SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિશત્ ચતુર્વિશતિના ૧૦ સ્તવનોની રચના કરી છે. (જૈન પરંપરાનો ઈતિહાસ ભા.-૨ પૃ. ૪૩૬) પ્રશ્નોત્તરમાલાવૃત્તિ કે જેની રચના વિ.સં. ૧૪૨૯માં થઈ છે. તેનું પ્રકાશન પં. હીરાલાલ હંસરાજે કર્યું છે. દાનોપદેશમાલા સ્વોપજ્ઞટીકાવૃત્તિ સાથે પ્રગટ થઈ રહી છે. સ્તવનો વિષે કંઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ગ્રંથકારની ગુરુપરંપરા આ પ્રમાણે ડૉ. શિવપ્રસાદજીએ એમનાં લેખમાં આપી છે. વર્ધમાનસૂરિ(પ્રથમ)>જિનેશ્વરસૂરિ–અભયદેવસૂરિ(પ્રથમ)>જિનવલ્લભસૂરિ)જિનશેખરસૂરિ)પદ્મચન્દ્રસૂરિ)વિજયચંદ્રસૂરિ–અભયદેવસૂરિ (દ્વિતીય)> દેવભદ્રસૂરિપ્રભાનંદસૂરિ) શ્રીચન્દ્રસૂરિ–ગુણશેખરસૂરિ) સંઘતિલકસૂરિ–દેવેન્દ્રસૂરિ વિદુષી સાધ્વીશ્રી વિરાગરસાશ્રીજી અને સા. શ્રી ધેર્યરસાશ્રીજીએ (કલીકુંડતીર્થોદ્ધારક પૂ. આ. ભ. શ્રી રાજેન્દ્રસૂરિ મ. સા. ના આજ્ઞાવર્તીની) હસ્તલિખિત પ્રતિની ઝેરોક્ષ ઉપરથી મુદ્રણયોગ્ય નકલ બનાવવાનું જહેમત ભર્યું કામ ઉત્સાહ અને આનંદથી કર્યું છે. વિદુષી સાધ્વીશ્રી હેમગુણાશ્રીજી અને વિદુષી સા. શ્રી. દિવ્યગુણાશ્રીજીએ જુદી જુદી પ્રતિઓના પાઠભેદ નોંધી યોગ્યપાઠનિર્ણય, કઠિન શબ્દોના અર્થો, ત્રુટક સ્થળોએ પૂર્તિ આદિ કરી સંપાદન કાર્ય રસપૂર્વક કર્યું છે. . આમ સાધ્વીજીઓની મૃતભક્તિના પરિપાકરૂપે આપણને એક અપ્રગટ-ગ્રંથ અત્યંત સુંદર સાજ-સજ્જાપૂર્વક સુસંપાદિત થઈ મળે છે. બધા સાધ્વીજીઓને ધન્યવાદ ! સહુ કોઈ આ ગ્રંથનું અધ્યયન કરી આત્મકલ્યાણને વરે, એ જ મંગલ કામના. જૈન ઉપાશ્રય વાંકડીયા વડગામ, જિ. જાલોર અષાઢ સુ. ૧૫ વિ.સં. ૨૦૧૭ પૂ. આ. ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી જિનચન્દ્રવિજય મ. સા.ના શિષ્ય આચાર્ય મુનિચન્દ્રસૂરિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004036
Book TitleDanopdeshmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year2002
Total Pages438
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy