________________
* सप्तभङ्गीनयप्रदीपः "णिच्छयववहारनया मूलिमभेदा णयाण सव्वाणं ।
णिच्छयसाहणहेऊ दव्वयपज्जट्ठिया मुणह" ॥ (४०) अथ द्रव्यलक्षणमाह-सत् द्रव्यलक्षणम्, सीदति-स्वकीयान् गुण-पर्यायान् व्याप्नोतीति सत्, उत्पाद-व्यय-ध्रौव्ययुक्तम्, अर्थक्रियाकारिच सत्;
“વાર્થયિારિતવ પરમાર્થ ત્ ા યત્ર નાર્થયિારિતદેવ પરતોડAસત્' તિ
...- + ગુણસૌમ્યા+... નિરૂપણ કરશે. ત્યારબાદ ‘પર્યાય કોને કહેવાય? તે જણાવી પછી પર્યાયાર્થિકનયનું નિરૂપણ કરશે. ત્યારપછી ગુણાર્થિકનય કેમ નહીં ? એનું સમાધાન આપી, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકના પેટભેદરૂપ નૈગમાદિ સાત નય અને તેના આભાસનું ઉદાહરણ સહિત નિરૂપણ કરશે. ઇત્યાદિ અગ્રિમ વિષય બરાબર ધ્યાનમાં લેવો. (૪૦) હવે ગ્રંથકારશ્રી સૌ પ્રથમ દ્રવ્ય કોને કહેવાય? તેનું સ્વરૂપ બતાવે છે –
* દ્રવ્યનું લક્ષણ (૧) સત્ વચ્ચત્નક્ષમ્
ભાવાર્થ: “સ” તે દ્રવ્યનું લક્ષણ છે, અર્થાત જે સત્ છે, તે દ્રવ્ય છે. હવે પ્રશ્ન ઊભો થાય કે “સત્' કોને કહેવાય? તો તેના સમાધાન માટે ગ્રંથકારશ્રી ત્રણ પ્રકારે સતની વ્યાખ્યા જણાવે છે. તે આ પ્રમાણે –
(3) सीदति स्वकीयान् गुणपर्यायान् व्याप्जोतीति सत् ॥
ભાવાર્થ : જે વસ્તુ પોતાના ગુણ અને પર્યાયને વ્યાપીને રહે તે સત્. દા.ત. આત્મા પોતાના જ્ઞાનાદિ ગુણોને અને સુખ-દુઃખ, હર્ષ-વિષાદાદિ પર્યાયોને વ્યાપીને રહ્યો છે, માટે તે સત્ કહેવાય. (અહીં વ્યાપ્તિ એટલે પોતાના જ ગુણ-પર્યાયમાં રહેવું, તે સિવાયમાં નહીં. અથવા જ્યાં પોતાના ગુણ-પર્યાય ત્યાં દ્રવ્ય, અને જયાં દ્રવ્ય ત્યાં તેના ગુણ-પર્યાય, એ વ્યાપ્તિ અથવા અવિનાભાવ સંબંધરૂપ વ્યાપ્તિ.) (ખ) સત્યાદિ-વ્યય-ધ્રૌવ્યયુ સત્ |
ભાવાર્થ : (૧) ઉત્પાદ એટલે વસ્તુની ઉત્પત્તિ, (૨) વ્યય એટલે વસ્તુનો વિનાશ, અને ૧. આ વાત પણ અશુદ્ધનયની અપેક્ષાએ સમજવી, બાકી શુદ્ધનયની અપેક્ષાએ તો હર્ષ-વિષાદાદિ પણ પરપર્યાયરૂપ હોવાથી, તેમાં વ્યાપીને રહેલો આત્મા અસત્ જ કહેવાય. આ નય તો પોતાના ગુણ-પર્યાયમાં વ્યાપ્ત આત્માને જ સત્ કહે છે. આ બધી વાતો આગળ સ્પષ્ટ થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org