SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આવી રીતે શ્રીજિનવલ્લભસૂરિજીએ મારવાડમાં ઠામ ઠામ સત્યમાર્ગનો ઉદ્ઘોષ ચાલું કર્યો. તે સાથે તેમણે “સંઘપટ્ટક' નામે ચાલીશ કાવ્યનો ગ્રંથ તથા ધર્મશિક્ષા” નામે ચુમ્માલીશ કાવ્યનો બીજો ગ્રંથ રચીને તે બે ગ્રંથ ચિત્તોડના મંદિરમાં શિલા પર કોતરાવી કાયમ કર્યા. એ સિવાય તેમણે દ્વાદશકુલક' એટલે બાર કુલકો રચ્યાં તથા “આગમિકવસ્તુવિચાર' અને સૂમાર્થવિચાર’ નામે બે કર્મગ્રંથના ઉત્તમ ગ્રંથ રચેલા છે. તે બે ગ્રંથો પર તેમના પછી થયેલા શ્રીમલયગિરિજી વગેરે ધુરંધર આચાર્યોએ ટીકાઓ રચી. શ્રીજિનવલ્લભસૂરિની રૂડી રીતે કીર્તિ ગાઈ છે. વળી તેમણે સંસ્કૃત સરખી પ્રાકૃત ભાષામાં “ભાવારિવારણ' નામનું વીરપ્રભુનું સ્તોત્ર રચી પોતાની અદ્ભુત કાવ્યશક્તિ જગજાહેર કરી છે. શ્રીજિનવલ્લભસૂરિજીના આ મહા પરાક્રમથી જ ચૈત્યવાસીઓનું જોર તૂટ્યું છે, તે વાત ધ્યાનમાં રાખીને સર્વે ગ૭વાળા તેમને અંતઃકરણથી ધન્યવાદ આપે છે. ખરેખર આવા મહાપુરુષનાં આપણે જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. કેમ કે, આવા હિંમત બહાદુર માણસો આ જગતમાં બહુ વિરલા જ જન્મે છે. આ. શ્રીજિનવલ્લભસૂરિજી કયારે આચાર્યપદારૂઢ થયા અને ક્યારે સ્વર્ગવાસી થયા તેની અમને સાલ-સંવતની ચોક્કસ માહિતી મળતી નથી. તો પણ તેમના ગુરુ શ્રીઅભયદેવસૂરિજીએ સં. ૧૧૨૮માં ટીકાઓ રચી તૈયાર કરી એટલે તે પરથી આપણે એટલી અટકળ બાંધી શકીએ છીએ કે તેમના શિષ્ય આ. શ્રીજિનવલ્લભસૂરિજી બારમી સદીના મધ્યમાં ગાજતા વાજતા હોવા જોઈએ. ઇતિહાસ દ્વારા તપાસતાં તેમના વખતમાં સિદ્ધરાજનું રાજ્ય હતું. કેમ કે, સં. ૧૨૪૯માં સિદ્ધરાજ ગાદીએ બેઠો હતો અને તેણે પચાસ વર્ષ રાજ્ય કર્યું છે. માટે આ. શ્રીજિનવલ્લભસૂરિજીને સિદ્ધરાજ સમકાલીન ગણી શકાય. '. આ મહાપુરુષ પાસે બીજી એક એવી વિદ્યા પણ હતી કે તેના બળે તેઓ સર્પોને બોલાવી શકતા અને પાછા તેમને વિસર્જન કરી શકતા હતા. - તેમના સ્વર્ગવાસ પછી તેમની પાટે શ્રીજિનદત્તસૂરિ બેઠા. તેઓ શ્રીજિનવલ્લભસૂરિના જેવા ભારે વિદ્વાન નહિ હતા. તો પણ તેમના પાસે મંત્રસિદ્ધિ એવી સરસ હતી કે તેમણે હજારો રજપૂતોને પ્રતિબોધી શ્રાવકો કર્યા. તેથી તેઓના ચરણકમળ આજ સુધી દાદાજીનાં પગલાં તરીકે ગામોગામ પૂજાય છે. આ રીતે શ્રીજિનવલ્લભસૂરિજીનો સંક્ષેપમાં અમારી જાણ પ્રમાણે અમે ઇતિહાસ આપ્યો છે. તેમ છતાં અમને ખરતરગચ્છની મોટી પટ્ટાવલી તથા ગણધરસાદ્ધશતકની ટીકા હાથ લાગી નથી, પણ જો તે હાથ લાગી હોત તો ચોક્કસ સાલ વગેરે આપીને વધુ માહિતી આપી શકત. લિ. પ્રસિદ્ધ કર્તા. શ્રાવક જેઠાલાલ દલસુખભાઈ (આ લેખ શ્રીજિનદત્તસૂરિજ્ઞાનભંડાર, સુરત, દ્વારા પ્રકાશિત “સંઘપટ્ટક” પુસ્તકમાંથી સાભાર ગ્રહણ કરેલ છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004215
Book TitleSanghpattak
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages262
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy