SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. સ્વર્ગીય આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજની ૪જી વન ઝરમર – -- -=૦૦૦૦૦૦૦૦લે. પૂ. મુનિરાજ શ્રીમદ્દ કનકવિજયજી મહારાજ - કાશમીર અને મહામણું કાશમીરદેશનું સુપ્રસિદ્ધ શહેર જમ્મુ, એ કાશમીરીલાલ (પૂ. આ. શ્રી વિજયક્ષમાભદ્રEસૂરિજીનું પૂર્વાવસ્થાનું નામ)ની જન્મભૂમીનું ગામ હતું. લાલા રામલાલને ત્યાં ધનદેવીની કક્ષાએ કાશમીરીલાલનો જન્મ થયો હતો. વિ. સં. ૧૫૮ ના માગસર સુદિ ૨ નો એ દિવસ હતો. પંજાબ આ બન્ને ધરતીના ધાવણથી સંસ્કારિત કાશ્મીરીલાલનો બાયકાળ ધીરે ધીરે પસાર થવા લાગ્યો. અને બાળક કાશમીરીલાલે પાંચ વર્ષની વયે સ્કુલમાં અભ્યાસ શરૂ કર્યો. હિંદી, ઉર્દુ વગેરેનો સારો અભ્યાસ કાશમીરીલાલે ખંતથી કરી લીધો. પ્રતિભા, તર્કશક્તિ અને અભ્યાસ કરવાની ચીવટ-આ બધા ગુણોથી કાશમીરીલાલનો ક્ષયોપશમ સતેજ હતો. શાળામાં વિદ્યાર્થઓ તેમજ શિક્ષક વગેરેની પ્રીતિ કાશ્મીરીલાલે સારી રીતે મેળવી લીધી હતી. આમ કાશમીરીલાલ શાળાના અભ્યાસમાં સારી પ્રગતિ કરી દૂશયાર વિદ્યાર્થીની આબરુ પ્રાપ્ત કરી શક્યા. ફળના ઉત્તમ સંસ્કારો અને મા-બાપની સતત જાગૃતિ બાળકનાં માનસનું ઘડતર સફળ રીતે કરી શકે છે. આ સત્ય કાશ્મીરીલાલનાં બાલમાનસની સંસ્કારિતા પરથી આપણે અનુભવી શકીએ છીએ. કારમીરીલાલના જીવનમાં બાલ્યકાલે ઉત્તમ સંસ્કારો પાંગરી શક્યા હતા. દેવ, ગુરુ તેમજ ધર્મ પ્રત્યેનો સચિભાવ કાશમીરીલાલના હૈયામાં પહેલેથી જ પરિણત થઈ શકયો હતો. તે કાલે પંજાબની ભૂમિપર યુગપ્રધાનકલ્પ તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનન્દસૂરીશ્વરજીનું શાસન સામ્રાજ્ય તપી રહ્યું હતું. ભારતવર્ષનો સંઘ એઓશ્રીના ધમેણુને કદિ ભૂલી શકે તેમ નથી. તેઓશ્રી પંજાબની ભૂમિમાં જન્મ્યા, ત્યાં તેઓશ્રીએ ધર્મપ્રચાર કર્યો, દેશ-પરદેશમાં વિચરી જૈનશાસનનો કીર્તિવજ વિજયવંતો રાખી, પંજાબની પુણ્યભૂમિ પર અને તે મહાન જૈનાચાર્યે સમાધિ મેળવી. આથી પુણ્યક્ષેત્ર પંજાબ, જૈન ઇતિહાસમાં ત્યારથી અમર બની ગયું. કાશમીરીલાલને તે ભૂમિમાં પૂજ્ય સમર્થ વિદ્વાન સુવિહિત મહાત્મા મહારાજશ્રી ચારિત્રવિજયજી જેવા સદ્ગુરુનો યોગ મળી ગયો. તેઓશ્રીના શિષ્ય શાન્તમૂર્તિ વિદ્વાન મુનિરાજશ્રી અમીવિજયજી મહારાજશ્રીનો સહવાસ બાળક કાશમીરીને ફેલ્યો. ધાર્મિક સંસ્કારો, શિક્ષણ વગેરેની સાચી સંપત્તિ ત્યાં કાશમીરીલાલને પ્રાપ્ત થઈ. લગભગ ૧૩ વર્ષની વયે કાશમીરીલાલે પંચપ્રતિક્રમણ, ચારપ્રકરણ, વગેરે સૂત્રો, પૂજા, પ્રતિક્રમણ સામાયિક આદિ અનુષ્ઠાન, ઈત્યાદિ ધાર્મિક વાતાવરણથી આત્માને રંગીલો બનાવી દીધો હતો. પૂર્વના સંસ્કારો વિના કાશ્મીરીલાલના આત્મામાં આ બધો ધાર્મિકતાનો રંગ અસ્થિમજજા બનાવો શક્ય ન હતો. બાળક કાશ્મીરીને ભાવિકાલે મહાન જૈનાચાર્ય તરીકે જૈન સમાજમાં આપણે ઓળખી શક્યા, તેમાં વાત્સલ્યહૃદયી અમીવિજયજી મહારાજશ્રીની પૂર્ણ અમીદષ્ટિ, પૂજ્ય સુવિહિત મહાત્મા વિદ્વાન મુનિરાજ શ્રીચારિત્રવિજયજી મહારાજશ્રીનું વાત્સલ્યવાસિત હૃદય અને પૂ૦ શાન્તપ્રકૃતિ મુનિરાજશ્રી રવિવિજયજી મહારાજની સહાય આ ત્રિશક્તિનો ગુરુમંત્ર હતો. આ બધા મહાત્મા-જૂના ભદ્રિક, સરળ અને સાચા સન્તપુરુષોના પુણ્યપ્રભાવથી કાશમીરીલાલનો બાલ્યકાલ સાચે ગૌરવતા પામી શક્યો. કામીરીલાલનાં હદયપર આ મહાત્માઓના સાચા વૈરાગ્યે કોઈ અદભુત અસર જન્માવી. “સન્તની સેવા સત્તને મળે, સાધુમહાત્માઓની સાચી ઉપાસના સાધુતાની યોગ્યતા જીવનમાં જાગ્રત કરે', આ કથનની સત્યતા કાશમીરીલાલના વૈરાગ્યભાવે તાજી કરી દીધી. માતાની આનાકાનીની સ્વામે કાશમીરી લાલ મક્કમ રહ્યા. લુધિયાના અને મારકોટલામાં પૂ. મુનિવરોની સાથે કામીરીએ ચામસ રહી, સંયમી બનવા માટેની યોગ્ય તાલીમ લેવા માંડી. અને વૈરાગ્યના સુવર્ણને કસોટીએ ચઢાવવાની યોગ્ય અવસર આ રીતે તેને મળી ગયો. ૧૯૭૨ ના માલેરકોટલાના ચાતુર્માસ બાદ તે પૂજ્ય મુનિવરોની સાથે ગૃહસ્થપણુમાં વિહાર કરી કાશ્મીરી બિકાનેર આવ્યો. એના વૈરાગ્યની આકરી કસોટીઓ આ અગાઉ ઘણી ઘણુ થઈ ગઈ હતી. કસોટીઓમાં પસાર થયેલા કાશમીરીલાલને પૂ૦ મુનિરાજ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004041
Book TitleHaim Prakash Maha Vyakaranam Uttararddham
Original Sutra AuthorN/A
AuthorKshamavijay
PublisherHiralal Somchand Kot Mumbai
Publication Year1952
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy