SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ १० થયા. તેમણે પૂરા જોશથી ચૈત્યવાસીઓને ખોખરા કરવા માંડ્યા અને શ્રીજિનવલ્લભસૂરિએ રચેલા સંઘપટ્ટક ઉપર ત્રણ હજાર શ્લોક પ્રમાણની ન્યાયથી ભરપૂર મોટી ટીકા રચી, શ્રીજિનવલ્લભસૂરિએ ચણેલા મહેલને ચુનાથી છોબંધ (ધોળી) કરી તેને અતિશય ટકાઉ કર્યો. તે ઉપરાંત એમણે ચૌર્યાશી વાદસ્થળ કરીને પોતાની અથાગ બુદ્ધિ જગજાહેર કરી છે. સદરહુ શ્રીજિનપતિસૂરિના પ્રતિબોધિત નેમિચંદ્ર ભાંડાગારિક નામના પાટણના નિવાસી શ્રાવક પણ એટલા મહાવિદ્વાન થયા કે તેમણે પ્રાકૃત ભાષામાં એકસો સાઈઠ ગાથાનો ‘ષષ્ટિશતક' નામે વિધિમાર્ગનો ઉત્તમ ગ્રંથ રચી ચૈત્યવાસીઓને દિગ્મૂઢ કર્યા. આ રીતે નેમિચંદ્ર ભંડારીએ શ્રીજિનવલ્લભસૂરિએ ચણેલા મહેલ ૫૨ ધજા ફરકતી કરી. ત્યારબાદ સદરહુ નેમિચંદ્ર ભંડારીના પુત્રે શ્રીજિનપતિસૂરિ પાસે દીક્ષા લઈ શ્રીજિનેશ્વરસૂરિ નામ ધારણ કર્યું. તેમના શિષ્ય શ્રીજિનદત્તસૂરિએ રચેલી સંદેહ દોલાવલી નામના ગ્રંથ ઉપર ટીકા રચી. તેમાં ચૈત્યવાસીઓના ચૈત્યોને ન્યાય પુરસ્કર અનાયતન ઠરાવી શ્રીજિનવલ્લભસૂરિએ ચણેલા મહેલને ફરતો કિલ્લો બાંધ્યો. આ રીતે પહેલાં શ્રીજિનેશ્વરસૂરિ, કે જેઓએ સં. ૧૦૮૪માં ચૈત્યવાસીઓને પહેલ કરી પ્રથમ હરાવ્યા. ત્યારથી માંડીને તેમના વંશના આચાર્યોએ છેક સં. ૧૪૬૬ સુધી તેમનો પરાજય કરવો ચાલું રાખ્યો. આથી કરીને મારવાડમાં સઘળા સ્થળે તેમની જડમૂળ ઉખડી ગઈ અને વસતિવાસીઓનો વિજય ડંકો વાગ્યો. બીજી તરફ ગુજરાતમાં તો મૂળથી જ તેમનું જોર ઓછું હતું. છતાં શ્રીમુનિચંદ્રસૂરિએ તેમને સજ્જડ રીતે ઊખેડવા માંડ્યા હતા અને ત્યાર પછી પુનમિયા ગચ્છના આચાર્યો ઉઠ્યા, બીજી તરફ આંચળીક ઉઠ્યા, ત્રીજા આગમિક ઉઠ્યા અને તેમના પછી તથા શ્રીસોમસુંદરસૂરિના શિષ્ય શ્રીમુનિસુંદરસૂરિએ બાકી રહેલા ચૈત્યવાસીઓને પુરતી રીતે પાયમાલ કરી આખી ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને માળવામાં વસતિવાસી મુનિઓનો વિજયનાદ વગાડ્યો. આ રીતે વિક્રમની પંદરમી સદીના અંતે ચૈત્યવાસનું જોર તૂટ્યું અને પુનઃ વસતિવાસીઓની માન્યતા વધી. એમ વીરપ્રભુના નિર્વાણથી એક હજાર વર્ષ વીત્યા બાદ જોર પર ચડેલો ચૈત્યવાસ લગભગ એક હજાર વર્ષ સુધી ચાલીને પાછો સદંતર બંધ પડ્યો. તેની હિમાયતમાં રચાયેલી નિયમોની ઉપનિષદો ગુમ થઈ અને પુનઃ નિગ્રંથ પ્રવચન વિકાસમાન થવા લાગ્યો. પરંતુ કાળનો મહિમા વિચિત્ર છે. એટલે કે, જે આચાર્યોએ કમરકસી ચૈત્યવાસ તોડ્યો તેના જ વંશજો ફરીને શિથિલાચારમાં હમણાં પાછા ફસાઈ પડ્યા છે. તેઓ હાલ પોતાને ગોરજીના નામે ઓળખાવે છે અને જો કે, તેઓ ચૈત્યમાં નિવાસ નથી કરતા, તો પણ ચૈત્યના પડખે બાંધેલા અપાસરારૂપ મઠમાં રહીને હાલ મઠવાસી બનેલા છે, તેઓમાં જે સમજું છે, તે પોતાના શિથિલાચારને પોતાનો પ્રમાદ જણાવી સત્યમાર્ગને દૂષિત નથી કરતા, પણ અણસમજુ વર્ગ એમ સમજે છે કે, આ મઠવાસ તો અમારી અસલ પરંપરાથી જ ચાલ્યો આવે છે. તો તેવા જનોને સત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004215
Book TitleSanghpattak
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages262
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy