SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ આ રીતે મૌકાર પર્વત કેવલ સ્વરક્રમે બાદ, વ્યંજનાંત સ્વરકમે તે તે ઉણાદિ પ્રત્યયોને યોજવામાં આવ્યા છે. સાથે તેના અર્થને પણ દર્શાવવામાં આવ્યા છે. એકંદર; ૧૦૦૬ સૂત્રોદ્વારા ઉણાદિ પ્રત્યયસિદ્ધ નામો અહિં દર્શાવવામાં આવ્યા છે. આ રીતે પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી વિનય વિજયજી ગણિવરે, હૈમપ્રકાશવૃત્તિમાં જે વિવરણ કર્યું છેછે કે તેઓશ્રીના કથનાનુસાર તે સંક્ષિપ્ત છે; છતાં તેઓશ્રીએ આ ગ્રન્થને પોતાની પ્રૌઢ વિદ્વત્તાથી, સમર્થ પ્રતિભાબલથી અને અપૂર્વ સર્જનશક્તિથી સર્વાગ સુંદર બનાવ્યો છે, સાથે તેઓશ્રીએ હંમઉણાદિ વિવરણને અનુસરીને આ ગ્રંથમાં ઉણુદિ વિવરણું મૂક્યું છે. ઉણાદિવિવરણ બાદ ભવિષ્યકાળ અને ભાવ સાધનમાં તે તે પ્રત્યયોને દર્શાવ્યા છે. કે જેમાં પરસ્પરના બાહ્યબાધકભાવને સ્પષ્ટરૂપે જણવામાં આવ્યો છે. સાથે તે તે સૂત્રના ગૂઢાર્થની સ્પષ્ટતા અને તે તે પારિભાષિક નામોના અર્થનું પણું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તથા તે તે સ્થળે અન્ય વિન્માન્ય શ્લોકોની સાક્ષી પણ આપવામાં આવી છે. આ રીતે આ વિભાગમાં પૂર્વકૃદન્ત ઉણાદિ અને ઉત્તર કૃદન્તનું વિભાગ પૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે, અને શાલિનામના ગ્રહણથી અને ગુરૂના નામ ગ્રહણ દ્વારા ગ્રંથકારે અંતિમ મંગલને દર્શાવ્યું છે. ટુંકમાં પ્રસ્તુત હૈમપ્રકાશના પ્રસિદ્ધિ પામતા ઉત્તરાર્ધનું ટુંક અને આછું નિરીક્ષણ ઉપર મુજબ જણાવ્યું છે. આ નિરીક્ષણ દ્વારા એટલું કહી શકાય કે, પ્રસ્તુત વ્યાકરણની રચનાથી પૂ૦ ઉપાધ્યાયજી મહારાજે વ્યાકરણ સાહિત્યની અનેકાનેક કૃતિઓમાં મહત્ત્વનો તેમજ ઉપયોગી ફાળો નોંધાવ્યો છે. કહેવું જોઈયેકે, પૂજ્યપાદ ગ્રંથકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પ્રાચીન તેમજ અર્વાચીન તત્કાલીન વિદ્વાનોની કતિ ઓને દ્રષ્ટિ સમક્ષ રાખી, તથા કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજના બહળ્યાસને અનુસરી જિજ્ઞાસુ તથા અભ્યાસક વર્ગના અતિ ઉપકારને માટે આ ગ્રંથની સંકલના કરી છે. આ વિષે, વધુ લખવાકરતાં હાથ કંકણને આરસીની જરૂર પડતી નથી-તેમ; આજે વિદ્વાનોની સમક્ષ રજૂ થતાં પ્રસ્તુત ગ્રંથને જ્યારે તેના અભ્યાસકો સ્વયં અવલોકન કરશે, ત્યારે તેઓને આ ગ્રંથની મહત્તા, વિશિષ્ટતા તથા ઉપકારિતા આપોઆપ સમજાશે. પ્રસ્તુત ગ્રંથના ગ્રંથકારની વિદ્વત્તા અને સર્વતો મુખી સર્જન શક્તિ જૈન સમાજમાં લોક પ્રકાશ ગ્રંથના રચયિતા તરીકે ખૂબજ પ્રસિદ્ધ છે. તેઓશ્રીમનાં જીવન પરિચને અંગે, અતિ સંક્ષિપ્ત પરિચય આ ગ્રંથના પૂર્વાર્ટુના ઉપોદ્દઘાતમાં રજૂ થયો છે. તેથી જિજ્ઞાસુઓએ એ વિષે ત્યાંથીજ જોઈ લેવું. - શ્રીહેમપ્રકાશનો ઉત્તરાદ્ધ આજે ૧૦ વર્ષના ગાળાબાદ કેમ પ્રસિદ્ધ થાય છે.?-આ શંકા કદાચ, તેના અભ્યાસકોના હૃદયમાં સંભવે; પણ તેમાં અનેક કારણો છે. પૂજ્યપાદ પરમ શાંતમૂર્તિ સમર્થ વિદ્વાન સ્વર્ગીય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ક્ષમાભદ્રસૂરીશ્વરજીનાં શુભહસ્તે, આ ગ્રંથનું સંપાદન લગભગ છેલ્લા કેટલાયે વર્ષોથી ચાલુ હતું. તેઓશ્રીએ અનેકાનેક હસ્ત લિખિત પ્રતોને મેળવી, સંશોધન કરી, પ્રેસકોપી કરાવીને, ખંત પૂર્વક પૂર્ણ કરશળતાથી આનાં સંપાદન કાર્યને સફળ બનાવ્યું હતું. વ્યાકરણ, કાવ્ય અને લિંગાનુશાસન તથા જ્યોતિષના બહુસંખ્ય ગ્રન્થો, તેઓશ્રીએ ખૂબ જ વ્યવસ્થિત રીતે સંપાદિત કર્યા હતા. તેઓશ્રી સંપાદન કાર્યમાં સિદ્ધહસ્ત હતા. આ હેમપ્રકાશનાં સંપાદનનું કાર્ય પૂજ્યશ્રીએ મુંબઈના છેલ્લા ચાતુર્માસ દરમ્યાન શરૂ કર્યું હતું, અને તેઓશ્રીનાં શુભ હસ્તે જ તે ગ્રન્થનો પૂર્વાદ્ધ ૧૯૯૪ ના સાલમાં પ્રસિદ્ધ થયો હતો. ત્યારબાદ બીજા ભાગનું કાર્ય તેઓશ્રી આરંભ્ય. એટલામાં વચ્ચે યૂરોપનું વિશ્વયુદ્ધ શરૂ થયું. અને છાપકામ આદિના કાર્યમાં અનેક પ્રતિકળતાઓ વધતી ગઈ, છતાં પૂસ્વ. આચાર્યદેવશ્રીએ પ્રસ્તુત સંપાદન કાર્યને ચાલુ રાખ્યું. આની વચ્ચે બીજા કેટલાયે ગ્રન્થો, તેઓશ્રીના શુભહસ્તે આ દરમ્યાન પ્રકાશિત થતા રહ્યા. પણું ભાવિ બલવાન છે. તેઓશ્રીનું વિ. સં.-૨૦૦૦ની સાલનું ચાતુર્માસ વઢવાણ કેમ્પ ખાતે નિશ્ચિત થયું. જેઠ વદિ ૧૧ ના દિવસે તેઓશ્રીએ પોતાના પરિવારની સાથે પ્રવેશ કર્યો. પૂ૦ સૂરીશ્વરજીની પ્રકૃતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004041
Book TitleHaim Prakash Maha Vyakaranam Uttararddham
Original Sutra AuthorN/A
AuthorKshamavijay
PublisherHiralal Somchand Kot Mumbai
Publication Year1952
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy