SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ * મૂકી દીધી અને બધાની માફી માંગી. - પંડિતે શાસ્ત્રોનો માત્ર શબ્દાર્થ જાણ્યો હતો, રહસ્યાર્થ નહીં. તેથી તેણે ગેરવર્તણુંક કર કરી હતી. શાસ્ત્રો ભણ્યા પછી ચિંતન-મનન દ્વારા તેના રહસ્યાર્થને જાણી તેને જીવનમાં ઉતારવાથી જીવન સુમધુર બને છે. માત્ર ઉપરછલ્લું જ્ઞાન ક્યારેક હોનારતો સર્જી દે અનેકાંતવાદને અનિશ્ચિતવાદ સમજી એનાથી દૂર ભાગનારા જીવોના જીવનમાં પણ આવી જ હોનારતો સર્જાય છે. ચાલો, અનેકાંતવાદના મર્મને સમજી તેને આત્મસાત્ કરી જીવનને આબાદ કરવા પ્રયત્નશીલ બનીએ. જ અનેકાંતવાદ જ જૈનશાસનનો મુખ્ય સિદ્ધાંત છે - અનેકાંતવાદ. એકાંતવાદ એટલે વસ્તુ કે પ્રસંગને એક રીતે જોવા અને વિચારવા. અનેકાંતવાદ એટલે વસ્તુ કે પ્રસંગને અનેક રીતે જોવા અને વિચારવા. શાસ્ત્રોમાં કહેલા અનેકાંતવાદના શાબ્દિક અર્થને જાણે; પણ એના ઐદંપર્યાર્થીને ન જાણે અને એને જીવનમાં ન ઉતારે એ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગે આગળ ન વધી શકે. અનેકાંતવાદ એ અનિશ્ચિતવાદ નથી. એકાંતવાદથી વસ્તુનું સાચું સ્વરૂપ જણાતું નથી. અનેકાંતવાદ વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને જણાવે છે. અનેકાંતવાદ આપણને બીજાની ખુરસીમાં બેસીને વસ્તુને જોતા અને વિચારતા શિખવે છે. આ અનેકાંતવાદને માત્ર ભણવાનો નથી પણ જીવનમાં પણ ઉતારવાનો છે. એકાંતવાદી દુઃખી થાય છે. અનેકાંતવાદી સુખી થાય છે. એકાંતવાદી ઝગડો કરે છે. અનેકાંતવાદી સમાધાન કરે છે. એકાંતવાદી સમસ્યાઓ ઊભી કરે છે. અનેકાંતવાદી સમસ્યાઓમાંથી રસ્તો કાઢે છે. એકાંતવાદી કદાગ્રહી બને છે. અનેકાંતવાદી આગ્રહરહિત બને છે. એકાંતવાદી વસ્તુના સાચા સ્વરૂપને જાણી અને માણી નથી શકતો. અનેકાંતવાદી વસ્તુના સાચા સ્વરૂપને જાણી અને માણી શકે છે. નીચેની બાબતો પરથી આ વાત વધુ સ્પષ્ટ થશે. એક ભાઇ નિયમિત ભગવાનની ભક્તિ કરે. એકવાર તે અચાનક બીમાર પડ્યા. હૉસ્પિટલમાં એડમિટ થયા. ઓપરેશન થયું. થોડા દિવસ પછી તે ઘરે આવ્યા. સ્વસ્થ થયા પછી તે દેરાસર ગયા. પ્રભુની સાથે વાતો કરતા એમણે પ્રભુને ઠપકો તે આપ્યો - “હું તારી રોજ ભક્તિ કરનારો અને તે મને આવો બદલો આપ્યો?” આ ભાઈ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા ગુમાવી બેઠા. એનું કારણ એ કે એમણે એકાંતને પકડ્યો. જો તે હ, તેમણે અનેકાંતને પકડ્યો હોત તો તેઓ વિચારી શકત કે, “મારી બીમારી તો એવી છે 10 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy