SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા (૬) એ તમામ પદાર્થો દેવતાધિષ્ઠિત હેય. (૭) ચૌદ રત્નમાં એક સ્ત્રી, ચાર પુરુષ અને બે તિર્યંચ પશુઓ મળીને કુલ સાત રને પંચેન્દ્રિય હેય, અને બાકીના સાત રનો એકેન્દ્રિય હેય. (૮) ચોરે રનની પાતપિતાની નિયત અને વિશિષ્ટ કામગીરી હોય. ટૂંકમાં, એ રોની મદદથી જ ચક્રવર્તી છ ખંડનું સામ્રાજય મેળવી શકે. (૯) તીર્થકર, ગર્ભાવસ્થામાં પણ, વિશિષ્ટ મતિ, ભુત અને અવધિજ્ઞાન નામક ત્રણ જ્ઞાન ધરાવતા હોય, (૧૦) તીર્થકર અવશ્ય દીક્ષા લે. (૧૧) તીર્થકરનો દીક્ષાકાળ નજીક આવે ત્યારે, પાંચમા દેવલોકના નવ લોકાંતિક જેવો તેમને દીક્ષા લેવાની વિનતિ કરે. (૧૨) એ પછી એક વર્ષ સુધી, તીર્થકર, સમગ્ર પ્રજાને વાર્ષિક દાન આપે. (૧૩) દેવે અને મનુષ્ય તીર્થકરની અપૂર્વ દીક્ષાયાત્રા કાઢે, એમાં અલૌકિક રચનાવાળી દિવ્ય પાલખીમાં તીર્થકર દીક્ષા લેવા પ્રયાણ કરે. (૧૪) નગરની બહારના ઉપવનમાં એ યાત્રા પહોંચે, અને ત્યાં, સર્વ વસ્ત્રાભૂષણનો ત્યાગ કરીને, તીર્થકર સ્વહસ્તે પંચમુષ્ટિ કેશલોચ (પાંચ જ મૂઠી વડે દાઢી, મૂછ ને માથાના તમામ કેશોનું લુચન) કરે. એ વાળ ઇન્દ્ર લઈ લે (અને ક્ષીર સમુદ્રમાં પધરાવી દે), () એ પછી સર્વ સંસાર અને આસકિતને ત્યાગ કરીને તીર્થકર ત્યાંથી પગપાળા વિહાર કરી જાય, અને જુદે જુદે સ્થાને વિચરે, તપ તપ અને ઉપસર્ગો સહે (૧૬) દીક્ષાના દિવસને આવરી લઈને તીર્થકર ઓછામાં ઓછા બે કે ત્રણ નિર્જળ ઉપવાસનું તપ કરે જ, અને તે તપનું પારણું તેઓ પોતાના હસ્તપાત્રમાં કરે. (૧૭) તેઓ જેને ત્યાં પારણું કરે, પારણા માટે આહારદિ ગ્રહણ કરે, તેને ઘેર દે પાંચ દિવ્ય પદાર્થોની વૃષ્ટિ કરે. ' (૧૮) દીક્ષા પછીના અમુક કાળ બાદ (આ કાળ દરેક તીર્થકરે માટે એક સરખો નથી હોત; સૌને અલગ અલગ હોય છે.) ઘાતી કર્મોનો નાશ કરી તીર્થકર કેવળજ્ઞાન મેળવે. ' (૧૯) કેવળજ્ઞાની તીર્થકર માટે દેવો સમવસરણ રચે અને તેમાં બિરાજીને તીર્થકર સાધુ, સાવી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની અને ધમતીથની સ્થાપના કરે, () એ પછી, પોતાના આયુષ્યમાં હોય તેટલાં વર્ષો સુધી તીર્થકર સપરિવાર પૃથ્વી પર વિચરીને ધર્મનો પ્રસાર કરે અને આયુષ્ય સમાપ્ત થયે, કાળધર્મ પામી, “સિદ્ધશિલા તરીકે પ્રસિદ્ધ એવા માક્ષસ્થાનમાં, કર્મ અને તેના પરિણામરૂપ શરીરાદિસ્વરૂપ વિકૃતિઓથી સર્વથા મુક્ત બનેલા તેઓને આમા સદાને માટે બિરાજે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy