SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ * सप्तभङ्गीनयप्रदीपः (४५) प्रसङ्गायातौ स्वभाव-विभावौ पर्यायौ प्रदर्येते-तत्रागुस्लघुद्रव्यविकाराः स्वभावपर्यायाः, तद्विपरीतः स्वभावादन्यथाभवनं विभावः । तत्रागुस्लघुद्रव्यं स्थिरं सिद्धिक्षेत्रम्; यदुक्तं समवायाङ्गवृत्तौ - + ગુણસૌમ્યા+ કહેવાશે. જે પદાર્થ પૂર્વે તે પર્યાયને અનુભવી ગયો હોય અને ભવિષ્યમાં તે પર્યાયને પામવાનો હોય, પણ જો વર્તમાનમાં તે પર્યાયને માટે અયોગ્ય હોય, તો તેનો દ્રવ્ય તરીકે વ્યવહાર ન થાય. જેમકે પાણી, ઘીના આધારરૂપ પર્યાયને પામી ગયો હોય અને પામવાનો હોય, તો પણ હમણાં તેનામાં ઘીને ધારવાની યોગ્યતા ન હોવાથી, તેને ઘીનો ઘડો ન કહેવાય. આ પ્રમાણે વિશેષાવશ્યકભાષ્યની ગાથાના આધારે દ્રવ્યની વ્યાખ્યા જોઈ. સારાંશ : મહોપાધ્યાયજી મહારાજે પહેલા દ્રવ્યની ચાર વ્યાખ્યા બતાવી અને પછી વિશેષાવશ્યકભાષ્યના આધારે આઠ વ્યાખ્યાઓ બતાવી. (૪૫) હવે તેમાંની એક વ્યાખ્યામાં જણાવ્યું હતું કે – “જે પોતાના પ્રદેશોથી અખંડપણે રહી સ્વભાવ અને વિભાવ પર્યાયોને પામે. તે દ્રવ્ય કહેવાય.” તો અહીં પ્રશ્ન ઊભો થાય કે સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય કોને કહેવાય? એટલે તેનું સમાધાન કરવા મહોપાધ્યાયજી મહારાજ, પ્રસંગને અનુસરીને દ્રવ્યના સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય કોને કહેવાય ? તેનું સ્વરૂપ બતાવે છે. સવભાવપચય અને વિભાજપથયિ (૧) અગુરુલઘુદ્રવ્ય જેવા વિકારો (= વસ્તુની અવસ્થાઓ) તે “સ્વભાવપર્યાય” કહેવાય, અને (૨) તેનાથી વિપરીત, વસ્તુનું જે અન્યથાભાવન (= અન્યરૂપે પરિણમન) તે ‘વિભાવપર્યાય' કહેવાય. અહીં “અગુરુલઘુદ્રવ્ય તરીકે સ્થિર એવું સિદ્ધિક્ષેત્ર (= સિદ્ધશિલારૂપ દ્રવ્ય) લેવું. આ ૧. દ્રવ્યના આ બે પર્યાયોનું સ્વરૂપ જણાવીને, તે દ્રવ્યને વિષય કરનાર દ્રવ્યાર્થિક નયનું સ્વરૂપ બતાવશે અને ત્યારબાદ પર્યાય અને તેને વિષય કરનાર પર્યાયાર્થિકનયનું સ્વરૂપ બતાવશે - આ ક્રમ ધ્યાનમાં રાખવો. ૨. અહીં આવો અર્થ કરવો જ વધુ ઉચિત જણાય છે. જો “અગુરુલઘુદ્રવ્યના વિકાર તે સ્વભાવપર્યાય' એવો અર્થ કરીએ, તો માત્ર અગુરુલઘુદ્રવ્યરૂપ સિદ્ધિક્ષેત્રાદિના જ સ્વભાવપર્યાય સાબિત થશે. તે સિવાયના જે ઘટપટાદિ પદાર્થો છે, તેમના સ્વભાવપર્યાય માની શકાશે જ નહીં. તેમના માત્ર વિભાવપર્યાય જ માનવા પડશે. પણ એવું તો નથી, ઘટ-પટાદિના પણ સ્વભાવપર્યાય હોય છે જ. એટલે તેની સંગતિ કરવા અગુરુલઘુદ્રવ્યના પર્યાય તે સ્વભાવપર્યાય' એવો અર્થ ન કરતાં “અગુરુલઘુદ્રવ્ય જેવા સ્થિરપર્યાય તે સ્વભાવપર્યાય એવો અર્થ કરવો વધુ ઉચિત જણાય છે. તે છતાં વિદ્વાનો યથાયોગ્ય વિચારેને નિર્ણય કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy