SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૧૨, રાં. ૧૯૮૭ ના ચૈત્ર માસની શાશ્વતી ઓળી પ્રસંગે, મુંબઈના શ્રી નવપદ આરાધક સમાજના મંબરોના અતિ આગ્રહથી શ્રી વરકાણ તીર્થમાં શ્રી આચાર્યદેવના સાનિધ્યમાં ઘણી ધામધૂમપૂર્વક સારી રીતે શાશ્વતઓળીનું આરાધન થયું. લગભગ પંદર વીસ હજાર માણસોએ આ પ્રસંગનો ઘણું સંદર લાભ લીધો, અને આ પ્રસંગે લુણાવાથી છરી પાળતો સંઘ ઓળીનું આમંત્રણ આપનાર ભાઈ લઇને આવ્યા. ૧૩. સં. ૧૯૯૭ ના વૈશાખ સુદ ૩ નું વર્ષીતપનું પારણું મુનિરાજશ્રી લાભ વિજયજીનું હોવાથી તે નિમિત્તે ભીમાજી કપુરજી તથા શા. દલીચંદ નાથા તરફથી રાણકપુરજીમાં અઠ્ઠાઈ ઓચ્છવ આદિ ધામધુમ થઈ તેમ જ દુક્રાણુથી દલીચંદ નાથાજી સંઘ લઈને આવ્યા. અને પારણું સુદ ૩ ના રોજ સારી રીતે થયું. ૧૪. સં. ૧૯૯૭ ના વૈશાખ સુદ-૬ ના રોજ પુજ્યપાદ આચાર્યદેવ આદિ ઠાણાએ રાણકપુરથી રતલામ (માળવા) તરફ વિહાર કર્યો. અને જેઠ સુદ માં બહુ આડંબર પૂર્વક, હાથી વિગેરે સામગ્રી પૂર્વક પ્રવેશ થયો, અને ત્યાં બેડાવાલા શા. કપુરચંદ ભીમાજીની દીક્ષા ઘણી જ ધામધૂમ, અરૂાઈ ઓચ્છવ, શાંતિસ્નાત્ર, વરઘોડા, નવકારશી પૂર્વક સં. ૧૯૯૭ ના જેઠ વદ-૧૧ ના રોજ થઈ અને નામ મુનિ લમવિજયજી રાખ્યું. લગભગ પાંચ થી છ હજારનો ખર્ચ શાહ રીખવદાસ કપુરચંદજીએ પોતાના પિતાની દીક્ષા નિમિત્તે કર્યો. . ૧૯૯૭ ના શ્રાવણ સુદ ૧૦ ના રોજ રતલામમાં કબીરશાના મંદિરે, શ્રી ગૌતમ સ્વામીજીની મૂર્તિની તથા પૂ. ઉપાધ્યાયજી મહારાજ સાહેબ શ્રી વીરવિજયજી મહારાજની મૂર્તિની તથા પૂ. ગુરૂમહારાજ અમીવિજયજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા બહુ જ ધામધુમ સાથે, અઠ્ઠાઈ ઓરછ, શાંતિસ્નાત્ર પૂર્વક રતલામ શ્રી સંઘે કરી. અને ગુજરાતી મંદિરના ઉપાશ્રયના શ્રાવકોને ઉપધાન કરાવવાની ભાવના થવાથી આચાર્ય મહારાજને વિનંતી કરતાં તેનો સ્વીકાર થયો, અને ઉપધાન કરાવવા ગુજરાતી ઉપાશ્રયે આસો સુદમાં પધાર્યા. અને આસો સુદ ૧૦ ના રોજ ઉપધાનમાં પ્રવેશ કરાવ્યો. માળ નિમિત્તે અઠ્ઠાઈ ઓચ્છવ, શાંતિસ્નાત્ર આદિ ધામધૂમ સારી થઈ ૧૬. સં. ૧૮૮૮ ના માગસરમાં શ્રી ગુજરાતી મંદિર ઉપર ધજાદંડ તથા શિખ૨ ન હોવાથી ત્યાંના ( રતલામના ) શ્રાવકોના આગ્રહથી વજાદંડ, શીખર આદિની પ્રતિષ્ઠા, અરૂાઈ ઓચ્છવ, શાંતિ આાત્ર આદિ ધામધુમપૂર્વક ઘણું આડંબરથી કરાવ્યા. ૧૭. સં. ૧૯૯૮ ના માગશર વદ. ૧૦ ના રોજ શ્રી ભોપાવર તીર્થનો સંઘ છહરી પાલતો રતલામથી બેડાવાલા શા. રીખવદાસ કપુરચંદજીએ ધામધુમપૂર્વક કાઢયો. ૧૮. સં. ૧૯૯૮ ના પોષ સુદ ના ભોપાવર સંઘ સાથે પહોંચ્યા બાદ ત્યાંથી માંડવગઢ, રાજગઢ, ઉજજૈન, ઇંદોર, મહીદપુર, આદિ ગામોની વિનંતીઓ થઈ પણ લાભનું કારણ સમજી ઇંદોરમાં ચોમાસું કર્યું. ચોમાસા માટે ઇંદોરમાં જેઠ સુદ. ૧૦ ના પ્રવેશ ઘણું સારી રીતે ધામધૂમ પૂર્વક થયો. અને ચોમાસામાં મુનિરાજ શ્રીભક્તિ વિજયજી મહારાજે પંદર ઉપવાસ કર્યા. તે નિમિત્ત અઠ્ઠાઈ મહોત્સવ, શાંતિસ્નાત્ર આદિ ધામધુમ સારી થઈ અને પજુસણુમાં બહારગામના ઘણા ભાઈઓ એ લાભ લીધો. ૧૯. સં. ૧૯૯૯ ના કારતક વદ. ૨ ના રોજ ઇંદોરથી બાબુ નથમલજી સબાવતે છરી પાળતો સંઘ માંડવગઢને પંદરસો થી સત્તરસો માણસોનો ઘણું ઠાઠથી કાઢ્યો. આવો સંઘ પચાસ સાઠ વર્ષમાં નીકલ્યો નહિ હશે, તેમ શ્રાવકો પ્રશંસા કરતા હતા. અને માંડવગઢમાં વધીને ત્રણ હજાર ઉપર માણસ થયું હતું. બાદ ત્યાંથી (માંડવગઢથી ) વિહાર કરીને કુકશી, અલીરાજપુર, છોટાઉદેપુર ડભોઈ વડોદરા આદિ થઈને ફાગણ સુદ. ૧ ના અમદાવાદ પધાર્યા. ૨૦. પૂ. આચાર્યદેવના ગુરૂભાઈ તથા શિષ્યોની નામાવલિ. ગુરૂભાઈઓ તથા શિષ્યોના નામોની યાદિ. ૧. મુનિ શ્રી ગુણુવિજયજી મ. ૧. મુનિ શ્રી લાભવિજ્યજી મ. ૨. પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી ગણિ. ૨. મુનિ શ્રી માણેક વિજયજી. મ. ૩. મુનિ શ્રી ભાવવિજયજી મ. ૩. મુનિ શ્રી નાગેન્દ્ર વિજયજી. મ. ગુરૂભાઈના શિષ્યોઃ ૪. મુનિ શ્રી જય વિજયજી. મ. ૧ મુનિ શ્રી લલિતવિજયજી. ૫. મુનિ શ્રી લક્ષ્મી વિજયજી. મ. ૨ મુનિ શ્રી ત્રિલોચનવિજયજી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004041
Book TitleHaim Prakash Maha Vyakaranam Uttararddham
Original Sutra AuthorN/A
AuthorKshamavijay
PublisherHiralal Somchand Kot Mumbai
Publication Year1952
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy