ચિત્યવાસ'નું ખંડન કર્યું છે. “ચૈત્યવાસના ખંડન-મંડનનો એક આખો ઇતિહાસ છે. પૂર્વ આવૃત્તિમાં એના ઉપર કંઈક પ્રકાશ પાથરવામાં આવ્યો છે. તેને અહીં “યથાવત્' ગ્રહણ કરીને મૂકવામાં આવેલ છે. ચૈત્યવાસનું ખંડન કરનારો સ્વતંત્ર કોઈ ગ્રંથ હોય તો તે “શ્રીસંઘપટ્ટક છે. તેના રચયિતા છે, પૂ.આ.ભ.શ્રી જિનવલ્લભસૂરીશ્વરજી મ.સા. આ ગ્રંથ ઉપર ચાર ટીકાઓ રચાઈ છે. એ જ આ ગ્રંથની ઉપાદેયતા અને ઐતિહાસિકતાની સાક્ષી પૂરે છે. પૂ.આ.ભ.શ્રી જિનપતિસૂરિજી મહારાજાએ આ ગ્રંથ ઉપર બ્રહવૃત્તિની રચના કરી છે. આ ગ્રંથ ઉપર પૂ.શ્રી સાધુકીર્તિગણિવર્યશ્રીએ અવસૂરિ, શ્રી. લક્ષ્મીસેન પંડિતવર્યએ લઘુવૃત્તિ અને પૂ.ઉપાધ્યાય શ્રી હર્ષરાજ ગણિવર્યશ્રીએ લઘુવૃત્તિની રચના કરી છે. આ ગ્રંથમાં બ્રહવૃત્તિ, અવચૂરિ અને બે લઘુવૃત્તિઓનો સમાવેશ કર્યો છે. આ બધા ગ્રંથો વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલા હતા. પુસ્તકો જીર્ણપ્રાયઃ થયા હતા. આથી તે ચારેનો એક સ્થળે સમાવેશ કરીને જરૂરી શુદ્ધિપૂર્વક આ ગ્રંથને તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથકર્તા અને ટીકાકાર મહાત્માઓનો પરિચય પૂર્વ આવૃત્તિઓમાં પ્રકાશિત થયેલો હતો. તેને અહીં યથાવત્ પ્રહણ કરી મૂકવામાં આવેલ છે. ગ્રંથકર્તાની ગુરુ પરંપરા વગેરે બાબતો અંગે અસ્પષ્ટતા છે, એવું “જૈનપરંપરાના ઈતિહાસ ભાગ-૨”માં અને પૂર્વ આવૃત્તિઓની પ્રસ્તાવનામાં જોવા મળે છે. છતાં પણ એ વાત અહીં અપ્રસ્તુત જણાય છે. ગ્રંથકારશ્રીનું સુવિહિત પરંપરાની રક્ષા કરવાનું અને “ચૈત્યવાસ' જેવા પ્રભુની મૂળપરંપરાને ઉધઈની જેમ કોરી ખાનારા કુમતનું ખંડન કરનારું ગ્રંથરચનાનું તેઓશ્રીનું કાર્ય ખૂબ ખૂબ અનુમોદનીય છે. તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ.આ.ભ.શ્રી.વિ. હર્ષવર્ધનસૂરીશ્વરજી મહારાજાની પાવન પ્રેરણાથી આ ગ્રંથના પુનઃ સંપાદનનું કાર્ય કરવામાં આવ્યું છે. તપાગચ્છાધિરાજશ્રીના શિષ્યરત્ન પૂ.મુનિરાજ શ્રીવૈરાગ્યરતિ ગણીવર્યશ્રીએ પણ આ કાર્યમાં અનુમોદનીય સહકાર આપ્યો છે. પ્રફશુદ્ધિ અને સંશોધનાદિનું સંપૂર્ણ કાર્ય તપાગચ્છાધિરાજશ્રીના સામ્રાજ્યવર્તી તપસ્વી સાધ્વીવર્યા શ્રી સુનિતયશાશ્રીજી મ.સા.ના સુશિષ્યા વિદુષી સાથ્વીવર્યા શ્રીશાનદર્શિતાશ્રીજી મહારાજે સંપન્ન કર્યું છે. તેઓની નિવાર્થ શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના. સુવિહિત પરંપરાની રક્ષા કરનારા આ ગ્રંથનું અધ્યયન-પઠન સૌને સત્યમાર્ગની પ્રીતિ પમાડે અને સત્યમાર્ગની આરાધના કરવા દ્વારા વહેલામાં વહેલા મુક્તિ પમાડે એ જ એકની એક સદાની શુભાભિલાષા. ચૈત્ર સુદ-૧, વિ.સં. ૨૦૭૦ લિ. મુ. સંયમકીર્તિ વિ. તા. ૩૧-૩-૧૪, સોમવાર મહારાષ્ટ્ર ભુવન જૈન ધર્મશાળા, પાલીતાણા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004215
Book TitleSanghpattak
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages262
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy