________________
પ્રકાશકીય
ૐકારસૂરિજ્ઞાનમંદિર ગ્રંથાવલીનું આ અનુઢું ગ્રંથપુષ્પ-૨૩ પ્રગટ થઇ રહ્યું છે ત્યારે અમે ગૌરવ અનુભવીએ છીએ..
આ. શ્રી દેવેન્દ્રસૂરિજી રચિત દાનોપદેશમાલા ગ્રંથનું સ્વોપજ્ઞટીકા સાથે પ્રથમવાર જ પ્રકાશન થઇ રહ્યું છે. તે ઘણાં હર્ષનો વિષય છે.
વિદુષી પૂ. સાધ્વીશ્રી હેમગુણાશ્રીજી મ. અને વિદુષી પૂ. સાધ્વીશ્રી દિવ્યગુણાશ્રીજી મ.એ અદ્યાવધિ અપ્રગટ આ ગ્રંથરત્નની વિવિધ હસ્તલિખિત પ્રતોના આધારે આ ગ્રંથનું સંપાદન કર્યું છે. સાધ્વીજી ભગવતીઓ ગ્રંથોના સંશોધન-સંપાદન કરે તે શ્રમણી સમુદાયમાં આદર્શરૂપ છે.
આ ગ્રંથના પ્રકાશન માટે ઉદારહૃદયી-ગુરુભક્ત શ્રી વર્ધમાન જૈન શ્વે. મૂ. પૂ. સંઘ કતારગામ દરવાજાના જ્ઞાનદ્રવ્યમાંથી ઉદારતાપૂર્વક લાભ લેવામાં આવ્યો છે. આ લાભ લેવા બદલ અમો તેઓના આભારી છીએ.
પૂ. સાધ્વીજી ભગવતીજીને કરબદ્ધ પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દી આવા ગ્રંથરત્નો પ્રકાશિત કરવાનો અમને અવસર આપે.
પ્રાન્તે આ ગ્રંથનું અધ્યયન કરીને ધર્મારાધનાના પ્રથમ સોપાન સમા દાનધર્મનું સેવન કરી શીવ્રતયા મુક્તિનાં શિખરે પહોંચે એ જ મંગલ
કામના.........
આ. કારસૂરિ આરાધના ભવન સુભાષચોક, ગોપીપુરા, સૂરત-૧.
લિ. ટ્રસ્ટીગણ આ. કારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ
અંતરના ઉદ્ગાર
વિ. સં. ૨૦૪૨માં પૂ. આ. ભ. શ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજાનાં પાવન પગલા સુરત-કતારગામ દરવાજા વિસ્તારમાં થયા ત્યારે અહીં શ્રાવકોનાં ઘર બહુ ઓછા...પૂ. આ. ભ. શ્રીનાં સાન્નિધ્યમાં શ્રીવર્ધમાન જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘની સ્થાપના થઇ અને પૂ. ગુરુદેવશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન મળતાં ધાતુનાં પરમાત્મા અને ૨૦૪૭માં આરસનાં શ્રીમહાવીરસ્વામી પ્રભુને સંઘનાં જિનાલયમાં બિરાજમાન કરવા ભાગ્યશાળી બન્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org