SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * (५) एतस्यार्थः-एकस्य जीवाजीवादेः पदार्थस्य, एकैकशो धर्मविषयपरिप्रश्रने सकलप्रमाणाबाध्यत्वेन भिन्नाभिन्नविधि-प्रतिषेधविभागाभ्यां प्रयुक्तः, स्याच्छब्दाङ्कितः, सप्तविधत्वेन वाक्योपन्यासः, सा सप्तभङ्गी विज्ञेया । (६) विधिः-सदंशः । प्रतिषेधःअसदंशः । पदार्थसार्थस्य सदंशाऽसदंशधर्माद्यनेकप्रकारविभजनयाऽनन्तभङ्गीप्रसङ्गः, तन्निरासायैकपदोपादानम् । विधि-निषेधाद्यनन्तधर्माऽध्यासिते एकस्मिन् जीवा + ગુણસૌમ્ય (૫) હવે આ સૂત્ર પર મહોપાધ્યાયજી મહારાજ વિવરણ કરે છે, તેનો અર્થ આ પ્રમાણે જાણવો – વિવેચન : જીવ-અજીવ (આત્મા, ઘટ, પટ, આકાશ) આદિ જગતવર્તી પદાર્થોમાંથી કોઈપણ એક પદાર્થની બાબતમાં “આ પદાર્થ જગતમાં છે કે નહીં?” એવો સત્ત્વ-અસત્ત્વ વગેરે એકેક ધર્મોને લઇને પ્રશ્ન પૂછવામાં આવે, ત્યારે તે પ્રશ્નના વશથી (= પ્રશ્નના સમાધાનરૂપે) પ્રત્યક્ષ-અનુમાનાદિ કોઇપણ પ્રમાણોથી બાધ ન આવે તે રીતે (૧) સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ અસ્તિત્વનું વિધાન, અને (૨) પરદ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ નાસ્તિત્વનું વિધાન - આ પ્રમાણે જુદા જુદા વિધિ-નિષેધ દ્વારા, અથવા (સમુદિત-) સ્વદ્રવ્યાદિ અને પરદ્રવ્યાદિની ક્રમશઃ સાથે વિવક્ષા કરીને પૂછાયેલા એવા પ્રશ્નોના સમાધાનમાં, સમુદિતરૂપે વિધિ-નિષેધની વિચારણા કરીને (અર્થાત્ વિધિ દ્વારા અને નિષેધ દ્વારા સાથે કલ્પના કરીને) “ચાત્' શબ્દથી યુક્તરૂપે (અપેક્ષાપૂર્વક) બોલાતાં અને આગળ જણાવાતાં એવાં સાત પ્રકારનાં વચનોની જે રચના (= વચનોનું જે ઉચ્ચારણ), તેને “સપ્તભંગી' કહેવાય છે.. (૬) પદકૃત્યઃ (૧) વિધિ એટલે સદંશ (જે અંશની અપેક્ષાએ વસ્તુનું અસ્તિત્વ જણાવાય, તે અંશ...) (૨) નિષેધ એટલે અસદંશ (જે અંશની અપેક્ષાએ વસ્તુ નથી એવું જણાવાય, તે અંશ...) હવે મૂળસૂત્રમાં સપ્તભંગીની વ્યાખ્યા સમજાવતા (ક) પત્ર-વસ્તુનિ, (ખ) ધર્મપર્યનુયો વિશાત્ એવા જે પદો છે, તે પદો લખવાનું પ્રયોજન જણાવે છે – (ક) જો ઘટ-પટાદિ કોઈ વિવક્ષિત એક વસ્તુને જ લઇને વિધિ-નિષેધના પ્રશ્નો અને તેના ઉત્તરોની વાત ન કરીએ અને જો જુદી જુદી અનેક વસ્તુઓને લઇને વિધિ-નિષેધના પ્રશ્નો અને તેના ઉત્તરોની વાત કરીએ, તો જુદી-જુદી વસ્તુઓ તો સેંકડો-લાખો-અસંખ્ય-અનંતી ૧. જે જે વચનો બોલવા દ્વારા પદાર્થો જુદી જુદી રીતે સમજાય, તેને ભંગ-પ્રકાર કહેવાય. આવા શબ્દો બોલવાના જે સાત વચનપ્રયોગો છે, તેને જ સાત ભાંગા કહેવાય અને તે સાત ભાંગાઓના સમુદાયને જ “સપ્તભંગી' કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy